
Ahmedabad Plane Crash: ગત 12 જૂનના રોજ અમદાવાદના મેધાણીનગરમાં એર ઇન્ડિયાના વિમાન AI171ની દુ:ખદ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા હાર્દિકભાઈ દેવરાજભાઈ અવૈયાનો મૃતદેહ તેમના વતન ગઢડા તાલુકાના અડતાળા ગામે પહોંચતાં પરિવારજનોમાં આક્રંદ અને ગામમાં ગમગીનીનો માહોલ છવાયો. હાર્દિકભાઈની અંતિમયાત્રા નીકળતાં આખું ગામ હિબકે ચડ્યું હતું.
બોટાદના મૃતક હાર્દિકભાઈનો મૃતદેહ વતન પહોંચ્યો
મળતી માહિતી મુજબ હાર્દિકભાઈ અવૈયા છેલ્લાં ત્રણ વર્ષથી લંડનમાં રહેતા હતા, જ્યાં તેઓ અભ્યાસની સાથે-સાથે નોકરી પણ કરતા હતા. તેમના પિતા દેવરાજભાઈ અવૈયાએ પોતાની જમીન વેચીને હાર્દિકભાઈને લંડન અભ્યાસ માટે મોકલ્યા હતા. હાર્દિકભાઈએ કામરેજ તાલુકાના વિભૂતિબેન પટેલ સાથે સગાઈ કરી હતી અને તેઓ હાલમાં વતન પરત ફર્યા હતા. દેવરાજભાઈને બે દીકરા અને ત્રણ દીકરીઓ છે, અને હાર્દિકભાઈના અવસાનથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
Ahmedabad Plane Crash: બોટાદના મૃતક હાર્દિકભાઈનો મૃતદેહ વતન પહોંચ્યો, પરિવારમાં આક્રંદ#Ahmedabad #planecrashahmedabad #AhmedabadPlaneCrash #DNA #DNAReport #Botad #gujarat #thegujaratreport pic.twitter.com/FRuz0knlzz
— The Gujarat Report (@TGujarat_Report) June 15, 2025
ગામમાં ગમગીની છવાઈ
હાર્દિકભાઈનો મૃતદેહ જ્યારે અડતાળા ગામે પહોંચ્યો, ત્યારે પરિવારજનો અને ગામ લોકો શોકમાં ડૂબી ગયા. અંતિમયાત્રા દરમિયાન ગઢડા મામલતદાર, પોલીસ અને મેડિકલ ટીમ હાજર રહી, જેઓએ પરિવારને જરૂરી સહાય પૂરી પાડી. આ દુર્ઘટનાએ ન માત્ર અવૈયા પરિવારને, પરંતુ આખા અડતાળા ગામને ઊંડો આઘાત આપ્યો છે. હાર્દિકભાઈના સ્વપ્નો અને તેમના પરિવારની આશાઓ આ દુર્ઘટનામાં ખોવાઈ ગઈ છે.
આ પણ વાંચો:
Ahmedabad: ‘મારી દીકરીને દાખલ કરી છે, પ્લીઝ મને સમય આપો, તંત્રના આદેશ સામે લાચાર ડૉક્ટરની વ્યથા
Dhubri violence:’જોતાં જ ગોળી મારવાનો આદેશ’, આસામના ધુબરીમાં પરિસ્થિતિ વધુ વણસી
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video