
Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ, મેસના ત્રણ કર્મચારીઓ અને એક બાળક સહિત આઠ લોકોની ઓળખ થઈ ચૂકી છે. ત્યારે હજુ તો કેટલાક મૃતદેહની ઓળખ પણ નથી થઈ અને કેટલાક લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી
જોકે, બાકીના 19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મૃતદેહોની ઓળખ માટે પોલીસે વિશેષ ટીમ રચી છે, જે દુર્ઘટના બાદ લાપતા થયેલા લોકોની વિગતો એકત્ર કરી રહી છે.
લાપતા કર્મચારીઓની શોધખોળ
આઈજીપી કંપાઉન્ડમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર વિમાન ક્રેશ થયું હતું. તપાસ દરમિયાન 268 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ 19 મૃતદેહોની ઓળખ એક પડકાર બની રહી છે. મેસ અને મેડિકલ હોસ્ટેલમાં સફાઈ કામ માટે આવતા 15થી વધુ કર્મચારીઓ હજુ લાપતા છે. પોલીસને આશંકા છે કે આ મૃતદેહો લાપતા કર્મચારીઓના હોઈ શકે છે. આ માટે લાપતા વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
કેમ્પસમાં હાજર લોકોની આશંકા
પોલીસનું માનવું છે કે દુર્ઘટના સમયે કેમ્પસમાં અન્ય કેટલાક લોકો પણ હાજર હોઈ શકે છે, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હોઈ શકે. ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોની સચોટ ઓળખ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના તબીબો અને પોલીસ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે, અને તમામ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ આંકડો જાહેર કરવામાં આવશે.
મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોવાની શક્યતા
જાણકારી મુજબ આ ઘટનામાં મૃત્યુંઆંક 300 નજીક પહોંચી ગયો છે. આશંકા છે કે, આ ઘટનામાં મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોઈ શકે છે તેનું કારણ તે છે કે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર હતો અને અહીં આજુબાજુના મકાનોને પણ આ ઘટનામાં નુકસાન થયું છે તેમાં કેટલાક બાળકો પણ હોવાનું કહેવાય છે અને આ ઘટનામાં અન્ય મોટા માણસો એવી ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમના અવશેષો પણ ઓળખાતા નથી અને અડધા અંગો બળીને ખાખ થયા છે તેને જોતા અંદાજો લગાવી શકાય કે, આ ઘટનામાં નાના બાળકોનું શું થયું હશે ? જે આગમાં લોખંડ પણ પીગળું ગયું તેમાં નાના બાળકોનું તો શું થયું હશે ?
આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કરુણ વાત તે છે કે, હજુ ઘણા પરિવારોને ખબર પણ નહીં હોય કે, તેમનું સ્વજન આ ઘટનામાં મૃત્યું પામ્યું છે. અને તેમના સ્વજનોની ડેડબોડી પણ તેઓ ઓળખી શકે તેમ નથી અને પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video
Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ