US Deportation: 112 ભારતીયોને લઈ અમેરિકાથી ત્રીજી ફ્લાઈટ અમૃતસર પહોંચી, 33 ગુજરાતી ડિપોર્ટ

  • India
  • February 17, 2025
  • 2 Comments

US Deportation: ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં લોકોનો દેશનિકાલ કરાઈ રહ્યો છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતાં 112 ભારતીયોને લઈને સતત ત્રીજું વિમાન પંજામના અમૃતસરમાં પહોંચ્યું છે. જેમાં 33 ગુજરાતી હોવાનું કહેવાય છે. અત્યાર સુધી અમેરિકામાંથી કુલ 332 ભારતીયોને દેશનિકાલ કરાયો છે.

યુએસ એરફોર્સ વિમાનનું RCH869 વિમાન રાત્રે 10 વાગ્યે 112 ભારતીયોને લઈ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતુ. આ તમામ લોકોને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હેઠળ ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનો આ ત્રીજો મોટો તબ્બકો છે.

24 કલાક પહેલા જ બીજી ફ્લાઈટ ઈમિગ્રન્ટ્સને લઈ આવી હતી

24 કલાક પહેલા જ અમેરિકાથી 116 ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને બીજુ વિમાન વિમાન અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. ફ્લાઇટ તેના નિર્ધારિત સમય કરતાં મોડી પહોંચી અને રાત્રે 10 વાગ્યાને બદલે 11:35 વાગ્યે ઉતરાણ કર્યું હતુ. પ્રાથમિક માહિતી મુજબ, આ વિમાનમાં 119 ઇમિગ્રન્ટ્સને મોકલવાના હતા, પરંતુ અંતિમ યાદીમાં તેમની સંખ્યા 116 હોવાનું જાણવા મળ્યું હતુ.

બીજા તબક્કામાં આવેલા સ્થળાંતર કરનારાઓમાં, મહત્તમ 65 વ્યક્તિઓ પંજાબના હતા, જ્યારે 33 હરિયાણાના, 8 ગુજરાતના, બે-બે ઉત્તર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના અને એક-એક હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બધાની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે હતી.

પ્રથમ  ફ્લાઈટમાં પણ 33 ગુજરાતી હતા

આ પહેલા, 5 ફેબ્રુઆરીના રોજ પ્રથમવાર 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક યુએસ લશ્કરી વિમાન અમૃતસર પહોંચ્યું હતું. આ જૂથમાં, 33 લોકો હરિયાણા અને ગુજરાતના હતા, જ્યારે 30 લોકો પંજાબના હતા. આમાંના મોટાભાગના લોકો સારા જીવનની શોધમાં અમેરિકા ગયા હતા, પરંતુ હવે તેમને ત્યાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે.

દેવુ કરીને ગયેલા પરિવારોને ભારે નુકસાન

ગેરકાયદેસર રીતે વિદેશ ગયેલા આ લોકોના પરિવારોને ભારે નુકસાન થયું છે. આમાંના ઘણા પરિવારોએ તો પોતાના ખેતરો અને પશુઓ ગીરવે મૂક્યા હતા. જેથી તેઓ અમેરિકા જઈ શકે. પરંતુ હવે જ્યારે તેમને દેશનિકાલ કરીને પાછા મોકલવામાં આવ્યા છે, ત્યારે તેમના પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. ગેરકાયદેસર રીતે વિદેશ જઈને સારા ભવિષ્યની શોધમાં રહેલા લોકો માટે આ પરિસ્થિતિ એક મોટી ચેતવણી છે.

 

આ પણ વાંચોઃ US Deportation: બીજીવાર અમેરિકાથી 8 ગુજરાતી ડિપોર્ટ, અમૃતસરથી તમામ લોકો અમદાવાદ પહોંચ્યા

આ પણ વાંચોઃ અમેરિકાએ 33 ગુજરાતીઓ સહિત 205 ભારતીયોને કર્યા ડિપોર્ટ; સેનાનું વિમાન પહોંચ્યું ભારત

 

 

Related Posts

SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ
  • June 30, 2026

SIR Voter List Revision: ભારતના ચૂંટણી પંચ દ્વારા ૨૪ જૂન ૨૦૨૫ના રોજ જાહેર કરવામાં આવેલી ‘વિશેષ સઘન પુનરાવર્તિત તપાસ’ (SIR) પ્રક્રિયા આજે એક વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ અનેક રહસ્યો…

Continue reading
IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?
  • June 30, 2026

IIT Faculty Shortage: ભારતની પ્રતિષ્ઠિત ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થાઓ (IITs) આજે એક ગંભીર પડકારનો સામનો કરી રહી છે. એક તરફ આ સંસ્થાઓ વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરી રહી છે અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

  • June 30, 2026
  • 4 views
SIR Voter List Revision: SIR બાદ પણ ચૂંટણી પંચ ‘ગેરકાયદેસર પ્રવાસીઓ’ની સંખ્યા જાહેર કરવામાં નિષ્ફળ

IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

  • June 30, 2026
  • 7 views
IIT Faculty Shortage: પ્રતિષ્ઠિત સંસ્થાઓનું કડવું સત્ય, આઈઆઈટીમાં કેમ નથી ભરાઈ રહ્યા આરક્ષિત વર્ગોના પદો?

Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

  • June 30, 2026
  • 7 views
Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

  • June 30, 2026
  • 9 views
Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત

Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

  • June 30, 2026
  • 5 views
Tamil Nadu Politics: વિધાનસભામાં TVK નો દબદબો વધારવા વિજયની નવી વ્યૂહરચના, ગઠબંધન સહયોગીઓ પર નિર્ભરતા ઘટાડવાની તૈયારી

Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!

  • June 30, 2026
  • 11 views
Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ!