
Sanchar Saathi App Not Mandatory: કેન્દ્ર સરકારે મોબાઇલ ફોન પર “સંચાર સાથી” એપના પ્રી-ઇન્સ્ટોલેશનને ફરજિયાત બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતુંકે એપની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, સરકારે મોબાઇલ ફોન ઉત્પાદકોને સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો અપાયેલો આદેશ પરત ખેંચી લીધો છે.
જોકે,સરકારના ફરજિયાત એપ ડાઉનલોડ વાળી વાત આવતા લોકોના ભારે વિરોધ ઉઠ્યો હતો અને પ્રાઈવસી જોખમમાં મુકાય તેવી વાતો ઉઠતા ભારત સરકારે નવા ફોનમાં સરકારી સાયબર સિક્યૉરિટી ઍપ્લિકેશનને ફરજિયાત આપવાનો નિર્દેશ પાછો ખેંચી લીધો છે.
કેન્દ્ર સરકારે નવા સ્માર્ટફોનમાં ફરજિયાત રીતે સંચાર સાથી એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાનો નિર્ણય અંતે પરત ખેંચી લીધો છે.આ પગલું તે સમયે લેવામાં આવ્યું છે જ્યારે આદેશ જાહેર થતાં જ દેશભરમાં યુઝર્સની પ્રાઈવસીને લઈને ભારે વિરોધ શરૂ થયો હતો. સરકારનું કહેવું હતું કે આ એપ સાયબર સુરક્ષા મજબૂત કરવા માટે ફરજિયાત કરવામાં આવી હતી, પરંતુ વિરોધની તીવ્રતા અને એપની ડિલીટ કરવાની સ્વતંત્રતા અંગે ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આખું નિર્દેશ પાછું ખેંચવામાં આવ્યું. જો કે રસપ્રદ વાત એ છે કે માત્ર 24 કલાકમાં જ સંચાર સાથી એપને 6 લાખથી વધુ લોકોએ ડાઉનલોડ કરી લીધી છે, જે અગાઉની તુલનામાં 10 ગણો વધારો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકારે સ્માર્ટફોન ઉત્પાદકોને 28 નવેમ્બરના રોજ આદેશ આપ્યો હતો કે આગામી 90 દિવસમાં તમામ નવા મોબાઇલ ફોનમાં સંચાર સાથી એપ પ્રિ-ઇન્સ્ટોલ કરવી રહેશે અને પહેલાથી વેચાયેલા સ્માર્ટફોનમાંપણ સોફ્ટવેર અપડેટ દ્વારા આ એપ ફરજિયાત રીતે પહોંચાડવાની રહેશે. આ નિર્ણય બાદ એવી શંકાઓ ઊઠી હતી કે યુઝર્સ એપને પોતાની ઇચ્છા મુજબ ડિલીટ કરી શકશે કે નહીં. વિપક્ષે આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો હતો અને પ્રાઈવસીની ચિંતા અંગે સવાલ ઉઠાવતા આખરે સરકારે સ્પષ્ટ કર્યું કે એપ રાખવી ફરજિયાત નથી અને યુઝર ઈચ્છે તો તેને ડિલીટ કરી શકશે,આમ છતાં, વિવાદ ન અટકતાં સરકારે આખું પ્રી-ઇન્સ્ટોલેશન મોડલ જ પાછું ખેંચી લીધું છે
જોકે,દૂરસંચાર મંત્રાલયે જારી કરેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે સંચાર સાથી એપ લોકો સ્વયંભૂ ડાઉનલોડ કરી રહયા હોય તેના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઉત્પાદકો માટે તેને ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલ ન કરવા સરકારે નિર્ણય કર્યો છે
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!








