
અમરેલીના લેટરકાંડના આરોપીઓને હાઈકોર્ટેમાંથી જામીન મળ્યા છે. મુખ્ય આરોપી મનીષ વઘાસીયાને કોર્ટે જામીન આપ્યા છે. જસવંતગઢના સરપંચ અશોક માંગરોળીયા અને જીતુ ખાત્રાને પણ જામીન આપવામાં આવ્યા છે. અગાઉ પાયલ ગોટીને અમરેલી શેશન કોર્ટે આપ્યા જામીન આપ્યા હતા. હાઇકોર્ટના વકીલ અભિજિત રાઠોડ અને અપૂર્વ જાનીએ લેટરકાંડના આરોપીઓને જામીન અપાવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી. ત્યારે આજે વધુ 3 આરોપીઓેને જામીન મળ્યા છે.
આ પણ વાંચોઃ Ahmedabad: GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાને ખૂલ્લો મૂકાયો