અદાણી-આંબેડકર અને રાહુલ ગાંધીના મુદ્દા પાછળની સમજો ક્રોનોલોજી; શું છે BJPની રણનીતિ?

એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના નિશાના પર હતા. વિપક્ષી નેતાઓ કોઈપણ હિસાબે અદાણી ઉપર લાગેલા આરોપ પર સંસદમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવા માંગતા હતા. તેથી તે આગને ઓલવવા માટે બીજેપી દ્વારા આંબેડકર ઉપર નિવેદન આપીને એક નવી ચાલ ચાલવામાં આવી હતી. પરંતુ તે ચાલ તેમની ભૂલ સાબિત થઈ છે. આંબેડકર ઉપર નિવેદન આપીને અમિત શાહ પોતે ફસાઈ ગયા છે. તેથી તો બીજેપીના તમામ સાધન સામગ્રી સહિત પોતે પીએમ મોદીને તેમના બચાવમાં ઉતરવું પડ્યું છે.

તો પોતાના બચાવમાં પોતે અમિત શાહે પણ પ્રેસકોન્ફ્રન્સ કરવી પડી હતી. અત્યાર સુધીના બીજેપીના ઇતિહાસમાં ક્યારેય આવી રીતે સરકારના ટોચના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને સફાઈ આપી નથી. પરંતુ આંબેડકર ઉપર આપેલા વિવાદાસ્પદ નિવેદન પછી બીજેપી સરકારને ડિફેન્સિવ મોડમાં આવી જવું પડ્યું હતું. તમામ રીતની કોશિશ નિષ્ફળ થતી દેખાઈ રહી હતી. તે પછી બીજેપી દ્વારા એક નવી જ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. આ સ્ક્રિપ્ટ થકી રાહુલ ગાંધીને ગુંડો અને હત્યારો અને છેડતી કરનારો ચિતરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બીજેપીના સૌથી મોટા માથા દ્વારા આંબેડકર ઉપર ટિપ્પણી કરવામાં આવી. કેમ કે તેમણે લાગતું હતુ કે, અમિત શાહનું તો કોણ વિરોધ કરવાનો છે. તેથી તો બીજેપીના અન્ય મંત્રી કે બીજા નેતા દ્વારા નહીં પરંતુ પોતે ગૃહરાજ્યમંત્રી દ્વારા જ આંબેડકર ઉપર નિવેદન આપીને અદાણીનો મુદ્દા પરથી ધ્યાન ડાયવર્ડ કરવાનું કામ કર્યું અને તેઓ તેમાં સફળ પણ થયા પરંતુ તેમના માટે અન્ય એક મુશ્કેલી ઉભી થઈ ગઈ.

આંબેડર ઉપરનું નિવેદન પછી લાગેલી આગને ઠારવા અને તે મુદ્દા પરથી ધ્યાન ડાયવર્ડ કરવાનું હતું. હવે એક વખત ફરીથી સ્ક્રિપ્ટ તૈયાર થઈ અને તેમાં નિશાના ઉપર હતા રાહુલ ગાંધી… હવે તેઓ આંબેડકરના મુદ્દા ઉપરથી પણ ધ્યાન ડાયવર્ડ કરવામાં એક અંંશે તો સફળ થયા છે પરંતુ દેશના લોકોને સત્યતા જાણવી પડશે કે શું ખીચડી પાકી રહી છે.

ભારતીય જનતા પાર્ટી દેશને હિંસક અરાજકતામાં ધકેલી રહી છે. 19 ડિસેમ્બરે સંસદમાં તેના સાંસદોએ યોજનાબદ્ધ રીતે હિંસક દ્રશ્યો પેદા કર્યા અને રાહુલ ગાંધીને ઘેરવાની સાજિશ કરી. રાહુલ ગાંધી પર તેણે સૌથી ઘૃણાસ્પદ આરોપ લગાવ્યો કે તેઓ તેની એક મહિલા સાંસદની મર્યાદા ભંગ કરવા માંગતા હતા. તેમના પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમાં અનુસૂચિત જાતિ-જનજાતિ ઉત્પીડન વિરોધી કાયદાની કલમ પણ લગાવવામાં આવી છે. તે ઉપરાંત ગાંધી પર હત્યાના પ્રયાસનો આરોપ પણ લગાવી દેવામાં આવ્યો છે. જી.. હાં.. રાહુલ ગાંધી હત્યા કરવા માંગતા હતા તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.

સંયોગ નથી કે ભાજપની જે સાંસદે આ આરોપ લગાવ્યો છે, તેઓ નાગાલેન્ડની છે. રાહુલ ગાંધી પર હત્યાના પ્રયાસનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ આરોપને પ્રમાણિક બનાવવા માટે ભાજપના બે સાંસદોને આઈસિયુમાં દાખલ કરવા પડ્યા હતા. માથા પર લાગેલી નાની પટ્ટી ધીરે-ધીરે લગભગ પગડીમાં બદલાઈ ગઈ. હસ્પિટલના મુખ્ય અધિકારીએ નિવેદન આપવું પડ્યું કે તેઓ દેખરેખમાં છે અને તેમની સ્થિતિ સ્થિર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ એટલું હાસ્યાસ્પદ છે પરંતુ એટલું જ ભયાનક પણ જો આપણે તેના પાછળની સાજિશને સમજી શકીએ.

રાહુલ ગાંધી પર આ હુમલો ખૂબ જ યોજનાબદ્ધ છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી રાહુલ ગાંધી જાતિગત વસ્તી ગણતરી પર જોર આપી રહ્યા છે, તેમને અનુસૂચિત જનજાતિ ઉત્પીડનના ગંભીર આરોપના હથિયારથી મારવાની કોશિશ કરવામાં આવી રહી છે. તે જ રીતે ઉત્તરપૂર્વના એક રાજ્ય મણિપુરમાં હિંસા પર સતત ધ્યાન દોરવા અને સરકારને જવાબદેહ બનાવવાની તેમની અને વિપક્ષની કોશિશનો જવાબ છે. ઉત્તરપૂર્વના જ એક બીજા રાજ્ય નાગાલેન્ડની એક મહિલાએ તેમના પર મર્યાદા ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

આ બધું એટલું પારદર્શક છે પરંતુ ભાજપને વિશ્વાસ છે કે તેનો સૌથી મોટો સમર્થક અને પ્રચારક ભારતનો મોટો મીડિયા આ સાજિશમાં તેના સાથે રહેશે અને આ અસત્યને સત્ય બનાવી દેશે. ઘણા વિશ્લેષકો તેમાં તટસ્થ વલણ અપનાવીને કહેતા રહેશે કે જો આરોપ છે તો કંઈક તો થયું જ હશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી પાસેથી સ્પષ્ટીકરણ માંગવામાં આવશે.

એક દિવસ પહેલા સુધી ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના બીજા પદાધિકારીઓ બાબા સાહેબ આંબેડકર પર સંસદમાં કરેલી તેમની અહંકારપૂર્ણ ટિપ્પણીની સ્પષ્ટીકરણ આપી રહ્યા હતા. આ અસ્વાભાવિક નહોતું કે વિપક્ષ તેને મુદ્દો બનાવે. ત્યારબાદ ભાજપ રક્ષણાત્મક થવા માટે મજબૂર હતી. પરંતુ તેના સ્વભાવ મુજબ તેણે વિપક્ષના વિરોધનો જવાબ આક્રમકતાથી આપવાનો નિર્ણય કર્યો.

કોઈપણ વિરોધને ખત્મ કરી દેવાનો સૌથી અસરકારક રીત છે હિંસા. ભાજપે છેલ્લા 10 વર્ષમાં દરેક વિરોધનો જવાબ હિંસાથી આપ્યો છે. ભીમા કોરેગાંવમાં દલિતોની સભામાં ભાગ લેનારાઓ પર હિંસા કરવામાં આવી. પછી આ હિંસાના માટે સરકારના વિમર્શકોને જ જવાબદાર ઠેરવીને તેમને જેલમાં નાખી દેવામાં આવ્યા. 2018માં એપ્રિલમાં દલિતોએ ભારત બંધનું આહ્વાન કર્યું હતું. તે દિવસે દલિતો પર હિંસા કરવામાં આવી અને સેકડો દલિતો પર કેસ દાખલ કરવામાં આવ્યા.

નાગરિકતા કાયદાના વિરોધમાં આંદોલન શરૂ થયું તો તેના પર એક વાર નહીં અનેક વાર હિંસા કરવામાં આવી. શાહીન બાગ ધરણા સ્થળો પર સુનિયોજિત હુમલા કરવામાં આવ્યા. ખેડૂત આંદોલન દરમિયાન આપણે ઘણી વાર ટિકરી અને સિંઘુ સરહદ પર ધરણા પર બેઠેલા ખેડૂતો પર હુમલા જોયા. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને દિલ્હી યુનિવર્સિટી, હૈદરાબાદ યુનિવર્સિટી, જામિયા મિલિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં સરકારના વિમર્શકો પર હિંસક આક્રમણની યાદ અપાવવાની જરૂર નથી.

હિંસા પછી હંમેશા શંકા પેદા થાય છે. તો બીજી તરફ બે પક્ષ બની જાય છે. એક આરોપ લગાવે છે તો બીજો તેને લઈને સ્પષ્ટીકરણ આપે છે. ભાજપ દરેક જન આંદોલન અથવા વિપક્ષના વિરોધ દરમિયાન હિંસા પેદા કરીને આ જ કરે છે. જે વિષય પર વિરોધ થઈ રહ્યો હતો, તે હિંસાના કારણે ચર્ચામાંથી ગાયબ થઈ જાય છે, રહી જાય છે. કારણ કે મોટો મીડિયા ભાજપ સમર્થક અને વિપક્ષનો વિરોધી છે, તે સંપૂર્ણ ચર્ચામાં હંમેશા વિપક્ષ પર નિશાન લગાવતો રહે છે.

હવે સુધી આ બધું રસ્તા પર થતું હતું. ભાજપ આ હિંસાને સંસદ સુધી લઈ ગઈ છે. સંસદની અંદર ગાળાગાળી અને અભદ્ર વર્તનના ઘણા ઉદાહરણો ભાજપ તરફથી જોવા મળ્યા છે. 19 ડિસેમ્બરે આ શારીરિક હિંસામાં બદલાઈ ગયું. અમે આ પહેલા બીજી સરકારોના સમય દરમિયાન સેકડો વાર વિપક્ષને વિરોધ પ્રદર્શન કરતા જોયા છે. ક્યારેય સત્તા પક્ષે વિરોધનો વિરોધ તે રીતે કર્યો નથી. હંમેશા સત્તા પક્ષ વધુ સંયમથી કામ લે છે. પરંતુ ભાજપ હંમેશા તેના વિરુદ્ધ કામ કરતી આવી છે.

19 ડિસેમ્બરે ભાજપે જે કંઈ કર્યું તેની ગંભીરતાને સમજવાની જરૂર છે. તે રાહુલ ગાંધીની સાખ ખતમ કરી દેવા માંગે છે. તે જે જે જગ્યાએ અસરકારક હોઈ શકે છે, તે તેમને છીનવી લેવા માંગે છે. છેલ્લી વાર તેમની સંસદ સભ્યતા સમાપ્ત કરવાની પાછળ આ જ કારણ હતું. આ વખતે પણ તૈયારી તે જ છે. રાહુલ ગાંધી વિપક્ષના એક માત્ર એવા નેતા છે જેમનું ચહેરું સમગ્ર ભારતમાં લોકો ઓળખે છે. તે ચહેરાને ગાયબ કરીને જ વિપક્ષને સમાપ્ત કરી શકાય છે.

મેન સ્ટ્રીમ મીડિયા આ દુષ્પ્રચારમાં શૈતાની આનંદ સાથે કૂદી પડ્યો છે. પડકાર કોંગ્રેસ અને વિપક્ષ સામે છે કે તે ભાજપની આ ઘૃણાસ્પદ સાજિશથી જનતાને ચેતવીને સત્ય તેમના સુધી પહોંચતો કરે.

Related Posts

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય
  • May 6, 2026

By- દિલીપ પટેલ Barda Sanctuary Illegal Liquor: ગાંધીજીના જન્મસ્થળ પોરબંદરની સમીપ આવેલું 192 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું કુદરતી સૌંદર્યથી સભર બરડા વન્યપ્રાણી અભયારણ્ય આજે એક ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે.…

Continue reading
જનતાનો વિજય તો પરાજય કોનો? સ્થાનિક સરકારોની ચૂંટણી વિશ્લેષણ
  • April 28, 2026

The Gujarat Report | ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના વિજય અંગેનું વિસ્તૃત વિશ્લેષણ કરી રહ્યાં છે પત્રકાર જીતુભાઈ મહેતા તેમજ દિલીપભાઈ પટેલ. જેમાં મહત્વનો મુદ્દો એ છે કે અંબાજી, ડાકોર,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

  • May 6, 2026
  • 7 views
Punjab Bomb Blast: પંજાબ બોમ્બ બ્લાસ્ટ બાદ રાઘવ ચઢ્ઢાનો ભગવંત માન પર હુમલો, ‘ISI નો નેરેટિવ બોલી રહી છે સરકાર’

Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

  • May 6, 2026
  • 6 views
Surat SBI Bank Robbery: સુરત SBI બેંક લૂંટકાંડનો ભેદ ઉકેલાયો, બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગનો પર્દાફાશ

Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

  • May 6, 2026
  • 8 views
Barda Sanctuary Illegal Liquor: વન પ્રધાન અર્જૂન મોઢવાડિયાના મત વિસ્તારમાં દારુનું અભયારણ્ય

Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

  • May 6, 2026
  • 8 views
Iran US Conflict: ઈરાન દબાણ સામે નહીં ઝૂકે, પરંતુ વાતચીત માટે તૈયાર, ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાનનું મોટું નિવેદન

Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

  • May 6, 2026
  • 12 views
Shehzad Poonawalla: કોંગ્રેસ સ્થાનિક પક્ષોનો ઉપયોગ કરીને તેમને છોડી દે છે, BJP પ્રવક્તા શહઝાદ પૂનાવાલાના વિપક્ષી ગઠબંધન પર ગંભીર આરોપ

Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા

  • May 6, 2026
  • 9 views
Priyanka Chaturvedi on UN: “UN ને પોતે ખબર નથી કે શું કરી રહ્યું છે” – માર્કો રુબિયોના નિવેદન પર પ્રિયંકા ચતુર્વેદીની તીખી પ્રતિક્રિયા