અમદાવાદનો સારંગપુર બ્રિજ આગામી દોઢ વર્ષ માટે બંધ, અવર-જવર ક્યાથી કરશો?

  • Gujarat
  • December 30, 2024
  • 0 Comments

અમદાવાદનો સારંગપુર બ્રિજ દોઢ વર્ષ માટે બંધ રહેશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આગામી દોઢ વર્ષ સુધી સારંગપુર બ્રિજ બંધ રહેવા અંગે શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. બ્રિજ તોડીને નવો બનાવાશે. 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બંધ રહેશે.

રેલવે સ્ટેશનના મુખ્ય રસ્તાને બંધ કરીને ટ્રાફિકને ડાયવર્ટ કરાયો

હવે સારંગપુર બ્રિજ બંધ થતાં લોકોની અવર-જવર માટે રસ્તાને ડાયવર્ટ કરાયો છે. રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ થતું હોવાના કારણે રેલવે વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સારંગપુર બ્રિજ અને કાલપુર બ્રિજને ફોર લેન બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બ્રિજ રૂ. 439 કરોડના ખર્ચે બનાવાશે, જેનું કામ દોઢ વર્ષ સુધીમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે.

વૈકલ્પિક માર્ગો

1) ગીતા મંદિર,ગાંધી રોડ,ખાડીયા તથા શહેર તરફથી આવતા વાહનો કાગડાપીઠ પોલીસ સ્ટેશન થઇ વાણિજ્ય ભવન થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઈ એપરલ પાર્ક થઇ અનુપમ સિનેમા થઈ જરૂરીયાત મુજબ અલગ અલગ મુખ્ય માર્ગનો ઉપયોગ કરી શકાશે.

    2) ગીતા મંદિર તથા શહેર તરફથી આવતા વાહનો જે કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઇ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગ ચાલુ છે, તેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઇ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઇ શકાશે.

    3) રખિયાલ ઓઢવ તરફથી સારંગપુર બ્રીજ તરફ જવા રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તા થઇ અનુપમ સિનેમા થઇ અનુપમ/અંબિકા બ્રીજ થઇ કાંકરીયા ગીતામંદિર થઇ શહેર તરફના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.

    4) રખિયાલ ઓઢવ તરફથી કાલુપુર સર્કલ કે કાલુપુર બ્રીજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઇ ચારતોડા કબ્રસ્તાન થઇ સરસપુર ગુરુદ્વારા થઇ કાલુપુર બ્રીજ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઇ શકશે.





      Related Posts

      148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?
      • June 20, 2025

      Ahmedabad 148th Jagannathji Rath Yatra: આગામી 27 જૂન, 2025ના રોજ અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. 12 જૂને વિમાન દુર્ઘટના બાદ એવી…

      Continue reading
      અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!
      • June 20, 2025

      AMC Corruption: ગુજરાતમાં સતત ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. અધિકારીઓ સત્તા અને પદનો દુર્પયોગ કરી ભાજપા સરકારમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે…

      Continue reading

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *

      You Missed

      Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

      • June 20, 2025
      • 6 views
      Maharashtra Old Couple Viral Video: 1100 રુપિયા લઈને આવેલ વૃદ્ધ દંપતિને સોનીએ 20 રુપિયામાં જ આપી દીધું મંગળસૂત્ર

      West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા

      • June 20, 2025
      • 8 views
      West Bengal: લગ્નમાંથી પાછી આવતી બોલેરો સાથે ટ્રેલર અથડાયું, 9 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા

      બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

      • June 20, 2025
      • 4 views
      બોલો ! UK ના PM કોરિયન રાષ્ટ્રપતિને ઓખળતા જ નથી

      148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

      • June 20, 2025
      • 19 views
      148th Jagannathji Rath Yatra: અમદાવાદમાં રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે, AIથી ભીડ નિયંત્રિતકેવી રીતે થાય?

      Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

      • June 20, 2025
      • 11 views
      Israel Iran War: ઈરાને ફરી ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલ છોડી, માઇક્રોસોફ્ટ બિલ્ડિંગ પાસે વિસ્ફોટ

      અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!

      • June 20, 2025
      • 27 views
      અમદાવાદમાં AMC ના એસ્ટેટ ઇન્સ્પેક્ટર જીજ્ઞેશ શાહની ધરપકડ, મોટા કૌભાંડની શંકા!