Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ

Ahmdedabad Plane Crash: અમદાવાદના મેઘાણીનગર સ્થિત આઈજીપી કંપાઉન્ડમાં એર ઈન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાની ઘટનામાં પોલીસની પ્રાથમિક તપાસમાં 268 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.  આમાં 241 પેસેન્જર્સ અને ક્રૂ મેમ્બર્સનો સમાવેશ થાય છે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ, મેસના ત્રણ કર્મચારીઓ અને એક બાળક સહિત આઠ લોકોની ઓળખ થઈ ચૂકી છે. ત્યારે હજુ તો કેટલાક મૃતદેહની ઓળખ પણ નથી થઈ અને કેટલાક લોકો લાપતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી

જોકે, બાકીના 19 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ મૃતદેહોની ઓળખ માટે પોલીસે વિશેષ ટીમ રચી છે, જે દુર્ઘટના બાદ લાપતા થયેલા લોકોની વિગતો એકત્ર કરી રહી છે.

લાપતા કર્મચારીઓની શોધખોળ

આઈજીપી કંપાઉન્ડમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસ પર વિમાન ક્રેશ થયું હતું. તપાસ દરમિયાન 268 મૃતદેહો મળી આવ્યા હતા, પરંતુ 19 મૃતદેહોની ઓળખ એક પડકાર બની રહી છે. મેસ અને મેડિકલ હોસ્ટેલમાં સફાઈ કામ માટે આવતા 15થી વધુ કર્મચારીઓ હજુ લાપતા છે. પોલીસને આશંકા છે કે આ મૃતદેહો લાપતા કર્મચારીઓના હોઈ શકે છે. આ માટે લાપતા વ્યક્તિઓના પરિવારજનોના ડીએનએ નમૂના લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.

કેમ્પસમાં હાજર લોકોની આશંકા

પોલીસનું માનવું છે કે દુર્ઘટના સમયે કેમ્પસમાં અન્ય કેટલાક લોકો પણ હાજર હોઈ શકે છે, જેઓ આ અકસ્માતનો ભોગ બન્યા હોઈ શકે. ડીએનએ રિપોર્ટના આધારે મૃતકોની સચોટ ઓળખ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના તબીબો અને પોલીસ સંયુક્ત રીતે કામ કરી રહ્યા છે, અને તમામ ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ અંતિમ આંકડો જાહેર કરવામાં આવશે.

મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોવાની શક્યતા

જાણકારી મુજબ આ ઘટનામાં મૃત્યુંઆંક 300 નજીક પહોંચી ગયો છે. આશંકા છે કે,   આ ઘટનામાં મૃત્યુંઆંક 300 થી પણ વધુ હોઈ શકે છે તેનું કારણ તે છે કે, જ્યાં પ્લેન ક્રેશ થયું તે રહેણાંક વિસ્તાર હતો અને  અહીં આજુબાજુના મકાનોને પણ આ ઘટનામાં નુકસાન થયું છે તેમાં કેટલાક બાળકો પણ હોવાનું કહેવાય છે  અને આ ઘટનામાં અન્ય મોટા માણસો એવી ગંભીર રીતે દાઝી ગયા છે કે તેમના અવશેષો પણ ઓળખાતા નથી અને અડધા અંગો બળીને ખાખ થયા છે તેને જોતા અંદાજો લગાવી શકાય કે, આ ઘટનામાં નાના બાળકોનું શું થયું હશે ?  જે આગમાં લોખંડ પણ પીગળું ગયું તેમાં નાના બાળકોનું તો શું થયું હશે ?

આ ઘટનાએ સમગ્ર દેશમાં શોકનું મોજું ફેલાવ્યું છે. કરુણ વાત તે છે કે, હજુ ઘણા પરિવારોને ખબર પણ નહીં હોય કે, તેમનું સ્વજન આ ઘટનામાં મૃત્યું પામ્યું છે. અને તેમના સ્વજનોની ડેડબોડી પણ તેઓ ઓળખી શકે તેમ નથી અને પોલીસ તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!

Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ

Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video

Air india Flight : 156 મુસાફરો સાથે થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, જાણો કારણ

Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 297 પર પહોંચ્યો, જાણો અત્યાર સુધીની અપડેટ

Vijay Rupani: પહેલી કારથી લઈને વર્ષો જૂના સ્કૂટર સુધી, ’12’ નંબર… વિજય રૂપાણી માટે લકી નંબર જ બન્યો અપશુકનિયાળ

 

  • Related Posts

    Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
    • December 12, 2025

    Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

    Continue reading
    Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
    • December 11, 2025

    (સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    • December 13, 2025
    • 5 views
    Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    • December 13, 2025
    • 5 views
    H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    • December 13, 2025
    • 5 views
    Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    • December 13, 2025
    • 5 views
    Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    • December 13, 2025
    • 10 views
    PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

    • December 13, 2025
    • 8 views
    Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ