
18 જાન્યુઆરી – 2024ના દિવસે વડોદરાના વાઘોડિયા વિસ્તારમાંઆવેલી ન્યુ સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષક પ્રવાસે ગયા હતા. પ્રવાસમાં દરમિયાન હરણી તળાવમાં બોટીંગ દરમિયાન બાળકો વધારે ભરી દેતાં બોટ પલટી મારી ગઈ હતી. જેમાં 12 બાળકો અને 2 શિક્ષકો મળી કુલ 14ના મોત થયા હતા. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ પૂર્ણ થયું છતાં પરિવારોને ન્યાય મળ્યો નથી. ભ્રષ્ટાચારી તંત્ર સામે પરિવારો લાચાર બન્યા છે. વ્હાલસોયાઓને ગુમાવનારા માતા-પિતા, ભાઈ આજે પણ પોકે પોકે રડી પોતાની વેદનાઓ ઠાલવી રહ્યા છે.
ત્યારે આજે ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં પરિવારજનો અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં ન્યાયયાત્રા યોજવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ કાર્યકરો, તમામ વાલીઓ પોસ્ટ અને બેનર સાથે ન્યૂ સનરાઇઝ સ્કૂલ સામે એકત્રિત થયા હતા. શાળા સંચાલકો દ્વારા પહેલેથી જ પોલીસ બોલાવી લેવામાં આવી હતી. તેમણે શાળા નજીક બાળકોને શ્રધ્ધાંજલી પાઠવી હતી. પરિવારોને ન્યાય ન મળતાં વાલીઓ રડવાની સાથે સ્કૂલ સંચાલકો સામે રોષ ઠાલવી રહ્યા છે.
એક પરિજને આક્ષેપ છે કે અમે બાળકો શિક્ષકોને જવાબદારીએ મોકલ્યા હતા. તેઓ હવે હાથ ઉંચા કરી રહ્યા છે. લક્ઝરી બસમાં 56ની સીટ હોવા છતાં 90 વિદ્યાર્થીઓને ભરીને લઈ જવાયા હતા. જો કે બાળકોને ઓવર લોડ ભર્યા હોવા છતાં સંચાલક મારી ભૂલ ન હોવાનું જણાવી રહ્યા છે.
આ પણ વાંચોઃAHMEDABAD: ગેરકાયદેસર બનાવેલા કોમ્લેક્ષ પર ફર્યું બુલડોઝર, અમિત શાહે ઉઠાવ્યો હતો મુદ્દો