પવન સિંહે મારો ગર્ભપાત કરાવ્યો, મને ગોળીઓ ખડાવી, ભોજપુરી સ્ટારની પત્નીના ગંભીર આરોપ | Pawan Singh’

  • India
  • October 8, 2025
  • 0 Comments

Pawan Singh’s wife’s Allegations: ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ અને તેની પત્ની જ્યોતિ સિંહ વચ્ચે જબરજસ્ત વિવાદ વકર્યો છે. તેમનો પારિવારિક ઝઘડો હવે જાહેર થઈ ગયો છે. જ્યોતિ સિંહ સતત પવન સિંહ પર આરોપ લગાવી રહી છે. તેણે આત્મહત્યાની ધમકી પણ આપી છે. વધુમાં જ્યોતિએ તેના લખનૌના ઘરે પવનને મળવાનો પ્રયાસ પણ કર્યો હતો.

જ્યોતિએ આનો એક વીડિયો શેર કર્યો, જેમાં આંસુ ભરી આંખે દાવો કર્યો કે પવન સિંહે તેને ઘરમાં પ્રવેશતા અટકાવી હતી અને પોલીસને પણ બોલાવી હતી. જોકે, પવન સિંહે તેની પત્નીના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. જેથી પરિસ્થિતિ વધુ વણસી રહી છે. પવન સિંહે મીડિયા સાથે વાત કરી પોતાનો પક્ષ રજૂ કર્યો. હવે, જ્યોતિ સિંહે પણ તેમના ઝઘડા અંગે મીડિયા સાથે વાત કરી છે.

જ્યોતિ સિંહનું મોટું નિવેદન

પત્રકાર પરિષદમાં જ્યોતિ સિંહે આરોપ લગાવ્યો છે કે પવન તેમને ગર્ભપાતની ગોળીઓ આપતો હતો. વધુમાં કહ્યું, “જે વ્યક્તિ બાળક માટે ઝંખે છે તે પત્નીને ગર્ભપાતની દવા ના આપે, જ્યારે પવનજી મને દવા આપતા હતા, મને ખૂબ ત્રાસ આપવામાં આવતો હતો. તેઓ મને ગર્ભપાતની ગોળીઓ આપતા હતા. હતાશામાં મેં ઊંઘની ગોળીઓ લીધી. પછી મને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવી.”

પવન સિંહે શું કહ્યું?

પત્ની સાથે ચાલી રહેલા વિવાદ અંગે પવન સિંહે કહ્યું, “જ્યોતિ સિંહ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે કે તે તમને મળવા લખનૌ આવી રહી છે. હું તેના ઇરાદાઓથી સારી રીતે વાકેફ છું. મેં વહીવટીતંત્રને જાણ કરી હતી કે આવી આવી વાત છે. અમે રાત્રિભોજન કરી રહ્યા હતા ત્યારે મારા મોટા ભાઈ ધનંજયે મને જ્યોતિ સિંહના ભાઈ સાથે વાત કરવાનું કહ્યું. મેં કહ્યું, ‘ભાઈ, મને થોડી તબિયત ખરાબ લાગે છે. તેને એક કે બે દિવસમાં પાછા આવવા કહો.’ હું હજુ સૂતો હતો ત્યારે મારો ભાઈ આવ્યો અને કહ્યું કે જ્યોતિ સિંહ આવી છે. વધુમાં કહ્યું બલિયાથી જ્યોતિ સિંહના ભરણપોષણનો કેસ ચાલી રહ્યો છે. જ્યોતિ સિંહ, હું તમને કહેવા માંગુ છું કે જો હું તમને મળવા ન માંગતો હોત, તો શું તમે મને મળી શક્યો હોત?’ છતાં હું સહમત થયો, મારો નાનો ભાઈ, ઋત્વિક અને ધનંજય આવ્યા. અમે ફ્લેટ પર મળ્યા. જ્યોતિ તેના ભાઈ અને મોટી બહેન, જુહી સાથે હતી.”

પવન સિંહે આગળ કહ્યું, “હું જ્યોતિ સિંહ સાથે કેવો વ્યવહાર કરી રહ્યો છું તે હું જ્યોતિ અને અને મારો ભગવાન જાણે છે. જ્યોતિએ કહ્યું કે છૂટાછેડાનો ઉકેલ ન આવે ત્યાં સુધી તે અહીંથી ખસશે નહીં. મેં તેને પૂછ્યું કે શું એક જ છત નીચે રહીને કેસ લડી શકાય છે. મને લાગ્યું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. મેં સ્ટાફને કહ્યું કે મેડમને પૂછો કે તે શું ખાવા માંગે છે.  હું ઊભો થયો અને કહ્યું કે હું મીટિંગમાં જઈ રહ્યો છું. મેં ધનંજયને કહ્યું કે તે તેની સાથે વાત કરે કે તે શું ઇચ્છે છે.”

પવન સિંહે આગળ કહ્યું કે તેમણે “મીટિંગ પૂરી થયાના બે કલાક પછી મને ફોન આવ્યો કે, ‘ભાઈ, ઘરે કંઈક થયું છે.’ મેં વિચાર્યું કે હમણાં ઘરે જવું યોગ્ય નથી. હું આખી રાત રસ્તા પર જ રહ્યો. મેડમ બીજા દિવસે ચાલ્યા ગયા. હું કહેવા માંગુ છું કે તમે તમારા પતિ માટે જે સ્નેહ બતાવી રહ્યા છો તે ચૂંટણીના પાંચ મહિના પહેલા કેમ ના બતાવ્યો? તે આજે જ કેમ દેખાય છે? જ્યોતિ સિંહના પિતા લખનૌ આવે છે. તેઓ કહે છે, ‘અમારી દીકરીને ધારાસભ્ય બનાવો. તે પછી સાથે રહેવા માંગતા હો, તો રહો, નહીં તો છોડી દો. ધારાસભ્ય બનવા માટે તમે કેટલા નીચા જશો? જો તમે ઝૂકવા માંગતા હો, તો કરો. હું મારી મર્યાદાથી આગળ વધી શકતો નથી. બધાના આશીર્વાદથી દુનિયા પવન સિંહને પાવર સ્ટાર કહે છે.'”

આ પહેલી વાર નથી જ્યારે પવન સિંહે પોતાની પત્ની જ્યોતિના આરોપોને ખોટા ગણાવ્યા હોય. તેમણે અગાઉ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે વાર્તાનો પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

આ પણ વાંચો:

Pawan Singh wife: ભોજપુરી સ્ટાર પવન સિંહની પત્ની જાહેરમાં રડતી જોવા મળી! સ્ટારે પોલીસને બોલાવી તેને મળવાથી રોકી! જુઓ,વાયરલ વીડિયો

‘BJP માં સભ્યપદ એમ જ નથી મળી જતુ’, નેહાએ એક્ટર પવન સિંહનો અંજલિ રાઘવની કમર પકડતો ફોટો શેર કર્યો, ભાજપ પર સાધ્યું નિશાન

UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?

Surat: બળાત્કારી આસારામની હોસ્પિટલમાં પૂજા-આરતી, લોકોએ કર્યો ભારે વિરોધ

 

 

ગુજરાત પ્રવાસ પેકેજ

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?
  • June 18, 2026

Freedom of Religion: કવિ તુલસીદાસે વિનય પત્રિકામાં લખ્યું હતું કે જે રામ અને સીતાના પ્રિય નથી, તેમને ત્યજી દેવા જોઈએ. પરંતુ આજના આધુનિક ‘હિંદુત્વ’એ આ પંક્તિનો અર્થ સંપૂર્ણપણે બદલી નાખ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 4 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 8 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 10 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 11 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!