
જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતે ખરીદેલા GSFCના સરદાર ડીએપી ખાતરમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા છે. જેથી ખેતીવાડી વિભાગ અને ખાતર સપ્લાય કરી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનમાં ખળભળાટ મચી ગયો છે. સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ આપવામાં આવ્યા છે.
રાજોકટમાં ખાતરના વધતાં ભાવ વચ્ચે રાજપરા ગામના ખેડૂત ભીખાભાઈ વરસાણી સાથે છેતરપીંડી થઈ છે. ખેડૂત ભીખાભાઈએ ખરીદેલા ખાતરમાંથી પથ્થર અને કાકરાં નીકળ્યા છે. ભીખાભાઈએ થેલી ખોલી અને વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. રાજપરાના ખેડૂત 16 કિ.મી. દૂરથી આવી જામકંટોરાણાની મધુવન એગ્રોમાંથી 2 થલી ખાતર(રુ. 2700) ખરીદ્યું હતુ. ઘરે જઈ ખોલતાં જ ખાતરની થેલીમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા હતા. જેથી ખાતરના સેમ્પલ લીધા છે, તેમજ બાકીનો જથ્થો ન વેચવા આદેશ આવ્યો છે.
ખેડૂત ભીખાભાઈએ આ મામલે ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરી છે તેમજ તાલુકા મામલતદારને પણ ફરિયાદ કરી છે. ખેતીવાડી અધિકારીથી માંડી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ છે.
જુઓ ખેડૂતે શું કહ્યું?
આ પણ વાંચોઃ Ahmedabad: GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખૂલ્લો મૂકાયો