Politics News: મોદી સરકારની નામ બદલવાની ‘રાજનીતિ’માં જનતાના કરોડો રૂપિયાનું આંધણ થઈ જશે! જાણો કેવી રીતે?

  • India
  • December 18, 2025
  • 0 Comments

Politics News: આજકાલ દેશમાં મોદી સરકારની નામ બદલવાની જે મગજ ઉપર ધૂન સવાર થઈ છે તે અંગે સામાન્ય નાગરિક પણ વિચારતો થયો છે કે ‘આખિર નામ મે કયા રખ્ખા હૈ?’ પણ આતો ગજબની રાજહઠ કહો કે રાજનીતિ પણ શરૂ જરૂર થઈ ચુકી છે અને અલગ અલગ નામો બદલવામાં આવી રહયા છે પરંતુ આ બધી પ્રક્રિયા પાછળ જે ખર્ચ થવાનો છે તે કરોડો રૂપિયાનો ખર્ચ મામલે બુદ્ધિજીવી વર્ગમાં તર્ક ઉઠ્યો છે કે આ નામ બદલવાની નીતિરિતીમાં કરોડોનું આંધણ થશે.

આ નાણાં વિકાસના કાર્યમાં કે યોજનાને અપડેટ કરવામાં વાપરવાના બદલે સમય અને જનતાના નાણાંનો વેડફાટ સિવાય કંઈ નહીં હોવાનું જણાય રહ્યું છે.

મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના નાબૂદ કરી સંપૂર્ણપણે નવો કાયદો અને નવા નામ સાથે નવી ઓળખ અમલમાં લાવવા સરકારે પ્રયાસો શરૂ કરતાં વિપક્ષ દ્વારા તેનો વિરોધ શરૂ થયો છે.હાલમાં મનરેગાનું નામ બદલવા મુદ્દે ઘમાસાણ મચ્યું છે પણ જો સહેજેય ખર્ચની બાબતમાં વિચાર કરવામાં આવેતો યોજનાનું નામ બદલાય એટલે બધું બદલવું પડે જેમકે શ્રમિકોને અપતા જોબકાર્ડથી લઈ સ્ટેમ્પ,લેટરપેડથી માંડી ગ્રામ પંચાયતોમાં અને જિલ્લા પંચાયતોના બોર્ડ, દીવાલો ઉપરની જાહેરાતો, સ્ટેશનરી,ડિજિટલ ઈન્ફર્મેશન બધું જ બદલવું પડે આ બધું લાગે છે સહેલું પણ છે નહીં.

હવે બધું ડિજિટલ થઈ જતા વેબસાઈટના ડોમેન બદલવાથી લઈ મોબાઈલ એપ્સના ઈન્ટરફેસ, ડેટાબેઝના હેડર, તમામ ડિજિટલ ઈમ્પ્રેશનના નામ, કરોડો શ્રમિકોના બેન્ક ખાતા સાથે જોડાયેલી પેમેન્ટની સ્લિપ અને ફોર્મેટના નામ બદલવાની જરૂર ઉભી થશે આ માટે મોટો ખર્ચ થવાનો છે.

આ આખી પ્રોસેસમાં કરોડો રૂપિયાની બરબાદી થશે,જેમકે અંદાજે 25 કરોડ શ્રમિકોના જોબકાર્ડ કે જે હાલ મનરેગાના લોગો વાળા છે જે યોજના બદલાતા તે રદ્દ થઈ જશે આ નવી યોજનાના નવા લોગો અને નામ વાળા બનાવવાનો ખર્ચો જ 500 કરોડ રૂપિયા થઈ જાય આ ઉપરાંત ગ્રામ પંચાયતોની દીવાલો ઉપરની જૂની જાહેરાતો દૂર કરી નવી જાહેરાત કરવાનો ખર્ચ 250 કરોડ રૂપિયા થઈ શકે.

આ સિવાય 700 જિલ્લાના 7000 બ્લોકમાં તમામ રબર સ્ટેમ્પ, લેટરહેડ, રજિસ્ટર, મસ્ટર રોલ, ફાઈલ કવરો, અરજી પત્રકો, ઓફર લેટર અને અન્ય કોમ્યુનિકેશન માટે વપરાતા પત્રો અને સ્ટેશનરી અને સામગ્રી નવી બનાવવાનો ખર્ચ માંડવામાં આવેતો રૂપિયા 150 કરોડ થશે, યોજનાના રી બ્રાન્ડિંગનો ખર્ચો 400 થી 500 કરોડ થવાનો સહેજેય અંદાજ છે એટલુંજ નહિ પણ આ બધું એકજ ઝાટકે થતું નથી તેને અમલમાં લાવતા મહિનાઓ નીકળી જશે જેમાં A ટુ Z ફેરફાર કરવા કર્મચારીઓ પણ રોકાયેલા રહેતા રોજિંદા કામો અટવાઈ શકે.

મનરેગા માત્ર એક કલ્યાણકારી યોજના નથી, પરંતુ સંસદ દ્વારા પસાર કરાયેલી કાનૂની ગેરંટીનો એક ભાગ છે જેમાં બંધારણીય સુધારા વધારા કરવાના હોય છે.જેમાં દેશવ્યાપી મોટો ખર્ચ થશે.આમ, સમય સાથે કરોડો રૂપિયાની બરબાદી સિવાય બીજું કંઈ નહીં હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

હવે મનરેગા યોજનાનું નામ વીબી જી રામ જી કરવા પાછળ શુ રાજકીય લાભ થશે તેતો સરકારને ખબર પણ આ બધું કરવા પાછળનો ખર્ચ અને સમય સમજવા જેવો છે.મહત્વનું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ એટલે કે મનરેગા દુનિયાની સૌથી મોટી સોશિયલ સિક્યોરિટી સ્કીમ ગણાય છે.

મનરેગા યોજનાને તત્કાલીન મનમોહન સરકારે શરૂ કરી હતી અને શરૂઆત આ યોજનાનું નામ નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ હતું ત્યારબાદ નામ બદલીને મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કરાયું હતું આ યોજના એક ઇન્ડિયન લેબર લો અને સોશિયલ સિક્યોરિટીનો છે જેનો ઉદ્દેશ્ય શ્રમિકોને કામ કરવાનો અધિકારની ગેરંટી આપવાનો છે.

દેશના કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દરેક ગામડામાં આ યોજના હાલ અમલમાં છે જેમાં લગભગ ૨૫ કરોડ શ્રમિકો આ યોજના સાથે જોડાયેલા છે આ પૈકીના ૧૪.૩૩ કરોડ શ્રમિકો સતત રોજગારી મેળવી રહયા છે. આ યોજનામાં દેશની ૨.૬૯ લાખ ગ્રામ પંચાયતો, ૭,૦૦૦થી વધારે બ્લોક અને ૭૦૦થી વધારે જિલ્લામાં અમલમાં છે ત્યારે સહેજેય કલ્પના કરી શકાય કે માત્ર નામ બદલવામાં કેટલું બધું બદલવું પડશે જે આખા દેશને લાગુ પડે છે અને આખી એક સિસ્ટમનો ભાગ છે.

આ પણ વાંચો:

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Padaliya News:બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત
  • April 16, 2026

Lucknow: ઉત્તર પ્રદેશના લખનૌમાં આવેલ વિકાસ નગરની એક વિશાળ ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગતા જોત જોતામાં 1000થી વધુ ઝુંપડાઓ આગની ઝપેટમાં આવી જતા ઝૂંપડાઓમાં રહેલા 100 જેટલા ગેસ સિલિન્ડર જીવતા બૉમ્બની…

Continue reading
New Chief Minister of Bihar: બિહારના નવા CM તરીકે સમ્રાટ ચૌધરીના નામની મહોર ; તા.15 એપ્રિલે લેશે શપથ
  • April 14, 2026

New Chief Minister of Bihar: બિહારના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે અને બિહારના નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીના નામ ઉપર મહોર વાગી ચૂકી છે સમ્રાટ ચૌધરીને ભાજપના ધારાસભ્ય દળના નેતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

  • April 16, 2026
  • 6 views
Election News: મધુ શ્રીવાસ્તવે ભાજપ નેતાઓને કહ્યું, “તમારા બેનરો અહીંથી હઠાવી દેજો નહીંતો ચૂંટણી પછી તમને કોઈ બચાવવા નહિ આવે!”

Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

  • April 16, 2026
  • 7 views
Lucknow: લખનૌમાં 100 ગેસ સિલિન્ડર બૉમ્બ બની ફાટયા! 1000 પરિવારો નિરાધાર બન્યા! બે માસુમ બાળકોના કરુણ મોત,50 અબોલ જીવોના પણ અરેરાટી ભર્યા મોત

Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

  • April 16, 2026
  • 7 views
Bengal: પ.બંગાળમાં ભાજપ-RSSનો હિન્દુત્વનો એજન્ડા કામ લાગશે ખરો??જુઓ,પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે!

Gujarat Election: ભાજપનો ચૂંટણી પહેલા 700 બેઠકો પર કબ્જો! જગદીશ પંચાલ ફોર્મમાં આવી ગયા! જયરાજ સિંહ જાડેજાએ કહ્યું ” કોંગ્રેસના મિત્રોનો ‘સહકાર’ રહ્યો!” જુઓ વિડીયો

  • April 16, 2026
  • 16 views
Gujarat Election: ભાજપનો ચૂંટણી પહેલા 700 બેઠકો પર કબ્જો! જગદીશ પંચાલ ફોર્મમાં આવી ગયા! જયરાજ સિંહ જાડેજાએ કહ્યું ” કોંગ્રેસના મિત્રોનો ‘સહકાર’ રહ્યો!” જુઓ વિડીયો

Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!

  • April 15, 2026
  • 9 views
Election: રાજ્યમાં ભારે અફરા-તફરી વચ્ચે કુલ 938 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા! કોંગ્રેસના ઉમેદવારોની “નીતિ” સામે ઉઠ્યા સવાલ!

Vadodara: ડભોઈમાં ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસના સુધીર બારોટ જાહેરમાં બાખડયા!

  • April 15, 2026
  • 14 views
Vadodara: ડભોઈમાં ભાજપના ધારાસભ્ય શૈલેશ સોટ્ટા અને કોંગ્રેસના સુધીર બારોટ જાહેરમાં બાખડયા!