Tirupati Temple: હદ થઈ ડેરીએ ભગવાનને બીજીવાર છેતર્યા!, તિરૂપતિ મંદિરમાં 5 વર્ષથી ભગવાનને નકલી પ્રસાદ ધરાવતો, CBIનો ખૂલાસો

  • Gujarat
  • November 10, 2025
  • 0 Comments

 Tirupati Temple  Prasad scam: તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમમાં ચઢાવવામાં આવતા લાડુ પ્રસાદમાં વપરાતા ઘી સાથે સંકળાયેલું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. CBIની તપાસમાં ખૂલાસો થયો છે કે ઉત્તરાખંડની એક ડેરીએ 5 વર્ષના સમયગાળામાં તિરુપતિ મંદિરને 6.8 મિલિયન કિલોગ્રામ નકલી ઘી સપ્લાય કર્યું હતું, જેની કિંમત આશરે રુ. 250 કરોડ હોવાનો અંદાજ છે. ભોલે બાબા ડેરી દ્વારા આ નકલી ઘી સપ્લાઈ કર્યું છે તે પહેલા પણ પકડાઈ હતી. તેને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ત્યારે સવાલ થાય છે કે બ્લેકલિસ્ટ કરવા છતાં મંદિર તંત્રએ ડેરીની પ્રોડક્ટ કેમ ખરીદવાની ચાલુ રાખી?

CBIની સ્પેશિયલ ટીમે નકલી ઘી સપ્લાય કરવા માટે જવાબદાર ડેરી ભોલે બાબા ઓર્ગેનિક ડેરી હતી, જેણે 2019 થી 2024 સુધી ઘી સપ્લાય કર્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે ડેરીએ ક્યારેય દૂધ કે માખણ ખરીદ્યું નથી, પરંતુ રસાયણોનો ઉપયોગ કરીને નકલી ઘી બનાવ્યું છે. ડેરીએ કૃત્રિમ ઘી બનાવવા માટે મોનોડાયગ્લિસરાઇડ્સ અને એસિટિક એસિડ એસ્ટર જેવા રસાયણોનો ઉપયોગ કર્યો હતો.

તપાસમાં ચોંકાવનારા ખૂલાસા

ડેરીનેરસાયણો પૂરા પાડનારા આરોપી અજય કુમાર સુગંધની ધરપકડ બાદ તપાસ એજન્સીએ આ માહિતી આપી હતી. આરોપી અજયની ધરપકડ બાદ ચોંકાવનારા ખૂલાસા સામે આવ્યા હતા. અજય કુમાર સુગંધે ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને મોનોડાઇગ્લિસરાઇડ્સ અને એસિટિક એસિડ એસ્ટર જેવા વિવિધ રસાયણો પૂરા પાડ્યા હતા. અજય કુમારે ઘણા વર્ષો સુધી ડેરીના ડિરેક્ટરો, પોમિલ જૈન અને વિપિન જૈન સાથે કામ કર્યું હતું. તેણે ખાનગી ડેરી લેબલ હેઠળ ટીટીડીને પૂરા પાડવામાં આવતા ઘીમાં ભેળસેળ કરવા માટે ઉપયોગમાં લેવાતા મુખ્ય રાસાયણિક ઘટકો પૂરા પાડ્યા હતા.

દૂધ ખરીદીના ખોટા રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યા

CBIના રિપોર્ટ મુજબ, ઉત્તરાખંડના ભગવાનપુરમાં આવેલીડેરીના સંચાલકો પોમિલ જૈન અને વિપિન જૈને નકલી દેશી ઘી યુનિટ સ્થાપ્યું હતું અને ખોટા દૂધ ખરીદી રેકોર્ડ બનાવ્યા હતા. 2022 માં ભોલે બાબા ડેરીને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા પછી પણ, તેઓએ વૈષ્ણવી ડેરી (તિરુપતિ), માલ ગંગા ડેરી (ઉત્તર પ્રદેશ) અને એઆર ડેરી ફૂડ્સ (તમિલનાડુ) જેવી અન્ય કંપનીઓ દ્વારા નકલી ઘી સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતુ.

ડેરીએ લેબલ બદલીને મંદિરમાં પાછું મોકલી દીધું

તપાસમાંપણ બહાર આવ્યું છે કે જુલાઈ 2023 માં TTD દ્વારા નકારવામાં આવેલા ઘીના ચાર ટેન્કર (ભેળસેળયુક્ત પ્રાણીની ચરબી ધરાવતા) ​​ભોલે બાબા ડેરી દ્વારા લેબલ બદલ્યા પછી ફરીથી મંદિરમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે FSSAI અને CBI ટીમે તમિલનાડુના ડિંડીગુલમાં AR ડેરી પ્લાન્ટની મુલાકાત લીધી, ત્યારે તેમને જાણવા મળ્યું કે નકારવામાં આવેલ ઘી પરત કરવામાં આવ્યું ન હતું પરંતુ વૈષ્ણવી ડેરી નજીક સ્થિત સ્થાનિક પથ્થર ક્રશિંગ યુનિટમાં મોકલવામાં આવ્યું હતું. ઓગસ્ટ 2024 માં, વૈષ્ણવી ડેરીએ તે જ ઘીનું પ્રોસેસિંગ કર્યું, લેબલ બદલ્યા અને તેને ફરીથી તિરુપતિ મંદિરમાં મોકલ્યું, જેનો ઉપયોગ પછી ભગવાન વેંકટેશ્વરના લાડુ પ્રસાદમાં થતો હતો.

સીબીઆઈએ તેના રિમાન્ડ રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ કેસ માત્ર છેતરપિંડી નથી પરંતુ ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલો ગંભીર ગુનો છે. એજન્સી હવે તપાસ કરી રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં ટીટીડીના કયા અધિકારીઓ સામેલ હતા.

લાડું ભેળસેળ કેસ

ગયા વર્ષે, આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોને પ્રસાદ તરીકે ચઢાવવામાં આવતા પ્રખ્યાત તિરુપતિ લાડુમાં કથિત ભેળસેળનો મામલો સામે આવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લાખો લોકોની શ્રદ્ધા સાથે સંબંધિત આ મામલો રાજકીય નાટકનો વિષય ન બનવો જોઈએ. આ અવલોકન સાથે, સુપ્રીમ કોર્ટે SIT તપાસનો આદેશ આપ્યો હતો.

આ વિવાદ બાદ, તિરુપતિ લાડુ અંગે ઘણા પ્રશ્નો ઉભા થયા. જોકે, મંદિર વ્યવસ્થાપન, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ ગયા વર્ષે 21 સપ્ટેમ્બરે દાવો કર્યો હતો કે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનો પ્રસાદ હવે સંપૂર્ણપણે શુદ્ધ અને પવિત્ર છે. અમે આ શુદ્ધતા જાળવવા માટે પ્રતિબદ્ધ છીએ. પશુ ચરબી અને માછલીના તેલ સાથે ઘીની ભેળસેળના આરોપો બાદ, TTD એ કહ્યું હતું કે, “શ્રીવરી લાડુની દિવ્યતા અને શુદ્ધતા હવે અકબંધ છે.”

આ પણ વાંચો:

તિરુપતિ મંદિર લાડુ વિવાદ: SITએ 4 લોકોની ધરપકડ કરી, પશુઓની ચરબીવાળું ઘી વેચતાં હતા, મુખ્યમંત્રીના આક્ષેપ સાચા!

 સૌથી ધનિક તિરુપતિ મંદિરમાં ટોકન લેવા પડાપડી, 6 ભક્તોના મોત, કેવી રીતે બની દુર્ઘટના?

 Rajkot: વીડિયો કોલ પર સતત વાતો કરી નર્સે બાળક માટે ઈન્જેક્શન તૈયાર કર્યું, પછી જે થયુ…

UP News: માતાના મૃત્યુ પછી પિતાએ ફરી કર્યા લગ્ન, હવે 15 વર્ષની ખુશીનો મૃતદેહ ફાંસીથી લટકતો મળ્યો, શું છે સમગ્ર મામલો?

અભિનેતા ધર્મેન્દ્રની તબિયત વધુ લથડી, વિદેશમાં રહેતી પુત્રીઓ ભારત આવવા રવાના | Dharmendra | Health

  • Related Posts

    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
    • June 18, 2026

    Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

    Continue reading
    Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!
    • June 18, 2026

    Gir Illegal Lion Show Veraval: ગીરના એશિયાટિક સિંહોની સુરક્ષાના ગર્વભેર દાવાઓ વચ્ચે વેરાવળમાં એક એવી ઘટના સામે આવી છે જેણે વન વિભાગની કામગીરી અને રાજકીય આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    • June 18, 2026
    • 2 views
    Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    • June 18, 2026
    • 5 views
    Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    • June 18, 2026
    • 7 views
    Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    • June 18, 2026
    • 7 views
    Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

    • June 18, 2026
    • 9 views
    Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

    Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો

    • June 18, 2026
    • 7 views
    Trump Iran Peace Deal: ઈરાન કરારથી અમેરિકામાં રાજકીય ભૂકંપ, ટ્રમ્પને પોતાની જ પાર્ટીમાંથી વિરોધનો સામનો