Rajkot: ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ! ગુજરાતમાં આફ્રિકનોનું ‘ઝીંગાલાલા’બંધ કરાવશો?

Rajkot: રાજકોટના રતનપર ગામે મારવાડી યુનિવર્સિટી અને અન્ય ખાનગી યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા દેહવ્યાપાર, નશાખોરી અને અનૈતિક પ્રવૃત્તિઓનો આરોપ લગાવતા ગ્રામજનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આ ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.

યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આફ્રિકન વિદ્યાર્થીઓએ રાજકોટને મિનિ બેંગકોક બનાવ્યું

રતનપર ગામના રહેવાસીઓનો આરોપ છે કે આફ્રિકન વિદ્યાર્થીઓ, જેઓ મારવાડી યુનિવર્સિટી અને નજીકના વિસ્તારોમાં ભાડાની મકાનોમાં રહે છે, તેઓ નશાખોરી અને દેહવ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ વિદ્યાર્થીઓ ઓનલાઈન એપ્સ, ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને ખુલ્લેઆમ ગોરખધંધા ચલાવે છે, જેનાથી રાજકોટને “મિની બેંગકોક” તરીકે ઓળખવામાં આવી રહ્યું છે.

ગ્રામજનો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી

આ મુદ્દે ગ્રામજનો અને આફ્રિકન વિદ્યાર્થીઓ વચ્ચે તાજેતરમાં ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટનામાં પોલીસની હાજરી હોવા છતાં, સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળતા દાખવી છે. ગ્રામજનોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી, આવી પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવાની માગણી કરી છે.

રાજકોટમાં ખુલ્લેઆમ ગોરખધંધા ચાલે છે, અને સરકાર ઊંઘે છે!

 આ ઘટનાએ રાજકોટની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ગ્રામજનોએ માંગણી કરી છે કે આફ્રિકન વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓની તપાસ માટે ખાસ ટીમ રચવામાં આવે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત, તેઓએ યુનિવર્સિટીઓને પણ આવા વિદ્યાર્થીઓની દેખરેખ રાખવા અને તેમની પ્રવેશ પ્રક્રિયાને વધુ કડક કરવાની માંગણી કરી છે.

બાંગ્લાદેશીઓને ભારતમાંથી હાંકી કાઢનાર ગૃહમંત્રી આફ્રિકન દૂષણખોરોને ક્યારે કાઢશો ?

મહત્વનું છે કે, ગૃહમંત્રીએ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ આફ્રિકન વિદ્યાર્થીઓ દ્વારા થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવામાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે. જો ગૃહમંત્રી બાંગ્લાદેશીઓને હાંકી કાઢી શકે છે, તો આફ્રિકન દૂષણખોરો સામે કેમ કોઈ પગલું નથી લેવાતું? તેવા સવાલો થઈ રહ્યા છે. આવા દૂષણો સમાજ માટે ચિંતાનો વિષય છે. જેથી આફ્રિકન દૂષણખોરોને પણ ભારતમાંથી કાઢી મુકવાની માંગ ઉઠી છે. આ ઘટના રાજકોટની સામાજિક અને સુરક્ષા વ્યવસ્થા પર એક કલંકરૂપ બની રહી છે. શું ગૃહમંત્રી હર્ષ સંઘવી આ મુદ્દે કડક પગલાં લેશે, કે પરિસ્થિતિ વધુ વણસશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.

આ પણ વાંચો:  
 
 
 
 
 
 

Related Posts

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
  • October 29, 2025

Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

Continue reading
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
  • October 29, 2025

Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 2 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 14 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 18 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

  • October 29, 2025
  • 17 views
Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

  • October 29, 2025
  • 13 views
Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં