ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • Gujarat
  • October 26, 2025
  • 0 Comments

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ કરી દીધું છે અને

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવી રહયા છે તે જોતા આગામી ચૂંટણીઓનો અત્યારથીજ ચોકઠાં ગોઠવાઈ રહયા છે ત્યારે ભાજપના નવા જોગીઓની બરાબરની કસોટી થવાની છે.

ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલે ચાર્જ સંભાળી લીધો ત્યારબાદ નવું મંત્રી મંડળ બની ગયું પણ ભાજપમાં જે પહેલા જુસ્સો હતો તે હવે દેખાતો નથી અને છૂપો જૂથવાદ-અસંતોષ આ વખતે ભાજપને ભારે પડે તેવા સંકેત છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટી હાલમાં પોતાનું સ્થાન બનાવી રહી છે જેમાં ગોપાલ ઇટાલિયા ઘણું ડેવલોપ કરી રહયા છે તેઓના બોલવામાં એક પ્રકારે વજન અને આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ હજુતો ભાજપના નવા નેતાઓ સંગઠનમાં હજુ સેટ થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ખેડૂત આંદોલનને વેગવંતુ બનાવી દીધું છે.

બોટાદના હડદડની ઘટનાના ઊંડા પડઘા પડ્યા છે અને તે ઘટનાના પડઘા શાંત પડે તે પહેલાં ફરી લીંબડીના સુદામડામાં ખેડૂત મહાપંચાયત થવા જઈ રહ્યું છે જેનાથી તંત્રમાં પણ ચિંતા પ્રસરી છે.

રાજ્યમાં APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી હવે સરકાર સામે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં જણાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત તા. 12 ઓક્ટોબરના દિવસે બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું જે બાદમાં પોલીસે અને ખેડુતો વચ્ચે ઘર્ષણમાં ફેરવાઈ જતા અનેક પોલીસ કર્મચારીઓને વાગ્યુ તો પોલીસના લાઠીચાર્જમાં કેટલાક ગ્રામજનોને વાગ્યું જેના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા અને લોકોમાં આક્રોશ ફેલાયો.

આ ઘટનામાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ થઈ આ વાતથી  ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીએ ખુલ્લેઆમ સરકાર સામે બાયો ચડાવી દીધી છે.

હવે લીમડીના સુદામડા ગામે ગુજરાતમાં ખેડૂતો પર શોષણ થતું હોવાના આરોપ સાથે ન્યાય અપાવવા માટે ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યભરના ખેડૂતોને મોટી સંખ્યામાં આવવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું છે જે ભાજપ માટે ટેંશન વધારનારૂ છે કારણકે પોલીસ કાર્યવાહી પણ ભાજપના ઈશારે થતી હોવાના આક્ષેપ પણ લાગે છે.

ખાસ વાતતો એ છે કે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાયે ખેડૂત આંદોલન મુદ્દે મોટી જાહેરાત કરી છે.

રાજ્યની APMCમાં ચાલતી કડદા પ્રથા બંધ કરવા માટે આમ આદમી પાર્ટી ખેડૂતોની મહાપંચાયત યોજવા જઈ રહી છે. આગામી 31 ઓક્ટોબરના દિવસે ખેડૂતોની મહાપંચાયત યોજવાની જાહેરાત આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગોપાલ રાય દ્વારા કરવામાં આવી છે,સુરેન્દ્રનગરના લીમખેડા વિધાનસભા વિસ્તારમાં આવેલા સુદામડા ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાશે.

જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેવાના છે. તેમજ આ ખેડૂત મહાપંચાયતમાં રાજ્યભરના ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાશે.

ઉલ્લેખનીય છે કે સી.આર. પાટીલે લગભગ છ વર્ષથી પ્રદેશ ભાજપનું પ્રમુખપદ સંભાળ્યું છે અને પાટીલની આગેવાનીમાં ભાજપ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ, 2022ની વિધાનસભા ચૂંટણી અને 2024 લોકસભાની ચૂંટણી લડ્યો હતો. છેલ્લે લોકસભાની ચૂંટણીમાં ભાજપને કુલ 26માંથી 25 બેઠકો મળી હતી. હવે આગામી વર્ષમાં ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે.

ત્યાર પછી 2027માં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે જગદીશ વિશ્વકર્મા ની કસોટી થશે કારણ કે હવે તેઓના માથા ઉપર કાંટાળો તાજ છે અને સીઆર પાટીલ એકદમ હળવા થઈ ગયા છે અને સંગઠન હોય કે નિર્ણય તેમને લેવાનો રહેતો નથી અને હવે ક્યાંય દેખાતા પણ નથી ત્યારે નવા પ્રમુખ સામે હવે કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ શતરંજના દાવ ખેલવાની શરૂઆત કરી દીધી છે,ત્યારે ભાજપનો જૂથવાદ અને અસંતોષ ક્યાં જશે તેતો સમયજ કહેશે.

આ પણ વાંચો:

Gujarat Rain News: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા, જાણો ક્યા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા

Bihar Elections: JDUની મોટી કાર્યવાહી,પૂર્વ મંત્રી,ધારાસભ્ય સહિત 11 નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા!

Salman Khan Pakistan Terrorist :  બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને આતંકવાદી જાહેર કરતું પાકિસ્તાન;શુ સલમાન સામે એક્શન લેવાશે?

Rahul Gandhi attack on BJP : ભાજપની ગુનાહિત માનસ ધરાવતી સિસ્ટમે એક યુવા મહિલા ડોકટરનો ભોગ લીધો છે!: રાહુલ ગાંધી

 Rajasthan: ગુજરાતના યાત્રાળુંઓને બંધક બનાવતી રાજસ્થાનની સરકાર, અમિત ચાવડા બરાબરના ગર્જ્યા

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 5 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 6 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 7 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 10 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 13 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 11 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી