Ahmedabad plane crash: સરકારનું ખરાબ દેખાય એટલે અસલી હીરો એવા ઘણાં નાગરિકોના નામ સરકાર જાહેર કરતી નથી

 દિલીપ પટેલ

 Ahmedabad plane crash, Real Heroes: અમદાવાદમાં મેઘાણીનગરમાં તૂટી પડેલા વિશ્વ હીરો તો પ્લેન તૂટવાની ફિલ્મ મોબાઈલ ફોનમાં ઉતારનારા છે. લોકોને બચાવવા માટે સૌથી પહેલાં દોડી જનારા મેઘાણીનગરના અનેક નાગરિકો છે, જેને સરકાર ક્યારેય સ્વીકારશે નહીં. તેનું સન્માન નહીં કરે. ખરા હીરો 5 છે. કોણ અને શા માટે છે તેની ઘણી વિગતો બહાર આવી છે. એક માત્ર બચી જનારા પ્રવાસી હીરો છે. વિડિયો ફિલ્મને ઉતારીને દસ્તાવેજ બનાવનારો કિશોર વિશ્વ હિરો બની ગયો છે.

108ના નિરીક્ષક સતિંદરસિંઘ સંધુ

વિમાન દુર્ધટનામાં લોકોને બચાવવા માટે સૌથી પહેલાં જાણ કરનારા અને સૌથી પહેલાં પહોંચનારા સતિંદર સિંઘ સંધુ હતા.
સંધૂ આજે હીરો બની ગયા છે.

સતિંદર સિંઘ સંધૂનો પરિવાર પંજાબમાં તેમના ગામમાં જ રહે છે. તેઓ એકલા અમદાવાદ રહે છે. તેઓ 1992માં નવમા ધોરણમાં ભણતા હતા. ત્યારથી અમદાવાદમાં રહે છે. કોલેજમાં એનસીસીમાં હતા. પિતા પણ આર્મીમાં હતા, જેથી મદદ અને રેસ્ક્યુમાં પહેલેથી જ જોડાયેલા છે.

વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં અમદાવાદના વસ્ત્રાપુરમાં માનસી ટાવર પડી ગયું હતું ત્યાં રેસ્ક્યૂ ટીમમાં હતા. ત્યારબાદ 2020માં કોવિડમાં સતત કામ કર્યું છે. દુર્ઘટનામાં લોકોને મદદ કરી હતી, તે અંગે તેમના પરિવારને ખૂબ જ ગર્વ છે.

ઘટનાસ્થળની નજીક સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી 1200 બેડ હૉસ્પિટલના ગેટ નંબર 8 પાસે સતિન્દરસિંહ સંધુની કચેરી છે, જે તેમની ફરજનું સ્થળ છે. સતિન્દરસિંહ સંધુ 10 વર્ષથી 108 ઇમરજન્સી સેવામાં નોકરી કરે છે. શહેરની 120 ઍમ્બ્યુલન્સમાંથી 20 એમ્બ્યુલન્સનું સંચાલન સતિન્દરસિંહ કરે છે.

સિવિલ હોસ્પિટલના દગવાજા નંબર 8 પાસે તેઓ જમી રહ્યા હતા. જો વિમાન થોડું આગળ આવ્યું હોત તો કદાચ તેઓ આજે ના હોત.

108ના નિરીક્ષક સતિંદરસિંઘ સંધૂ કહે છે કે, ‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભળાયો, હાજર તમામ 108-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડોક્ટર હોસ્ટેલ પહોંચી ગયો. બપોરે 1ને 40 મિનિટ થઈ હતી. હોસ્પિટલ મેસ તરફ ધુમાડાના ગોટેગોટા ઊડતાં જોયા. કંઈક મોટી ઘટના થઈ છે એવું લાગતા મેં તરત હોસ્પિટલમાં હાજર તમામ એમ્બ્યુલન્સને જે તરફ ધુમાડો દેખાતો હતો, ત્યાં પહોંચી જવા કહ્યું. રસ્તામાંથી જ મેં અમારા પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર શાહીને ફોન કર્યો કે કોઈ મોટી ઘટના બની છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે. કંટ્રોલ રૂમને જાણ કરી કે એમ્બ્યુલન્સ અને ડોક્ટરો તુરંત મોકલો. માત્ર ત્રણ જ મિનિટમાં બચાવ માટે મદદ પહોંચી ગઈ હતી.

ધડાકા થયો ત્યારે લાગ્યું કે, કોઈ અકસ્માત થયો હશે અથવા તો ગેસ ફાયર થયું હોઈ શકે છે. એટલે અમને જે દિશામાં ધુમાડા દેખાતા હતા તે દિશામાં હું દોડવા લાગ્યો. આગ જોઈને મને લાગ્યુ કે ઘટના બહુ જ મોટી છે, જેથી હેડક્વાર્ટરને જાણ કરી. તમે જલદીથી ફાયર વિભાગને જાણ કરો અને વધારે ઍમ્બ્યુલન્સ મોકલો.

હું બેથી ત્રણ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ ખૂબ જ વિકરાળ હતી. કંઈ જ દેખાતું નહોતું. લોકો આમ તેમ દોડી રહ્યા હતા. એક સિક્યુરિટી ગાર્ડ દરવાજાથી બહાર આવ્યા જેમને મોઢા પર અને હાથ-પગ પર ઈજાઓ થઈ હતી. તેમને હું અમારી 108ની ઍમ્બ્યુલન્સ પાસે લઈ ગયો.

આગ એટલી વિકરાળ હતી કે અંદર જઈ શકાય તેમ પણ નહોતું. સ્થાનિક લોકોનાં પણ મોત થયાં હતાં. આસપાસની બિલ્ડિંગમાં આગ હતી. એક મહિલા દોડીને આવી રહી હતી, તેના બાળકને બચાવવા તે દોડી હતી, પરંતુ તે તેને બચાવી શકી નહીં. તે અમે જોયું હતું. તે મહિલા પણ દાઝી ગયાં હતાં. તેને એમ્બ્યુલન્સમાં સિવિલ પહોંચાડીને દાખલ કર્યાં હતાં.

મેદાન, જમીન, રસ્તા પર મૃતદેહો પડ્યા હતા. વિમાનનો કાટમાળ સળગી રહ્યો હતો. તેમજ હોસ્ટેલ પર દરેક જગ્યાએ મૃતદેહો અને ઈજાગ્રસ્ત લોકો હતા. એ દિવસે 108 દ્વારા 20 ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. એ દિવસે રાત્રે 3 વાગ્યા સુધી ઘટનાસ્થળે જ હતા અને રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાયેલા હતા.

પહેલી વાર મેં જોયુ તો મને કોઈ ખ્યાલ જ નહોતો કે આ શું થયું છે. કેટલાક લોકો કહેતા હતા કે પ્લેન ક્રેશ થયું છે, પરંતુ આગના ધુમાડા એટલા હતા કે કઈ જ દેખાતું નહોતું. ફાયરબ્રિગેડ આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું પછી વિમાનના તૂટી ગયેલા કેટલાક ટુકડા પગમાં આવવા લાગ્યા. પછી મને ખબર પડી કે વિમાન તૂટી પડ્યું છે.

જીવતા બહાર આવ્યા

એકાદ બે મિનિટ બાદ એક યુવકને જોયો જે અંદર જતો અને બહાર આવતો હતો, અમે તેમને બૂમો પાડીને અંદર ન જવા સમજાવ્યા હતા. તેમને મોઢા પર ઈજા હતી અને હાથ પર દાઝી ગયા હતા. તેમને એમ્બ્યુલન્સમાં સિવિલ હૉસ્પિટલ લઈ ગયા હતા. જોકે રાત્રે 9 વાગ્યા બાદ અમને ખબર પડી કે જેમને અમે રેસ્ક્યૂ કરીને હૉસ્પિટલ લઈ ગયા હતા તે વિશ્વાસકુમાર રમેશ છે. ત્યાર બાદ એક ડૉક્ટરનો પરિવાર બહાર આવ્યો જેને અમારી ટીમ સિવિલ હોસ્પિટલ લઈને આવી હતી.

તે બહાર આવે છે તે પછી સતિન્દરસિંહ તેમને પકડીને એમ્બ્યુલન્સ સુધી લઈ જાય છે. જ્યારે તેમને અમે રેસ્ક્યુ કર્યા તે સમયે અમને ખબર ન હતી કે તેઓ વિમાનના મુસાફર હતા અને બચી ગયેલા પેસેન્જર છે. તેમને મોઢા પર ઈજા હતી અને હાથ પણ દાઝી ગયા હતા.

તેઓ પરેશાન લાગતા હતા. તેઓ ક્યારેક અંદર જતા, તો ક્યારેક બહાર આવતા હતા. તેમની મારી સાથે વાત થઈ ત્યારે તેઓ સતત બોલી રહ્યા હતા કે મારા પરિવારના લોકો અંદર છે, મારે તેમને બચાવવા છે. બાકી બધા સળગી ગયા છે.

ઇમરજન્સી વિન્ડો પાસે બેઠા હતા, જેવી ઇમરજન્સી વિન્ડો તૂટી ગઈ અને તેઓ બહાર પડ્યા હતા. તેમને ખબર જ નથી કે તેઓ કૂદ્યા કે બહાર ફેંકાઈ ગયા. એનાથી વધારે મારી સાથે કોઈ વાત કરી નહોતી.

અમને રાત્રે 9 વાગે ઑફિસથી ફોન આવ્યો કે વિમાનમાંથી એક પેસેન્જર બચી ગયા છે, તેમને 108ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, તેમની માહિતી આપો. અમારી ઓફિસ દ્વારા તેમનું નામ અને ફોટો મોકલ્યાં હતાં. તેમનો ફોટો જોઈને અમને ખબર પડી કે અમે તેમને રેસ્ક્યૂ કરાયા હતા. કન્ફર્મેશન માટે અમારી ટીમ દ્વારા જે નામ લખ્યું હતું તે મેચ થઈ ગયું હતું. અમે જે બીજા વ્યક્તિને રેસ્ક્યુ કર્યા તે રમેશ જ હતા.

વિશ્વાસની કહાની

Vishwas Kumar Ramesh: વિશ્વાસનો જીવ બચ્યો પણ ભાઈ ગુમાવ્યો: ડીસ્ચાર્જ બાદ સીધો ભાઈની નનામીમાં - Gujarat News

એર ઇન્ડિયાની ફ્લાઇટ બોઇંગ 787-8 ડ્રીમ લાઇનના અમદાવાદમાં સર્જાયેલા હૃદયદ્રાવક વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા હતા. જેમાં એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશનો બચાવ થયો હતો. સીટ નંબર-11એની ફ્લાઇટમાં બેઠેલા 40 વર્ષીય વિશ્વાસકુમાર રમેશનો આ પ્લેન ક્રેશમાં બચાવ થયો છે અને તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. હવે દીવ પહોંચી ગયા છે. પ્લેન ક્રેશ થયું ત્યારે વિશ્વાસકુમાર રમેશે કૂદકો લગાવી દીધો હતો અને તેનો આબાદ બચાવ થયો હતો. વિમાનની નીચે કુદકો મારનારા અથવા દરવાજો તૂટી જતાં બહાર ફેંકાયેલા વિશ્વાસના અલગ-અલગ નિવેદનો છે, તે જેમના તેમ અહીં આપેલા છે.

તેણે એમ્બ્યુલન્સ, તબિબો, ઘણા પત્રકારો અને એક રાજનેતા સમક્ષ જે વાતો કરી તે અહીં સંકલિત કરી છે. તેમાં ઘણી વિગતો અને ઉચ્ચાતો વિરોધાભાષી છે. પણ તે બોલે છે તે જેમના તેમ રાખ્યા છે.

વિશ્વાસ કુમાર રમેશ કહે છે, દરવાજો તૂટી જતાં હું બચી ગયો, નજર સામે લોકો સળગી રહ્યા હતા. પ્લેન ક્રેશમાં બચી ગયેલા વિશ્વાસે વડાપ્રધાન અને પત્રકારોને જણાવી આપવીતી હતી.

મારી આંખો સામે બધું નષ્ટ થઈ ગયું

વિશ્વાસ કુમાર રમેશે જણાવ્યું કે, વિમાન જેવું રનવે પર ઝડપથી ઉંચે ચઢવા જોર લગાવી રહ્યું હતું. ત્યારે જ કંઈક અજીબ અનુભવ થયો. અચાનક 5-10 સેકન્ડ માટે વિમાન અટકી ગયું હતું. બાદમાં અચાનક ગ્રીન અને વ્હાઇટ લાઇટ્સ ઑન થઈ ગઈ. જાણે એવું લાગ્યું કે, પાયલોટે માંડ-માંડ પ્લેનને ટેક ઑફ કરાવ્યું હોય. બાદમાં સ્પીડમાં જ પ્લેન સીધું હોસ્ટેલની બિલ્ડિંગમાં જઈને અથડાયું. મારી આંખો સામે જ આખું પ્લેન બળીને ખાખ થયું હતું.

વિશ્વાસ કહ્યું કે, મારી સીટ પ્લેનના જે હિસ્સામાં હતી. તે હિસ્સો જ બિલ્ડિંગના નીચલા હિસ્સા સાથે અથડાયો હતો. ઉપરના હિસ્સામાં આગ લાગી હતી. અનેક લોકો ફસાયા હતા. હું મારી સીટ સાથે જ નીચે પટકાયો હતો. દરવાજો તૂટી જતાં હું સીટ સાથે પટકાયો, મારી સામે થોડી ખુલ્લી જગ્યા હોવાથી હું માંડ-માંડ તેમાંથી બહાર નીકળ્યો. વિમાનની બીજી બાજુમાં દીવાલ હોવાથી તેમાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. મારી આંખો સામે જ બે એર હોસ્ટેસ, એક અંકલ-આંટી અને બધું જ બળી રહ્યું હતું. આ દુર્ઘટનામાં મારો ડાબો હાથ બળી ગયો હતો. પરંતુ મારો જીવ બચી ગયો. મેં બહાર આવીને જોયું તો ચારેકોર આગ અને ધુમાડાના ગોટે-ગોટા હતા. જો મને બહાર નીકળવામાં થોડી સેકન્ડ વધુ થઈ હોત તો હું પણ ન હોત.

વિશ્વાસ તેના ભાઈ સાથે જઈ  લંડન રહ્યો હતો.  જેનું મોત થયું છે. તેના દીવના બીજા 14 લોકોના મોત થયા છે. વિશ્વાસ અને તેનો ભાઈ અજય બંને બ્રિટનના લેસ્ટરમાં રહે છે. બંને સાથે જ ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા.

વિશ્વાસના અન્ય એક ભાઈ નયને જણાવ્યું કે, વિશ્વાસને પ્લેન કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી નથી. તેને તે પણ નથી ખબર કે, તેનો જીવ કેવી રીતે બચ્યો.

વિશ્વાસે જણાવ્યું કે, ‘ટેક્ ઓફ્ની 30 સેકન્ડ બાદ ખૂબ જ મોટો અવાજ થયો અને ત્યારબાદ પ્લેન ક્રેશ થયું હતું. બધું જાણે આંખના પલકારામાં થઇ ગયું. વિમાન ક્રેશ બાદ હું ઊભો થયો ત્યારે મારી આસપાસ મૃતદેહના ઢગલા હતા. હું ખૂબ જ ડરી ગયો હતો અને ઉભો થઇને તુરંત જ તે સ્થળથી દોડવાનું શરૂ કરી દીધું.

મારી આસપાસ વિમાનના પાર્ટ્સ વિખરાયેલા પડયા હતા. અચાનક જ કોઇએ મને પકડયો અને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ પહોંચાડયો હતો.

વિશ્વાસ રમેશ છેલ્લા 20 વર્ષથી લંડનમાં સ્થાયી થયેલા છે. દીવમાં તે પરિવારના સભ્યોને મળવા માટે આવ્યા હતા. તેમની સાથે વર્ષીય ભાઈ અજય કુમાર રમેશ પણ મુસાફરી કરી રહ્યા હતા. વિશ્વાસ રમેશે જણાવ્યું કે, ‘અમે પારિવારિક કારણોસર દીવ આવ્યા હતા. મારી સાથે મારા ભાઇ પણ પ્રવાસ કરી રહ્યા હતા. પરંતુ હવે તે મળી રહ્યા નથી. પ્લીઝ, મારા ભાઈને શોધવામાં મદદ કરો. ‘

દીવ વિસ્તારના 15 વ્યક્તિઓ એર ઈન્ડિયાના વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાંથી એક વ્યક્તિ રમેશ વિશ્વાસકુમાર કૂદકો મારી બહાર નીકળી જતાં તેનો બચાવ થયો છે. અમદવાદના મેઘાણીનગર ખાતે થયેલી પ્લેન ક્રૅશની ઘટનામાં વિમાનમાં સવાર 242 લોકો હતા. વિમાનમાં બેઠેલા એક પણ મુસાફરની બચવાની આશા ન હતી ત્યારે રમેશ વિશ્વાસકુમાર ભાલિયા આગની જવાળાઓથી દાઝી ગયા હતા. પરંતુ લાશોના ઢગલા વચ્ચે બહાર નિકળવામાં સફળ રહયા હતા.

વિશ્વાસ કહે છે કે, મને હજુ સુધી વિશ્વાસ નથી થઈ રહ્યો કે હું કેવી રીતે જીવતો બચી ગયો. પહેલાં તો મને લાગ્યું કે હું મરવાનો છું. હું મારી આંખ ખોલી શક્યો, મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને પ્લેનમાંથી નીકળવાનો પ્રયાસ કર્યો.

રમેશે કહ્યું કે તેમની બેઠક બાજુનો પ્લેનનો ભાગ હૉસ્ટેલ બિલ્ડિંગને અથડાયો નહોતો અને ગ્રાઉન્ડ ફ્લોરથી નજીક હતો. મારો દરવાજો તૂટી ગયો અને મને એક નાનકડી જગ્યા ખુલ્લી દેખાઈ. મેં પ્લેનમાંથી બહાર નીકળવાની કોશિશ કરી.

સળગી રહેલા પ્લેનથી દૂર જઈ રહેલા રમેશનો વીડિયો તરત વાઇરલ થઈ ગયો.

તેમણે કહ્યું કે તેમનો ડાબો હાથ દાઝી ગયો છે, ઘટનાસ્થળેથી બાદમાં તેમને તરત હૉસ્પિટલ લઈ જવાયા હતા.

શુક્રવારે વહેલી સવારે વડાપ્રધાન મોદી પણ સિવિલ હોસ્પિટલ ખાતે રમેશને મળ્યા.

“હું જે બાજુ બેઠો હતો તે હોસ્ટેલની બાજુમાં ન હતો, તે હોસ્ટેલનો ગ્રાઉન્ડ ફ્લોર હતો. મને બીજા વિશે ખબર નથી, પણ હું જે જગ્યાએ બેઠો હતો તે ભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યો હતો, અને ત્યાં થોડી જગ્યા હતી. મારો દરવાજો તૂટતાની સાથે જ મેં જોયું કે થોડી જગ્યા હતી, અને પછી મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો, અને હું બહાર નીકળી ગયો.

સામેની બાજુ એક ઇમારતની દિવાલ હતી, અને તે બાજુ વિમાન સંપૂર્ણપણે તૂટી પડ્યું હતું, તેથી કદાચ એટલા માટે જ કોઈ તે બાજુથી બહાર નીકળી શક્યા નહીં. ફક્ત હું જ્યાં હતો ત્યાં જ જગ્યા હતી. મને ખબર નથી કે હું કેવી રીતે બચી ગયો. જ્યારે આગ લાગી, ત્યારે મારો ડાબો હાથ પણ બળી ગયો. પછી મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. અહીંના લોકો મારી સાથે સારી રીતે વર્તણૂક કરી રહ્યા છે. અહીંના લોકો ખૂબ સારા છે.”

વિશ્વાસનું બચી જવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. થોડા સમય માટે, તેણે વિચાર્યું હતું કે, તે પણ મરી જશે, પરંતુ ચમત્કારિક રીતે મૃત્યુથી બચી ગયો.

મોદી સાથે મુલાકાતને લઈને વિશ્વાસે કહ્યું કે, “પીએમ મોદીએ મને ઘટના વિશે પૂછ્યું. આ બધું મારી નજર સામે બન્યું. મને વિશ્વાસ પણ નહોતો આવતો કે હું કેવી રીતે બચી ગયો. ઉદાહરણ તરીકે, મને લાગ્યું કે હું પણ મરી જઈશ. પરંતુ જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે હું જીવતો હતો. મેં મારો સીટ બેલ્ટ ખોલ્યો અને ત્યાંથી ભાગી ગયો. કાકા-કાકી અને એર હોસ્ટેસના મૃતદેહ ત્યાં હતા…”

આ ઘટના વિશે સમજાવતા, વિશ્વાસે કહ્યું, “ટેકઓફ કર્યા પછી, 5-10 સેકન્ડ માટે, અમને એવું લાગ્યું કે બધું જ અટકી ગયું છે. પ્લેન પર લીલી અને સફેદ લાઇટો ચાલુ કરવામાં આવી હતી. મને લાગે છે કે ટેકઓફ માટે પ્લેનની ગતિ વધારી દેવામાં આવી હતી, અને તે હોસ્ટેલની ઇમારત સાથે અથડાયું. આ બધું મારી નજર સામે બન્યું.”

બચી ગયેલા સીટ નંબર 11એના પ્રવાસી વિશ્વાસ રમેશ કુમારની બાજુમાં જ સીટ નંબર 11બી અને 11સી પર બેઠેલાં સુરતના ડોક્ટર દંપતિ ડો.હિતેશ શાહ અને તમના પત્ની ડૉ. અમિતા શાહ કાળનો કોળિયો બની ગયા છે.

ચિરાગ સંતોકી

એચબીસી ચિરાગ સંતોકી કહે છે કે, એ વખતે મને ખબર નહોતી કે હું જેનો હાથ પકડીને એમ્બ્યુલન્સમાં લઈ જઈ રહ્યો છું, તે વિમાન દુર્ઘટનાનો એક માત્ર બચી જનારા વિશ્વાસ કુમાર છે.
ધડાકો થતાં જ ભોજન છોડીને સીધા જ ઘટનાસ્થળે પહોંચેલા સંધૂએ ત્યાંથી સૌ પહેલાં ઘાયલ થયેલા રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલના સિક્યૉરિટી ગાર્ડને સિવિલ મોકલી આપ્યો હતો.

ત્યારે હોસ્ટેલના દરવાજામાંથી કોઈ વ્યક્તિ દોડતી બહાર આવી રહી હતી. સતિંદરસિંઘે પોતાની સાથે રહેલાં એચબીસી ચિરાગ સંતોકીને આ વ્યક્તિને લઈ જવા કહ્યું. દુર્ઘટનાથી હતપ્રભ બનેલો એ વ્યક્તિ તેની સાથે પણ બીજા લોકો છે એવું સતત બબડતો હતો. મેં તેને સાંત્વના આપી, ધીરજ રાખવા કહ્યું અને તેને તુરંત હોસ્પિટલ મોકલી આપ્યો.

મોડેથી મારા અધિકારીઓ અને મિત્રોએ મને જણાવ્યું કે મેં જેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો તે જ વ્યક્તિ દુર્ઘટનાનો એક માત્ર બચીજનારા હતા.

પ્રોગ્રામ મેનેજર જિતેન્દ્ર શાહી

પ્રોગ્રામ ઓફિસર જિતેન્દ્ર શાહીએ જણાવ્યું કે સુપરવાઇઝર સંધુનો મને ફોન આવ્યો કે, સિવિલ હોસ્પિટલ પાસે કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ છે, કદાચ પ્લેન ક્રેશ હોઈ શકે છે. તરત નજીકના સ્પોટ પરની પચ્ચીસ એમ્બ્યુલન્સને ઘોડા કેમ્પ મોકલી આપવા સંદેશ કરી દીધી. ગણતરીની મિનિટોમાં 25 એમ્બ્યુલન્સ પહોંચી ગઈ અને ત્યાર બાદ દસ વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઈએમટી ચિંતન વણકર

ઈએમટી ચિંતન વણકર કહે છે કે, ‘આટલી મોટી દુર્ઘટના જોઈને સૌ પ્રથમ તો હું પણ સ્તબ્ધ થઈ ગયો હતો. થોડો ગભરાટ પણ થયો, પરંતુ તરત જ મેં મારા મન પર કાબૂ મેળવી લીધો અને વિચાર્યું કે આ જ આપણી ખરી કસોટી છે. ઓપરેશન શિલ્ડ વખતે અમને અપાયેલી તાલીમ કામ આવી હતી.

અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક માત્ર સર્વાઇવર વિશ્વાસ કુમારને 108માં હોસ્પિટલ પહોંચાડનાર ટીમ માટે પણ આટલી મોટી દુર્ઘટનામાં કામગીરી કરવાનો અનુભવ લગભગ સૌથી પહેલો જ હતો. જેથી તેમના માટે પણ ગભરાવું અને હચમચી જવું સ્વાભાવિક હતું. પૂરતી તાલીમ આપવામાં આવતી હોય છે. જેના કારણે અનેક ઘાયલોને શાંત કરવાથી માંડીને તેમને સાંત્વના આપવામાં સહાયતા મળી રહી.

ગયા મહિને ઓપરેશન શિલ્ડ વખતે અમે શાહીબાગ વિસ્તારમાં જ આની તાલીમ પણ લીધી હતી. જે અનુભવ પણ તાજો જ હતો. એટલે મેં વિશ્વાસ કુમારને શાંત પાડ્યા અને તુરંત હોસ્પિટલે લાવીને તેની સારવાર શરૂ કરાવી. ત્યાર બાદ અમે સીધા જ બીજા ઘાયલોની મદદ માટે ફરીથી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

નાગરિકોની મોટી સંખ્યા

આ ઉપરાંત મેઘાણીનગરના અનેક લોકો મદદે દોડી ગયા હતા. આવા 20થી વધારે લોકો છે જેમણે સળગતા વિમાનમાં ઘણાંને બચાવવા મદદ કરી હતી. વિમાનની જીવંત ફિલ્મ ઉતારનારા પણ વિશ્વના હીરો છે. સરકાર આવા હીરોની કદર ક્યારે કરતી નથી. મોરબી પુલ તૂટવાની ઘટના અને સુરતના તક્ષશિલામાં આગ લાગવાની ઘટનામાં લોકોને બચાવનારા અનેક નાગરિકો હતા. છતાં તેમની કદર સરકારે કરી નથી. જો તેમનું બહુમાન કરે તો સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટનું અને સરકારનું ખરાબ દેખાય એવું સંકુચિત અધિકારીઓ અને સંકુચિત નેતાઓ માની રહ્યાં હોવાનું સાબિત કરે છે.

पीएम मोदी ने विश्वास से करीब 5 मिनट बात की।

રાજનેતાઓ હીરો બનવા માટે કેમેરા સાથે બચી જનારા વિશ્વાસ પાસે જઈને ફોટો પાડી આવે છે. સાચા હીરા જેવા હીરોની સાથે ખોટા હીરો પણ છે.

 

આ પણ વાંચો:

Ahmedabad plane crash: વિમાન દુર્ઘટના RAT ને કારણે થઈ! પૂર્વ યુએસ નેવી પાઇલટે કહ્યું

Spitting in London: લંડનને ગુજરાતીઓએ પાન-મસાલાની પીચકારીઓ મારી બગાડ્યું!

Ahmedabad Plane Crash: વડાપ્રધાન અને ગૃહપ્રધાનના દાવાને 108ની વિગતો પડકારે છે 

Ahmedabad Plane Crash માં બચી ગયેલા રમેશ વિશ્વાસ તેના ભાઈની અંતિમ યાત્રામાં જોડાયો, સર્જાયા ભાવુક દ્રશ્યો

Ahmedabad Building Dangerous: અમદાવાદની આ બિલ્ડિંગો નોતરી શકે છે વિમાન દુર્ઘટનાઓ? કાર્યવાહી ક્યારે?

 Vadodara: સયાજી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટી ગાર્ડની છેડતી CCTV બંધ, સુરક્ષા પર સવાલો

Israel Iran War: યુદ્ધમાં અમેરિકા કૂદી પડ્યું!, ટ્રમ્પે સેનાને હુમાલની મંજૂરી આપી!

PM મોદીને G7માં બોલવતાં કેનેડામાં વિરોધ, ફજેતી થઈ છતાં ગયા!, પછી શું થયું જુઓ VIDEO?

મોડે મોડે મોદીને કેનેડાથી ફોન આવ્યો, ‘આવો G7 સમિટમાં’, PM મોદી ખુશ થયા

Surat માં એરપોર્ટ પાસેના 151 વૈભવી ફ્લેટ ધારકોને ખાલી કરવાની નોટિસ, બિલ્ડરોની ગેરરીતિ

Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુધ્ધ કેમ?, જાણો

Israel-Iran War: ઈરાનમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી જાહેર, નાગરિકોને આપી આ સુચના

Israel-Iran War: ઈરાનના નેતા ખામેનીએ ઇઝરાયલ સામે યુદ્ધની જાહેરાત કરી, હવે શું?

 

 

 

Related Posts

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!
  • December 13, 2025

Farmers Protest: સરકાર દ્વારા ખેડૂતો માટે બિયારણનો નવો કાયદો લાવવાની વાત સામે ખેડૂત અગ્રણીઓમાં વિરોધ શરૂ થયો છે અને આ કાયદાથી ખેડૂતોને નુકશાન થશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ રહી છે…

Continue reading
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!
  • December 13, 2025

PM Modi: પીએમ નરેન્દ્રભાઈ મોદીએ દેશની બેટીઓ માટે આપેલા એક સ્લોગન ‘બેટી બચાવો અને બેટી પઢાવો’ સદંતર નિષ્ફળ ગયુ છે.જેના તાજા ઉદાહરણમાં દેશમાં અન્ય રાજ્યો કરતા ગુજરાતનું ખાડે ગયેલા શિક્ષણના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ