
UP BJP leader Murder: આજે શનિવારે સવારે ઉત્તર પ્રદેશના સહારનપુરના દિદૌલી ગામે ભાજપ નેતાની હત્યા થઈ ગઈ છે. પુત્રવધૂ તેના 65 વર્ષીય સસરા અને ભાજપ નેતા ધરમસિંહ કોરીને ચા આપવા પહોંચી ત્યારે તેણે ચીસો પાડી. ધરમસિંહનો લોહીથી લથપથ મૃતદેહ ખાટલા પર પડ્યો હતો. તેમને ખૂબ જ નજીકથી ગોળી મારી દેવામાં આવી હતી. આ સનસનાટીભર્યા હત્યાકાંડથી આખા ગામમાં ભય ફેલાયો છે. થોડીવારમાં ઘરની બહાર સેંકડો લોકોની ભીડ એકઠી થઈ ગઈ, અને ગામ શોકમાં ડૂબી ગયું. પોલીસ હવે ભાજપ નેતાની હત્યા પાછળના હેતુ અને તેને કોણે અંજામ આપ્યો તેની તપાસ કરી રહી છે.
ધરમ સિંહ કોરીને કોણે ગોળી મારી?
આ હત્યા પોલીસ માટે એક મોટો કોયડો બની ગઈ છે. પરિવાર અને ગ્રામજનોના મતે ધરમસિંહને કોઈના પ્રત્યે કોઈ દુશ્મનાવટ નહોતી. શાંત અને મૈત્રીપૂર્ણ વ્યક્તિ ધરમસિંહ 2014થી ભાજપમાં સક્રિય હતા અને હાલમાં અંભેટા મંડળના ઉપપ્રમુખ હતા. તેમનો પુત્ર સુશીલ, પાર્ટીના મંડળ મહાસચિવ પણ છે. પરિવાર આર્થિક રીતે પણ સદ્ધર છે. હત્યા પાછળનું કારણ અકબંધ છે. ધરમસિંહ કોરી અગાઉ બીએસપીમાં હતા. તેથી પોલીસ હવે તપાસ કરી રહી છે કે શું તેમની ભૂતકાળની રાજકીય પૃષ્ઠભૂમિ હત્યામાં પરિબળ હોઈ શકે છે.
ફટાકડાના અવાજ વચ્ચે હત્યા!
ઘટનાની રાત્રે ગામમાં લગ્ન હતા. પરિણામે મોડી રાત સુધી ફટાકડા ફૂટી રહ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ રાત્રે 2 વાગ્યાની આસપાસ બે મોટા વિસ્ફોટો સંભળાયા હતા, પરંતુ બધાએ તેમને લગ્નના ફટાકડા સમજી લીધા હતા. ફટાકડાના અવાજ વચ્ચે કોઈને શંકા નહોતી કે હત્યા થઈ રહી છે. ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કર્યા છે. પોલીસ હવે આ હત્યાની તપાસ વ્યક્તિગત દુશ્મનાવટ, રાજકીય વિવાદ અને જમીન વિવાદ સહિત દરેક ખૂણાથી કરી રહી છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોલીસ ટૂંક સમયમાં કેસ ઉકેલવાનો દાવો કરે છે.
આ પણ વાંચો:
UP: લગ્નને 8 વર્ષ, 3 બાળકોની માતા, છતાં મેરઠની કાજલ ખૂની બની, જાણો કેમ પતિને કેમ પતાવી દીધો?
યુપીમાં BJP નેતાની 45 વર્ષ જૂની દુકાન તોડી પડાઈ, રડતાં રડતાં કહ્યું મારા માટે પીડાદાયક
BJP ના 6 કોર્પોરેટર સામે પગલાં લેવા ખુદ ભાજપ પ્રમુખે CMને લખ્યો પત્ર!, જાણો શું છે મામલો?
Kutch: ગોપાલ ઈટાલિયાને જાહેર સભા સવાલ પૂછાયો, તો જાણો શું કહ્યું?









