Rajkumar Jat Case: ગણેશ ગોંડલનો તા.13 ડિસેમ્બર સુધી ચાલશે નાર્કોટેસ્ટ! શુ હોય છે આ નાર્કોટેસ્ટ? જાણો

  • Gujarat
  • December 9, 2025
  • 0 Comments

Rajkumar Jat Case: ગોંડલના ચકચારી રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે.

મહત્વનું છે કે રાજકુમાર જાટ કેસમાં ગત તા.5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી.જેને પગલે હવે ગણેશ ગોંડલનો 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવનાર છે,નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL) ખાતે લઈ જવામાં આવ્યો છે જ્યાં ગણેશ ગોંડલની આજે તા. 9મી ડિસેમ્બરથી મેડિકલ પ્રોસેસ ચાલુ થશે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે તા.8 ડિસેમ્બર, 2025ના રોજ મોડી રાત સુધીમાં એફએસએલ ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરી દેવાઈ છે અને આજે તા.9મી ડિસેમ્બરથી સતત ચાર દિવસ સુધી ગણેશ ગોંડલ ઉપર અલગ-અલગ ટેસ્ટ થશે.

રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ) ખાતે લાવવામાં આવ્યો છે અને આજે સોમવારથી શરૂ થયેલી નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા આગામી તા. 12થી 13 ડિસેમ્બર સુધી ચાલશે.

■નાર્કો ટેસ્ટ શુ હોય છે તે જાણો

નાર્કો ટેસ્ટ દરમિયાન જેનો ટેસ્ટ કરવાનો હોય છે એ વ્યક્તિને સોડિયમ પેન્ટોથલ નામની દવાનું ઈન્જેક્શન આપવામાં આવે છે. જે ઈન્જેક્શન અપાતાન તે વ્યક્તિની વિચારશક્તિ એક ચોક્કસ અવસ્થામાં આવી જાય છે. આ ટેસ્ટ સમયે તે અર્ધ બેભાનની સ્થિતિમાં હોય છે. દવાની અસરથી તેની જુઠુ બોલવાની શકયતા પણ ઘટી જાય છે ત્યારબાદ એક્સપર્ટ દ્વારા કેસને લગતા સવાલો કરે છે. આ સમયે તે વ્યક્તિના હાવભાવની સ્થિતિને ખાસ ધ્યાને લેવામાં આવે છે.

ગોંડલ સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનાર રાજ કુમાર જાટ અપમૃત્યુ કેસની તપાસ હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે જેમાં નાર્કોટેસ્ટ પદ્ધતિથી પુરાવા એકત્ર કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

The employee drank poison due to the SIR’s workload:મેરઠમાં સિંચાઈ વિભાગના BLO કર્મચારીએ SIR કામગીરીથી ત્રસ્ત થઈ ઝેર પી લીધુ!

Cylinder blast in Goa: ગોવાની નાઈટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 25 લોકોના મોત!

Babri Masjid: હુમાયુએ બંગાળમાં ‘બાબરી મસ્જિદ’નો પાયો નાખ્યો! ચેલેન્જ કરતા કહ્યું”કોઈ અહીંથી એક ઈંટ પણ ખસેડી નહીં શકે!”

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન
  • March 19, 2026

Mini storm: રાજ્યમાં સાયકલોનિક સર્ક્યુલેશન,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ સર્જાયો છે સમગ્ર રાજ્યમાં ધૂળની ડમરી સાથે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે.વડોદરામાં પણ સાંજના સમયે ધૂળની…

Continue reading
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!
  • March 19, 2026

■ શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમમાં જ નકલી નોટો છાપવાનું ચાલુ કરી ફોર્ચ્યુનર ગાડી ઉપર ‘ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા આયુષ મંત્રાલય’નું બોર્ડ ઠપકારી હેરાફેરી ચાલુ કરી પણ વટાણા વેરાઈ ગયા અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 15 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!