New Delhi Stampede: પૂર્વ રેલવે મંત્રી લાલુએ કુંભ મેળાને ‘નકામો’ કહ્યો, તેમણે કહ્યું, ‘રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએ’

  • India
  • February 16, 2025
  • 0 Comments

 

New Delhi Stampede:  દેશના પૂર્વ રેલ્વે મંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદે કુંભને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડ પર તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે, તેમમે કુંભ મેળાને નકામો પણ ગણાવ્યો છે. તેણે કહ્યું કુંભનો અર્થ શું થાય છે? કુંભ નકામો છે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હીથી કુંભ મેળામાં જવા નીકળેલા 18 ભક્તોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના નવી દિલ્હી રેલવે સ્ટેશન પર બની છે.

રેલવે વિભાગની બેદરકારીને કારણે  લોકોએ જીવ ગુમાવ્યા

લાલુ પ્રસાદ યાદવે ભાગદોડની ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે હું પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. તેમણે આ અકસ્માત માટે સંપૂર્ણપણે રેલવેને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે રેલવે વિભાગની બેદરકારીને કારણે આટલા બધા લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવે મંત્રીએ જવાબદારી લેવી જોઈએ. કુંભ વિશે તેમણે કહ્યું, ‘કુંભનો અર્થ શું છે? કુંભ નકામો છે.

ઉલ્લેખનીય છે કે કે શનિવારે મોડી રાત્રે દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં 14 મહિલાઓ સહિત કુલ 18 લોકોના મોત થયા છે અને 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. પ્રયાગરાજ જતી ટ્રેનમાં ચઢવા માટે પ્લેટફોર્મ નંબર 14અને 15 પર મુસાફરોની મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (રેલ્વે) એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જ્યારે પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 પર ઉભી હતી, ત્યારે ત્યાં પહેલાથી જ લોકોની ભારે ભીડ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સ્વતંત્ર સેનાની એક્સપ્રેસ અને ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ મોડી ચાલી રહી હતી અને આ ટ્રેનોના મુસાફરો પણ પ્લેટફોર્મ નંબર 12, 13 અને 14 પર હાજર હતા. “રેલ્વે દ્વારા દર કલાકે 1,500 જેટલી જનરલ ટિકિટ વેચાઈ રહી હતી, સ્ટેશન પર ભીડ વધી ગઈ અને પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી,” પ્લેટફોર્મ નંબર 14 પર અને પ્લેટફોર્મ નંબર 16 નજીક એસ્કેલેટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટના રાત્રે લગભગ 9.55 વાગ્યે બની હતી, જેના પગલે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

વડાપ્રધાન મોદીએ નાસભાગ મામલે શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડથી હું દુઃખી છું. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.”

 

આ પણ વાંચોઃ કુંભમેળો પ્રયાગરાજમાં અને નવી દિલ્હીમાં નાસભાગ, 18ના થયા મોત, વાંચો સમગ્ર ઘટના

આ પણ વાંચો: Bihar News: એક પતિના બે પત્ની વચ્ચે ભાગ, પહેલી પત્ની સાથે 4 અને બીજી સાથે 3 દિવસ…, છૂટાછેડા લીધા વિના લગ્ન કરતાં સલવાયા

 

Related Posts

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!
  • June 17, 2026

Abhijit Dipak Jaipur Attack: રાજસ્થાનના જયપુરમાંથી એક અત્યંત ચોંકાવનારો અને લોકશાહીની ગરિમાને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકે પર થયેલા હુમલાના આરોપીઓને…

Continue reading
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન
  • June 17, 2026

Jana Sena National Expansion: આંધ્રપ્રદેશના રાજકારણમાં જબરદસ્ત સફળતા મેળવ્યા બાદ હવે જનસેના પાર્ટી (JSP) ના અધ્યક્ષ કે. પવન કલ્યાણની નજર સમગ્ર દેશના ફલક પર છે. તાજેતરમાં દિલ્હીમાં આયોજિત પક્ષના ‘સેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

  • June 18, 2026
  • 1 views
Gir Illegal Lion Show Veraval: જંગલમાં દારૂની મહેફિલ અને સિંહ દર્શનનો ખેલ, મંત્રીના બોર્ડવાળી કારમાં ઝડપાયા 7 શખ્સો!

Narendra Modi Gujarat Model: બોલ બચ્ચન કરતા મૌન રહેતો વડાપ્રધાન સારો! મોદી એ સાબિત કરી દીધું

  • June 18, 2026
  • 5 views
Narendra Modi Gujarat Model: બોલ બચ્ચન કરતા મૌન રહેતો વડાપ્રધાન સારો! મોદી એ સાબિત કરી દીધું

Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

  • June 17, 2026
  • 5 views
Abhijit Dipak Jaipur Attack: હિંસાને સન્માન? અભિજીત દીપકે પર હુમલો કરનારાઓનું જેલમાંથી મુક્તિ બાદ ફૂલહારથી ભવ્ય સ્વાગત!

Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

  • June 17, 2026
  • 6 views
Jana Sena National Expansion: NDA માં પ્રભાવ વધારવા જનસેનાની નવી રણનીતિ, દક્ષિણથી દિલ્હી સુધી પવન કલ્યાણનું વિસ્તરણ અભિયાન

Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

  • June 17, 2026
  • 7 views
Siliguri Corridor: સિલીગુડી કોરિડોરને ઘેરતું વ્યૂહાત્મક જોખમ, બોર્ડર પર બદલાતી હકીકત સામે ભારતની મોટી તૈયારીઓ

China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?

  • June 17, 2026
  • 12 views
China Industrial Subsidy: ચીનની સબસિડી નીત સામે ભારતે આત્મનિર્ભરતા કે અનુસરણ, કયો માર્ગ પસંદ કરવો?