હૈદરાબાદ: 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપના ચેરમેનની પૌત્રએ ચાકુના 73 ઘા મારીને કરી હત્યા

  • India
  • February 10, 2025
  • 1 Comments
  • હૈદરાબાદ: 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપના ચેરમેનની પૌત્રએ ચાકુના 73 ઘા મારીને કરી હત્યા

હૈદરાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. મિલકતના વિવાદને કારણે 28 વર્ષીય કીર્તિ તેજાએ તેના 86 વર્ષીય દાદા વીસી જનાર્દન રાવની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. તેજાએ તેના દાદાને 73 વાર ચાકુના ઘા માર્યા હતા. તે ઉપરાંત માતા પર પણ હુમલો કર્યો હતો.

જનાર્દન રાવ 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને એમડી હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને કેસની તપાસ ચાલુ છે.

મિલકતનો વિવાદ હત્યાનું કારણ બન્યો

વીસી જનાર્દન રાવે તાજેતરમાં જ તેમની મોટી પુત્રીના પુત્ર શ્રી કૃષ્ણાને વેલજન ગ્રુપના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. તેમણે પોતાની બીજી પુત્રી સરોજિનીના પુત્ર કીર્તિ તેજાને 4 કરોડ રૂપિયાના શેર ટ્રાન્સફર કર્યા હતા. તેજા આ નિર્ણયથી નારાજ હતો અને તે પોતાની નારાજગી વ્યક્ત કરવા તેના દાદાના ઘરે ગયો હતો. વાતચીત દરમિયાન વિવાદ વધી ગયો અને તેજાએ ગુસ્સામાં આવીને તેના દાદા પર છરી વડે હુમલો કર્યો.

ગુસ્સામાં આવીને ક્રૂરતાથી હત્યા કરાઈ

ગુરુવારે રાત્રે તેજા તેની માતા સરોજિની દેવી સાથે તેના દાદાના ઘરે ગયો હતો. જ્યારે તેની માતા ચા બનાવવા રસોડામાં ગઈ ત્યારે તેણે તેના દાદા સાથે કંપનીમાં ડિરેક્ટરના પદ અંગે દલીલ શરૂ કરી હતી. આ દરમિયાન તેનો ગુસ્સો વધી ગયો અને તેણે છરી કાઢીને દાદા પર હુમલો કર્યો. ગુસ્સામાં આવીને તેણે 73 ચાકુન ઘા માર્યા હતા.

આ હુમલો એટલો ભયંકર હતો કે જનાર્દન રાવનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું.

માતા પણ હુમલાનો ભોગ બની

જ્યારે તેજાની માતા સરોજિની દેવી દરમિયાનગીરી કરવા આવી ત્યારે તેણે તેના પર પણ હુમલો કર્યો. સરોજિની દેવીને છરીના ચાર ઘા વાગ્યા છે. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોના મતે, તેમની હાલત હવે સ્થિર છે, પરંતુ તેઓ હજુ પણ આઘાતમાં છે. આ ઘટનાએ આખા પરિવારને હચમચાવી નાખ્યો છે.

હત્યા બાદ ભાગવાનો પ્રયાસ

હત્યા બાદ તેજાએ સ્થળ પર હાજર સુરક્ષા ગાર્ડને ધમકી આપી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો. પરંતુ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને તેની ધરપકડ કરી હતી. કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે તપાસ ચાલુ છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ડ્રગના ઉપયોગની પણ તપાસ ચાલી રહી છે

કેટલાક અહેવાલો અનુસાર, હત્યા સમયે તેજા નશામાં હતો. પોલીસ તે તપાસ પણ કરી રહી છે કે શું તે ડ્રગ્સના નશામાં હતો. પોલીસ આરોપીના લોહીના નમૂનાની તપાસ કરી રહી છે અને રિપોર્ટ આવ્યા બાદ આ કેસમાં નવા ખુલાસા થઈ શકે છે.

જનાર્દન રાવ તેમની સામાજિક સેવા માટે જાણીતા હતા

વીસી જનાર્દન રાવ માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહોતા, પરંતુ એક મહાન સમાજસેવક પણ હતા. તેમણે સરકારી જનરલ હોસ્પિટલ, એલુરુ અને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને મોટી રકમનું દાન કર્યું. તેમના મૃત્યુથી ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રના લોકો પણ આઘાતમાં છે.

આ પણ વાંચો- મહારાષ્ટ્રના રાજકારણમાં કેમ થવા લાગી છે હલચલ? ફડણવીસ-ઉદ્ધવ વચ્ચે બંધ બારણે બેઠક

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

One thought on “હૈદરાબાદ: 460 કરોડ રૂપિયાના વેલ્જન ગ્રુપના ચેરમેનની પૌત્રએ ચાકુના 73 ઘા મારીને કરી હત્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 9 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 10 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી