
Ahmedabad Plane Crash:અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ બનેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ની ભયાનક દુર્ઘટનાને બે દિવસ વીતી ગયા છે ત્યારે ઘટના સ્થળેથી કાટમાળ હટાવવાનું કામકાજ ચાલી રહ્યું છે ત્યારે આ કાટમાળ હટાવતી વખતે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. જે એરહોસ્ટેસનો હોવાની શક્યતા છે.
પ્લેનનો કાટમાળ હટાવતા મળ્યો મૃતદેહ
દુર્ઘટના સ્થળે લગભગ 17 એજન્સીઓ તપાસમાં લાગેલી છે, અને હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પણ આ મામલે તપાસમાં જોડાઈ છે. NIAએ ગુજરાત સરકારને તપાસમાં સહયોગ માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ દરમિયાન, કાટમાળ હટાવવાની પ્રક્રિયા દરમિયાન વિમાનના ટેલના ભાગમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મૃતદેહ એર હોસ્ટેસનો હોઈ શકે છે. મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો હતો.
મૃતદેહોની ઓળખમાં પડકાર
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 265 મૃતદેહો આવી ચૂક્યા છે, જેમાંથી ઘણાની હાલત એટલી ખરાબ છે કે ઓળખ કરવી અશક્ય બની રહી છે. આ કારણે ડીએનએ ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે, જેથી પરિવારોને તેમના સ્વજનોના મૃતદેહ ઝડપથી સોંપી શકાય.આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું, તેમના ડીએનએ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે બાદ તેમને મૃતદેહ સોંપવામાં આવશે.
આ પણ વાંચો:
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા
Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video