Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • India
  • October 26, 2025
  • 0 Comments

Delhi :  દિલ્હીમાં છઠ પૂજા પહેલા, યમુના નદીની સફાઈ અને તેના પાણીની ગુણવત્તા અંગે રાજકીય યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે ત્યારે બિહાર ચૂંટણીઓ ટાણે પ્રધાનમંત્રી મોદી પાણીની શુદ્ધતાની ગેરંટી માટે ડૂબકી લગાવવાના છે પણ ભાજપનું આ જુઠાણું મોદીની ડૂબકી પહેલાજ પકડાઈ ગયુ છે.પ્રદુષિત થઈ ચુકેલી યમુના નદી હવે શુદ્ધ થઈ ચૂકી છે અને આ નદીમાં ખુદ મોદીજી ડૂબકી લગાવવાના છે તેવી જાહેરાત કરી લોકોને ઉલ્લુ બનાવવાનો ભાજપના જુઠ્ઠાણાનો પરપોટો ફૂટી ગયો છે.

વાસુદેવ ઘાટ ઉપર જઈને મોહિત ચૌહાણે આખો વીડિયો બનાવી કઈ રીતે એક પાઇપલાઇન મારફતે ગંગાનું ફિલ્ટર કરેલું પાણી અહીં લાવીને પીવાના પાણીનું કૃત્રિમ તળાવ બનાવી તેમાં મોદીજી ડૂબકી લગાવવાના છે તે વાત ખુલ્લી પાડી દેતા ભાજપના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.તેઓએ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે” દિલ્હીની ભાજપ સરકારે યમુના નદીની બાજુમાં સ્વચ્છ, ફિલ્ટર કરેલા પીવાના પાણીથી ભરેલું તળાવ બનાવ્યું છે, જેથી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા છઠ પૂજા દરમિયાન મોદી તેમાં ડૂબકી લગાવી શકે!”

હકીકતમાં યમુના નદી કિનારે વાસુદેવ ઘાટ બનાવવામાં આવ્યો છે જ્યાંથી ભાવિકો યમુનાના દર્શન કરી શકે પણ છેલ્લા કેટલાક સમયથી ત્યાં એક માટીની દીવાલ બનાવી વાસુદેવ ઘાટને યમુના નદીથી અલગ કરી દઈ ત્યાં એક નાનું સરોવર બનાવી દેવામાં આવ્યું છે અને આ પાણી એક ખાસ પાઇપ લાઈનની મદદથી ત્યાં લાવવામાં આવી રહ્યું છે આ પાણી ગંગા નદીનું છે જે સંપૂર્ણપણે ફિલ્ટર છે અને પીવા લાયક છે આ પાઇપલાઇન મારફતે સોનિયા વિહારથી શુદ્ધ પાણી અહીં ઠલવાઇ રહ્યું છે ત્યાં પાણીને ફિલ્ટર કરવાનો પ્લાન્ટ છે જ્યાંથી ગેરકાયદે પાઇપ કાપી તેમાં જોડાણ આપી ચોરી છુપે અહીં પાણી લાવવામાં આવ્યું છે.આમ,આ પાણી યમુનાનું નહિ પણ ગંગાનું છે અને કુત્રિમ તળાવ બનાવી દઈ બિહારના મતદારોને આકર્ષવા ભાજપે અહીં યમુનામાં ડૂબકીનો તાયફો કર્યો છે પણ આ ભાજપ સરકારની ચોરી છે.

મોદી યમુનામાં ડૂબકી નથી લગાવવાના પણ ગંગાના કુત્રિમ તળાવમાં ડૂબકી લગાવવાના છે તે વાત સામે આવી છે અને પછી ભલેને લોકો પ્રદુષિત યમુનામાં ડૂબકી લગાવે તેની ભાજપને ક્યાં પડી છે તેવા સવાલો ઉઠ્યા છે.અહીં લોકો આ કરામત જોઈ ન જાય તે માટે લીલા કલરના કપડાંની આડશ પણ કરી દેવાઈ છે પણ આખરે સત્ય સામે આવી ચૂક્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પ્રદૂષિત યમુના નદીને શુદ્ધ કરવા વર્ષોથી અગાઉની સરકારો નિષ્ફળ રહી છે પરંતુ ભાજપે ફેબ્રુઆરી વિધાનસભાની ચૂંટણીમાં આ વાતને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવ્યો હતો.

વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે યમુનાને પુનર્જીવિત કરવાના પગલાં અંગે મુખ્યમંત્રી ગુપ્તા અને અધિકારીઓ સાથે ઘણી સમીક્ષા બેઠકો પણ યોજી હતી અને મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે “સરકારનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે આવનારા વર્ષોમાં યમુના દિલ્હીના રહેવાસીઓ માટે સ્વચ્છ અને જીવનદાયી રહે.” તેમણે ટ્વિટર (અગાઉ X) પર લખ્યું. મુખ્યમંત્રી કાર્યાલય અનુસાર, પ્રધાનમંત્રીને છઠની તૈયારીઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.
યમુનાના બંને કિનારા પર શ્રદ્ધાળુઓ માટે ખાસ ઘાટ બનાવવામાં આવી રહ્યા છે. લાઇટિંગ, સ્વચ્છતા, પીવાના પાણી, સુરક્ષા, તબીબી સહાય અને મોબાઇલ શૌચાલયોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. છઠ પૂજા બિહારના લોકોમાં લોકપ્રિય છે અને વડાપ્રધાન મોદી ડૂબકી લગાવી યમુનાની શુદ્ધિકરણ અંગેનું પ્રમાણપત્ર આપે તેવું આયોજન થાય તે પહેલાં વાસુદેવ ઘાટ ઉપર નકલી કુત્રિમ તળાવનો ભાંડો ફૂટી ગયો છે.

આ અગાઉ પણ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યમુના નદીના શુદ્ધિકરણ મુદ્દે એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. એક ચર્ચા દરમિયાન, ડૉ. અનિલ ગુપ્તાએ યમુનાનું પાણી પીધું હોવાનો ભાજપે દાવો કર્યો હતો કે તે પાણીની શુદ્ધતાનો પુરાવો છે.જોકે, AAPએ તેને બનાવટી ગણાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે સફાઈ ફક્ત કેમેરા માટે કરવામાં આવી રહી છે. AAPનો દાવો છે કે યમુનામાં લંગરાયેલી બોટ પાછળ ફીણ દેખાય છે, જેને રાસાયણિક છંટકાવ દ્વારા છુપાવવામાં આવી રહ્યું છે, જ્યારે ભાજપનો દાવો છે કે તે ઓર્ગેનિક છે.આમ,કુત્રિમ તળાવે યમુના નદીના શુદ્ધિકરણના વટાણા વેરી નાખ્યા છે.

આ પણ વાંચો:

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી

 Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

Related Posts

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!
  • April 18, 2026

Narendra Modi: હાલમાં દેશમાં આવી રહેલી ચુંટણીઓ દરમિયાન ભાજપ મહિલા અનામતનો મુદ્દો છેડીને વિપક્ષને વિલન ચિતરી તેનો ફાયદો મેળવી શકે છે,મતલબ જો બિલ પાસ થઈ જાય તો પણ ફાયદો અને…

Continue reading
Parliament Session: લોકસભામાં મહિલા અનામત સંશોધન બિલ નામંજૂર
  • April 17, 2026

Parliament Session: કેન્દ્રમાં મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં પ્રથમવાર લોકસભામાં 17 એપ્રિલ 2026ના રોજ 131મું બંધારણ સુધારા બિલ 2026 જરૂરી બે તૃતીયાંશ બહુમતી ન મળવાને કારણે પસાર થઈ શક્યું નથી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

  • April 19, 2026
  • 4 views
IRGC: ઈરાનમાં IRGCનો કબ્જો! નવા લીડર મોજતબાની હયાતી મામલે ઉઠયા સવાલો! હવે શું દુનિયામાં મોટું આર્થિક સંકટ તોળાશે!

BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

  • April 18, 2026
  • 4 views
BJP: ભાજપે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સનો સહારો લીધો પણ કોમેન્ટમાં લોકો કરી રહયા છે વિરોધ!

Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

  • April 18, 2026
  • 5 views
Dhandhuka News: ધંધુકામાં વધુ એક ભરવાડ યુવાનની હત્યા થતાં બે કોમના ટોળાં રસ્તા ઉપર ઉતર્યા! વાહનો-દુકાનોમાં આગચંપી! ધંધુકા પોલીસ છાવણીમાં ફેરવાયું

W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

  • April 18, 2026
  • 17 views
W.Bengal: બંગાળમાં મોદી-શાહની જોડી  મમતાના ગઢમાં ગાબડું પાડી શકશે ખરી? સ્થાનિક લોકો શુ કહે છે? જુઓ વિડીયો

Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

  • April 18, 2026
  • 11 views
Donald Trump: ઈરાને ફરી હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યુ, અમેરિકાએ કરારનું ઉલ્લંઘન કર્યાનો લગાવ્યો આરોપ

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!

  • April 18, 2026
  • 16 views
Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહેશે!