Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

Sujalam Sufalam Canal Deodar Farmers Protest: 3 હજાર ક્યુસેકની સુજલામ સુફલામ નહેર કોરી, ખાલી નહેરમાં આંદોલન, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી પાણી ન આપ્યું

– ખેડૂત આગેવાન અમરાભાઈ આર. ચૌધરી
11 જૂન, 2026ના રોજ સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધી ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચ્યું નથી.
28-06-2026 (રવિવાર)
સવારે 10:00 વાગ્યે
દિયોદર તાલુકોના વાસણા સુજલામ સુફલામ કેનાલથી સિંચાઈ

ખેડૂતોની ચેતવણી – હવે નિર્ણયનો સમય આવી ગયો છે!

આજે વાસણા સુજલામ સુફલામ કેનાલ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોની સર્વસંમતિથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

જો આગામી 12 કલાકમાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી ચાલુ કરવામાં નહીં આવે, તો ખેડૂતો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ:
સુજલામ સુફલામ કેનાલમાં તાત્કાલિક પાણી ચાલુ કરવામાં આવે.
ખેડૂતોને પૂરતું પાણી મળે તે માટે સતત પાણી ચાલુ રાખવામાં આવે.
છેવાડાના તમામ ખેડૂતો સુધી પાણી પહોંચે તેની જવાબદારી સરકાર અને સંબંધિત વિભાગ નિભાવે.

પાણી ખેડૂતોનો હક છે, કૃપા નહીં. જો હક નહીં મળે તો લોકશાહી રીતે આંદોલન થશે.

દિયોદર તાલુકા તેમજ આજુબાજુના તમામ ગામો

દિયોદર તાલુકામાં લાભ

વાસણા કેનાલ દ્વારા દિયોદર તાલુકાના
વાસણા
કુંભારિયા વિસ્તાર
દિયોદર આસપાસના ગામો
અન્ય કમાન્ડ વિસ્તારના ગામોને પાણી મળે છે.

જીરૂં, ઇસબગુલ, ઘઉં, રાયડો, એરંડા અને ચારા પાકને સિંચાઈ.
ડીઝલ અથવા વીજળીથી બોરવેલ ચલાવવાનો ખર્ચ ઘટે.
ભૂગર્ભ જળનું ખારાશીકરણ અને અતિશય ઉપસામણ ઘટે.

લંબાઈ: 332 કિ.મી.
શરૂઆત: મહી નદીના કડાણા જળાશય વિસ્તારમાંથી
અંતિમ વિસ્તાર: બનાસકાંઠા જિલ્લાના ઉત્તર ભાગ સુધી
વહન ક્ષમતા: 2,000 ક્યુસેક
ઉત્તર ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થાય છે.

સીધો સિંચાઈ લાભ અંદાજે 70,000 હેક્ટર
ભૂગર્ભ જળ રિચાર્જ અંદાજે 1,20,000 હેક્ટર
પીવાના પાણીનો લાભ 679 ગામો અને 8 શહેરો

0000000000
નર્મદા નદી બારમાસી હોવા છતાં, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસાને કારણે આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણી સમુદ્રમાં વહે છે.

નર્મદા નહેરમાંથી ‘વધારાનું’ પાણી ઉત્તર ગુજરાતના નવ બંધોમાં પમ્પ કરીને, દરેક 100 કિમી લાંબી એક ડઝન અલગ પાઇપલાઇનો નાખવી;
ઉત્તર ગુજરાતની તમામ 21 નદીઓ પર એક અનલાઇન નહેર બનાવવી;
બે લાખ ખેતરના તળાવો બનાવવા.

મેસર્સ એસ્સાર કન્સ્ટ્રક્શન્સ લિમિટેડને સોંપવામાં આવ્યું હતું.

MMCPL સ્કોપમાં 2350 મીમી વ્યાસની 24.8 કિમી લંબાઈની MS પાઇપલાઇન માટે વિગતવાર ડિઝાઇન અને વર્કિંગ ડ્રોઇંગ તૈયાર કરવાનો સમાવેશ થતો હતો.

પમ્પિંગ મશીનરી 5100 m3/કલાક ક્ષમતા અને 80 મીટર હેડ ધરાવતા 7 પંપ (6 કાર્યરત + 1 સ્ટેન્ડબાય) છે.

નર્મદા નહેરમાંથી વધારાનું પાણી ખેરવા જળાશયમાં પમ્પ કરવા માટે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થયો.
એસ્સાર કન્સ્ટ્રક્શન્સ લિમિટેડ / ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલપમેન્ટ કોર્પોરેશન

*વાસણા ગામ – લાખણી તાલુકો, બનાસકાંઠા*

વાસણા ગામ સુજલામ સુફલામ કેનાલ સાથે જોડાયેલું છે એટલે એની વિગત આ મુજબ:

મહી નદીથી બનાસ નદી સુધી 332 કિ.મી લાંબી છે.

વરસાદ ઓછો હોય ત્યારે ધરોઇ, કડાણા, નર્મદા ડેમનું સરપ્લસ પાણી સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવે.

વાસણા આસપાસના 4 કિ.મી વિસ્તારમાં બોરવેલ-કૂવાનું પાણી 25-30 ફૂટ વધી જાય છે.
બાજરી, મગફળી, જીરું જેવા ઉનાળુ પાક માટે સિંચાઈ શક્ય બને.

આસપાસના ગામોના તળાવ-ચેકડેમ રિચાર્જ થાય.

2024-25ના સારા વરસાદ પછી પણ ધરોઇ, કડાણા ડેમ છલકાયા હતા, છતાં વાસણા-લાખણી પાસેની કેનાલ “સૂકી ભઠ્ઠ” રહી હતી.

ખેડૂતોએ રજૂઆત કરી પછી સરકારે ડેમનું પાણી કેનાલમાં છોડ્યું હતું. ત્યારે 5 ફૂટ સુધી પાણી ભરાયું હતું.

સુજલામ સુફલામ યોજના 2003માં CM નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ.
નર્મદા-કડાણાના સરપ્લસ પૂરના પાણીને ઉત્તર ગુજરાતના પાણીની અછતવાળા વિસ્તારોમાં પહોંચાડવા.

મહી નદીથી બનાસ નદી સુધી 7 જિલ્લામાંથી પસાર થાય છે. ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, પાટણ જિલ્લા છે.
વાસણા લાખણી, બનાસકાંઠા વિસ્તારમાં કેનાલ પસાર થાય છે.

ક્રોસિંગ 21 નદીઓ,
2 નેશનલ હાઈવે,
7 રેલ્વે લાઈન અને
564 નાળા/ડ્રેનેજ સ્ટ્રક્ચરને ઓળંગે છે

સરસ્વતી તાલુકાના 25 ગામની 2000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે.

ઉત્તર ગુજરાતના 950 તળાવ અને સુજલામ સુફલામ કેનાલથી પૂરક સિંચાઈ અને પીવાના પાણી માટે પાણી અપાય છે.
બનાસકાંઠા-પાટણમાં 277 ગામતળાવ ભરાયા.

નર્મદા મેઈન કેનાલથી NMC આધારિત 9 લિફ્ટ ઇરિગેશન પાઇપલાઇનથી ઉત્તર ગુજરાતના ડેમ-તળાવ ભરાય છે.

CM ભૂપેન્દ્ર પટેલે 31 મે 2026 સુધી જળ સંચય અભિયાન શરૂ કર્યું છે. તાલુકા દીઠ 10 તળાવ ઊંડા કરવા, કેનાલ સાફ-સફાઈના કામ ચાલે છે.

30 જૂન 2026 સુધી ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14,539 MCFT પાણી ફાળવાયું છે.

વાસણા ગામે કેનાલ કિનારે ખેડૂતો વારંવાર પાણી છોડવાની રજૂઆત કરે છે કારણ કે આ કેનાલથી ભૂગર્ભ જળ રિચાર્જ થાય અને બાજરી-મગફળીના પાકને ફાયદો થાય.

કેનાલનો માર્ગ
કેનાલ અંદાજે નીચેના જિલ્લાઓમાંથી પસાર થાય છે:
મહીસાગર
અરવલ્લી
સાબરકાંઠા
ગાંધીનગર
મહેસાણા
પાટણ
બનાસકાંઠા

500થી વધુ ગામોને લાભ મળ્યો હોવાનું સરકારી માહિતીમાં જણાવાયું છે.
અનેક તળાવો અને ચેકડેમ ભરાતા કૃષિને લાભ થયો.

ખર્ચ
2003–04માં પ્રારંભિક અંદાજ રૂ. 458.60 કરોડ
2007માં સુધારેલ અંદાજ રૂ. 911 કરોડ
પુરી થઈ ત્યારે ખર્ચ 1,050 કરોડ સુધી

102 અલગ કોન્ટ્રાક્ટ

21.01 કરોડની વધારાની જવાબદારી ઊભી થઈ.

આ પણ વાંચો: 

Ram Mandir Donation Scam: રામ મંદિર દાનમાં કરોડોનું કૌભાંડ, ટ્રસ્ટની આંતરિક લડાઈએ ખોલી ભ્રષ્ટાચારની પોલ! – thegujaratreport.com

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી? – thegujaratreport.com

Akal Takht Ultimatum: અકાલ તખ્તનો આદેશ, પંજાબ સરકારને બેઅદબી વિરોધી કાયદામાં સુધારા કરવા માટે એક મહિનાની મહોલત – thegujaratreport.com

Related Posts

India Gen Z Protest: શિક્ષણથી લઈને ભ્રષ્ટાચાર સુધી SAM PITRODA એ સરકારની નીતિઓ પર વ્યક્ત કરી ચિંતા
  • August 10, 2026

India Gen Z Protest: દેશમાં વિદ્યાર્થીઓના આંદોલન, શિક્ષણ વ્યવસ્થા, રોજગાર, લોકશાહી અને યુવાનોની ભૂમિકાને લઈને વરિષ્ઠ ટેક્નોલોજી નિષ્ણાત અને કોંગ્રેસ સાથે સંકળાયેલા નેતા SAM PITRODA એ એક વિસ્તૃત ચર્ચામાં પોતાના વિચારો…

Continue reading
Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ
  • August 8, 2026

Gujarat MBBS Seats 2026: ખાનગી મેડિકલ કોલેજોની બેઠકો 300 વધી, ગુજરાતની કુલ બેઠકોની સંખ્યા 7,500 થઈ અમદાવાદ: ગુજરાત આ શૈક્ષણિક વર્ષમાં 300 વધારાની MBBS બેઠકો ખાનગી કોલેજોને મળી શકે છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

  • August 16, 2026
  • 3 views
Cancer in Mizoram: મિઝોરમમાં કેન્સરના વધતા કેસોનું ચિંતાજનક ચિત્ર, સ્વચ્છ હવા છતાં કેમ છે દેશનો સૌથી ઊંચો દર?

Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

  • August 16, 2026
  • 4 views
Bihar Liquor Ban: બિહારમાં દારૂબંધીના 10 વર્ષ, શું ‘ડ્રાય બિહાર’ ખરેખર સફળ રહ્યું?

Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

  • August 16, 2026
  • 5 views
Tamil Nadu Politics: તમિલનાડુમાં સૌથી વધુ મંદિરો છતાં ધાર્મિક રાજકારણ કેમ સૌથી ઓછું?

BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

  • August 16, 2026
  • 5 views
BCI Manan Kumar Mishra: NALASAR વિવાદમાં BCI અધ્યક્ષે માંગી માફી, વિદ્યાર્થીઓના વિરોધ બાદ મનન કુમાર મિશ્રા બેકફૂટ પર

Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

  • August 16, 2026
  • 6 views
Rahul Gandhi Savarkar Case: સાવરકર કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, UP સરકારની મોટી કાનૂની ખામી સામે આવી

PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે

  • August 16, 2026
  • 9 views
PM Modi Dimagi Naxal: ‘દિમાગી નક્સલ’ શબ્દ પર રાજકીય ઘમાસાણ, વિપક્ષનો આરોપ- અસંમતિને દબાવવા સરકાર નવા લેબલનો ઉપયોગ કરે છે