
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત પહેલા ભાજપમાં વિવાદ ઉભો થયો છે. યુવાન ઉમેદવારોને ચૂંટણીમાં ઉતારવાની ભાજપ રણનીતિ ઘડી રહી છે. ત્યારે વરિષ્ઠ ઉમેદવારો નારાજ થવાની શક્યતાઓ છે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકસિંહ વાઘેલાએ જનવિકલ્પ પાર્ટી બાદ નવી પાર્ટી બનાવી લીધી છે અને ચૂંટણીમાં ઉમેદવારો ઉતારવાના મૂડમાં છે. કોંગ્રેસની પણ આ વખતે સ્થિતિ સાફ નથી. કારણ કે પાર્ટીની અંદોર-અંદર ડખા છે. બીજી તરફ નવી મહાનગરપાલિકાઓ બની છે, જીલ્લાઓ નવા બનાવવાની વાત ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કઈ રીતે યોજાશે. આજ મુદ્દે ‘ગુજરાત રિપોર્ટ’માં મયૂર જાનીએ વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકર સાથે ચર્ચા કરી. જુઓ આ ખાસ અહેવાલ.