Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

મહેશ ઓડ

Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે આખું વિમાન તૂટી ગયું, લોકો મરી ગયા પણ ભગવત ગીતાને કઈ ન થયું. આ પ્રકારની ઘણી રિલ્સ અને સમાચાર સોશિયલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યા છે.  જોકે સવાલ એ થાય છે કે ભગવત  ગીતા બચી તો પ્લેનમાં બેસનાર લોકો અને હોસ્ટેલમાં રહેનારા લોકોએ શું ગુનો કર્યો હતો કે તેમના મોત થયા?.

મિડિયા ભગવત ગીતા પુસ્તક સહીસલાત મળી આવવાના કારણને ચમત્કાર ગણાવી રહ્યું છે. ચત્કાર હોય તો કોઈએ પોતાના સ્વજનોન ગુમાવ્યા હોત?.

લોકો ભગવત ગીતા સલામત મળતાં શ્રધ્ધા અને આસ્થા સાથે જોડી રહ્યા છે અને તે ઠેરવી રહ્યું છે કે તે ભગવન ગીતા હતી એટેલ કંઈ ન થયું. તો વિમાનમાં બેસનારા અને હોસ્ટેલમાં રેહનારા ઈન્ટર્ન ડોક્ટરોએ શું પાપ કર્યા હશે!

મિડિયાને દરેક મુદ્દાને ધાર્મિક સંવેદનાનો સાથે જોડી ચગાવવામાં મજા આવે છે. તે સરકારને સવાલ પૂછતું નથી કે, કેમ વિમાન તૂટ્યું?, વિમાનનું સંચાલન કરતી કંપનીની શું બેદરકારી છે?

દાવો કરાઈ રહ્યા છે કે વિમાનમાં અગાઉ પણ ખામી હોવાનું બહાર આવ્યું હતુ. પણ ધ્યાન ન આપવામાં આવ્યું. જેના કારણે લોકો જીવ ગુમાવવાનો વારો આવ્યો. જો પહેલેથી જ સરકારે ધ્યાન આપ્યુ હોત તો આવી ઘટના ન સર્જાઈ હોત. હવે તંત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢાલવવા બેસી ગયું છે.

લોકો હજુ પણ એ માનવા તૈયાર નથી કે ભગવદ ગીતા બચી હોય તો તેનું કારણ ભૌતિક હોઈ શકે. ઉદાહરણ તરીકે, પુસ્તક કોઈ બેગ, લગેજ કે ધાતુના કન્ટેનરમાં હોઈ શકે, જે ગરમી અને આગથી થોડું સુરક્ષિત રહ્યું હોય કે પછી બીજું કંઈ કરાણ હોય. પણ લોકોને પણ કોઈપણ ઘટનાને ધર્મ સાથે જોડી દેવાની મજા આવે છે.

આ ઘટનામાં માત્ર એક વ્યક્તિ બચી છે. જેને પોતાની આપવીતી વર્ણવી છે. તે કેવી રીતે બહાર નિકળ્યો. તેમાં પણ નેતાઓ અને લોકો શંકા કરી રહ્યા છે. બચી ગયેલા લોકોને મિડિયા અને નેતાઓ જીવવા દેતા નથી.

ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી હોવા છતાં હોસ્પિટલમાં ઘૂસી ઘૂસીને તેને વાત કરાવવાનો પ્રયાસ કરે છે. મિડિયા પણ તમે કેવી રીતે બચી ગયાના સવાલો સતત કરતી રહે છે. આવા સમયે કોઈ નેતા કે મિડિયાને હોસ્પિટલની અંદર ઘૂસવા ન દેવા જોઈએ. આ માટે કડક નિયમો પણ બનાવવા જોઈએ. મિડિયા કે નેતાઓ અંદર ઘૂસે એટલે સારવાર કરતાં ડોક્ટરોને જ મુશ્કેલી સર્જાઈ છે. સાથે સાથે ઈજાગ્રસ્ત વ્યક્તિ પણ ખૂબ હેરાન પરેશાન થાય છે. વિમાન દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત વિશ્વાસકુમાર રમેશના હાવાભાવ પરથી ખબર પડી રહી હતી કે તે નેતાઓ અને મડિયાએ તેને કેટલો હેરાન કર્યો છે.

તેમાં પણ દેશના વડાપ્રધાન મોદી મળવા ગયા. જેમાં પણ ઘણી અગવડ પડી હશે!. અહીં મોદીએ અલગ અલગ એંગલથી પોતાના ફોટા લેવડાવ્યા. અલગ અલગ એંગલથી જ ફોટો શૂટીંગમાં જ જાણે રસ હોય. મોતનો મલજો પણ જળવાયો ન હોય તેવા દ્રશ્ય સર્જાયા છે.  આવા લોકો માટે શું કરવું તે તમે નક્કી કરો.

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Related Posts

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?
  • October 26, 2025

GUJARAT POLITICS | ગુજરાતમાં ભાજપનું નવું મંત્રી મંડળ નવા પ્રદેશ અધ્યક્ષ હજુતો રાજકારણમાં સક્રિય થાય તે પહેલાજ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે અવાજ ઉઠાવી આંદોલન શરૂ…

Continue reading
Gujarat politics: અબજો રૂપિયાનો ધૂમાડો છતા ગરીબીમાં વધારો! 560 ગરીબ કલ્યાણ મેળા પણ પરિણામ સૂન્ય?
  • October 26, 2025

Gujarat politics: સરકાર વર્ષોથી મોટા મોટા વોટ બેંક માટે વાયદા કરતી આવી છે. જે પછી નરેન્દ્ર સરકાર હોય કે, પછી આનંદીબેનની કે ભૂપેન્દ્ર પટેલની, જે સરકારો હંમેશા સરતાજ સિરે રાખવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો, અને પછી…

  • October 26, 2025
  • 1 views
UP News: પત્નીએ પતિને માર માર્યો, ઘાયલ પતિ100 ફૂટ ઊંડા કૂવામાં કૂદી પડ્યો,  અને પછી…

UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

  • October 26, 2025
  • 1 views
UP News: પરિવાર સાથે સબંધ તોડી કર્યો મોટો કાંડ, કાકા અને ભત્રીજાની ધરપકડ

Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે જાણી ચોંકી જશો!

  • October 26, 2025
  • 3 views
Maharashtra: પત્ની રિસાઈને પીયર જતી રહી, પતિએ અઢી વર્ષની જોડિયા બાળકીઓ સાથે કર્યું એવું કરે  જાણી ચોંકી જશો!

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

  • October 26, 2025
  • 3 views
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ:-“હું દર મહિને એક યુદ્ધ બંધ કરાવું છું! હવે,પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો વારો!”

ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

  • October 26, 2025
  • 2 views
ગુજરાતનું ખેડૂત આંદોલન ભાજપને ભારે પડશે? ‘આપ’ના બે મોટા નેતાઓનો ભાજપને લલકાર; સુદામડામાં કઇક મોટું થવાનું છે?

Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!

  • October 26, 2025
  • 11 views
Delhi : ભાજપના સૌથી મોટા ગપગોળાનો પર્દાફાશ;PM મોદી યમુનામાં ડૂબકી લગાવે તે પહેલાં ખુલ્લી ગઈ પોલ!!