PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

PM Modi: ભારતમાં રાજકારણમાં પ્રસરી ગયેલી ગંદકીને કારણે સામન્ય નાગરિકોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે,મોંઘવારી,બેરોજગારી, મોંઘુ શિક્ષણ, મોંઘી દવા વગરે જનતાના માથે થોપી દઈ નેતાઓ રાજ કરી રહયા છે અને તેથીજ ભારતીયો વિદેશમાં ભાગી રહયા છે, આપણા દેશની સરખામણીમાં વિદેશમાં અમેરિકા, કેનેડા, યુકે, યુરોપિયન દેશોમાં નાગરિકોને પાયાની અને અદ્યતન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે,જેમકે મફત શિક્ષણ,મફત આરોગ્ય સેવા તે પણ આપણા સરકારી વિભાગ જેવું નહીં પણ ઉચ્ચ કવાલિટીનું શિક્ષણ અને આરોગ્ય સેવા ઉપરાંત રોજગારી આ સિવાય પાયાની તમામ જવાબદારી કોઈપણ સરકાર હોય તેઓ જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી આપે છે અને એટલે જ ભારતીયો વિદેશમાં સ્થાયી થવાનું પસંદ કરવા લાગ્યા છે.

ભારત કરતા વિદેશમાં ઉચ્ચ જીવનધોરણ અને સુરક્ષા મળે છે, વિદેશમાં શાળાઓ અને યુનિવર્સિટીઓ વધુ અદ્યતન હોય છે, જ્યાં પ્રેક્ટિકલ નોલેજ અને સંશોધન (Research) પર ભાર મૂકવામાં આવે છે ઉપરાંત ઘણી જગ્યાએ મફત અથવા સસ્તી આરોગ્ય સેવાઓ, વધુ સારા હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે જાહેર પરિવહન (Public Transport): સમયબદ્ધ બસો, ટ્રેનો અને મેટ્રો સેવાઓ, જે ભારતના ટ્રાફિક અને પરિવહનની મુશ્કેલીઓ કરતા ઘણી સારી છે.

વધુ સારા રસ્તા, પાર્ક અને નિયમિત કચરા નિકાલ જેવી પાયાની સુવિધાઓ હોય છે કુશળ કામદારો માટે વધુ સારા પગાર ધોરણો (Higher Salary) અને નોકરીની સુરક્ષા હોય છે સરકારી કામકાજમાં પારદર્શિતા અને ભ્રષ્ટાચાર હોતો નથી જે સામાન્ય નાગરિકોનું જીવન સરળ બનાવે છે.

અહીં ભેળસેળયુ વેચી શકાતું નથી તેથી ઉચ્ચ ક્વોલિટીની ખાદ્ય ચીજ વસ્તુઓ મળે છે ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરાય છે આ સુવિધાઓના કારણે દર વર્ષે લાખો ભારતીયો વિદેશમાં સ્થાયી થવા માટે ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે સિનિયર પત્રકાર મયુર જાનીએ આ અંગે હાલ કેનેડા ગયેલા વરિષ્ઠ પત્રકાર ડો.રાકેશજી સાથે ચર્ચા કરી ત્યારે તેઓએ કેનેડા અને ભારત વચ્ચેની સ્થિતિ અંગેનું વિસ્તુત વિશ્લેષણ કર્યું હતું જે જોવા માટે જુઓ વિડીયો.

આ પણ વાંચો:

Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો

Narendra Modi: “હાર કર ભી જીતને વાલે કો હી બાઝીગર કહેતે હૈ!” મહિલા અનામતનો મુદ્દો હવે દરેક ચુંટણીઓમાં ગુંજતો રહશે!

CIA: અમેરિકાના વૈજ્ઞાનિકોનું શુ થયું? ભારતના બે વૈજ્ઞાનિકોની થિયરી કઈક આવીજ હતી! CIAનો તેમાં હાથ હતો? જાણો

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ
  • April 27, 2026

Mamta Banerjee: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 (West Bengal Assembly Elections 2026) ને લઈને રાજકીય વાતાવરણ ગરમ છે અને ભાજપ તથા તૃણમૂલ કોંગ્રેસ (TMC) વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો…

Continue reading
PM Modi: નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલતા મધુ કિશ્વરને પોલીસનું તેંડુ! કિશ્વરે કહ્યું “મારી સાથે કંઈપણ થઈ શકે છે!” પણ હું ચૂપ નહિ બેસું! જુઓ વિડીયો
  • April 25, 2026

PM Modi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ છેલ્લા ઘણાજ સમયથી નિવેદન આપી રહેલા પ્રખ્યાત લેખિકા અને શિક્ષણવિદ્ મધુ કિશ્વરને હવે ચંદીગઢ પોલીસનું તેંડુ આવ્યું છે, આ મામલે જ્યારે વરિષ્ઠ પત્રકાર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર

  • April 27, 2026
  • 3 views
Election: રાજ્યમાં 70 સ્થળે મતદાનનો જનતામાં વિરોધ:310 બૂથમાં મતદાનનો બહિષ્કાર

Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ

  • April 27, 2026
  • 8 views
Surat News: સુરતમાં SBI બેંકમાં ₹50 લાખની લૂંટ

Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

  • April 27, 2026
  • 10 views
Sagar Rabari: ખેડૂત અગ્રણી સાગર રબારીનું AAPમાંથી રાજીનામુ!

AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

  • April 27, 2026
  • 14 views
AAP: રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 113 થઈ ગઈ! બાગી સભ્યોને મળી માન્યતા! ચઢ્ઢાએ કહ્યું,”આપ” પોતાના ફાયદા માટે કામ કરે છે!

PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

  • April 27, 2026
  • 7 views
PM Modi: ભારતમાં નેતાઓને “ટેસડા” અને જનતાનો “મરો” છે પણ વિદેશમાં જનતાને ફર્સ્ટ પ્રાયોરિટી અપાય છે! ક્યારે સુધરશે આપણું તંત્ર?

Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ

  • April 27, 2026
  • 16 views
Mamta Banerjee: બંગાળમાં કોણ જીતે છે? અમિત શાહના દાવામાં કેટલું સત્ય? ગુજરાતની ચૂંટણીઓ લેખાજોખા,જુઓ ખાસ વિશ્લેષણ