
- કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં લાગુ કર્યુ રાષ્ટ્રપતિ શાસન
કેન્દ્ર સરકારે ગુરુવારે મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું છે. 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.
રાજ્યમાં 21 મહિના (3 મે, 2023)થી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાને કારણે બિરેન સિંહ પર રાજીનામું આપવાનું ભારે દબાણ હતું. વિપક્ષી પક્ષો પણ આ મુદ્દા પર NDA પર સતત સવાલ ઉઠાવી રહ્યા હતા.
ITLFએ કહ્યું- અમારી માગ અલગ વહીવટની કુકી સમુદાયના ITLF સંગઠનના પ્રવક્તા ગિન્જા વૂલજોંગે જણાવ્યું હતું કે, બિરેન સિંહે મણિપુર વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવમાં હારના ડરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં તેમની એક ઓડિયો ટેપ લીક થઈ હતી, જેની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી છે. આવી સ્થિતિમાં, ભાજપ માટે પણ તેમને બચાવવા મુશ્કેલ લાગે છે.
બિરેન સિંહ મુખ્યમંત્રી રહે કે ન રહે, અમારી માગ અલગ વહીવટની છે. મૈતેઈ સમુદાયે અમને અલગ કરી દીધા છે. હવે આપણે પીછેહઠ કરી શકીએ નહીં. ઘણું લોહી વહી ગયું છે. ફક્ત રાજકીય ઉકેલ જ આપણી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે. કુકી સમુદાય હજુ પણ અલગ વહીવટની માગ પર અડગ છે.
આ પણ વાંચો- વક્ફ બિલ મુદ્દે સંસદમાંથી વિપક્ષનો વોકઆઉટ; કહ્યું- ‘655 પાનાનો રિપોર્ટ એક રાતમાં કેવી રીતે વાંચીએ?’