
PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે અને તેથીજ ભારતીયો વિદેશમાં ભાગી રહયા છે, આપણા દેશની સરખામણીમાં વિદેશમાં અમેરિકા, કેનેડા, યુકે, યુરોપિયન દેશોમાં નાગરિકોને પાયાની અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે,જેમકે મફત શિક્ષણ,મફત આરોગ્ય સેવા તે પણ આપણા સરકારી વિભાગ જેવું નહીં પણ ઉચ્ચ કવાલિટીનું શિક્ષણ અને આરોગ્ય સેવા ઉપરાંત રોજગારી આ સિવાય પાયાની તમામ જવાબદારી કોઈપણ સરકાર હોય તેઓ જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે અને એટલે જ ભારતીયો વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરવા લાગ્યા છે.
ભારત કરતા વિદેશમાં ઉચ્ચ જીવનધોરણ અને સુરક્ષા મળે છે, વિદેશમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ વધુ અદ્યતન હોય છે, જ્યાં પ્રેક્ટિકલ નોલેજ અને સંશોધન (Research) પર ભાર મૂકવામાં આવે છે ઉપરાંત ઘણી જગ્યાએ મફત અથવા સસ્તી આરોગ્ય સેવાઓ, વધુ સારા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે જાહેર પરિવહન (Public Transport): સમયબદ્ધ બસો, ટ્રેનો અને મેટ્રો સેવાઓ, જે ભારતના ટ્રાફિક અને પરિવહનની મુશ્કેલીઓ કરતા ઘણી સારી છે.
વધુ સારા રસ્તા, પાર્ક અને નિયમિત કચરા નિકાલ જેવી પાયાની સુવિધાઓ હોય છે કુશળ કામદારો માટે વધુ સારા પગાર ધોરણો (Higher Salary) અને નોકરીની સુરક્ષા હોય છે સરકારી કામકાજમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર હોતો નથી જે સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવે છે.
અહીં ભેળસેળયુ વેચી શકાતું નથી તેથી ઉચ્ચ ક્વોલિટીની ખાદ્ય ચીજ વસ્તુઓ મળે છે ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાય છે આ સુવિધાઓના કારણે દર વર્ષે લાખો ભારતીયો વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે સિનિયર પત્રકાર મયુર જાનીએ આ અંગે હાલ કેનેડા ગયેલા વરિષ્ઠ પત્રકાર ડો.રાકેશજી સાથે ચર્ચા કરી ત્યારે તેઓએ કેનેડા અને ભારત વચ્ચેની સ્થિતિ અંગેનું વિસ્તુત વિશ્લેષણ કર્યું હતું જે જોવા માટે જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો








