
ગુજરાતમાં વારંવાર દલિતો પર હુમલામાં થતાં હોય છે. અનેકવાર કોઈને કોઈ બાબતને લઈ દલિતોને માર મારવામાં આવે છે. પોલીસ દ્વારા આવા લોકો સામે કડક કાર્યવાહી ન કરતી હોવાથી આવા તત્વોની હિંમત વધી જાય છે. આવી જ ઘટના અમરેલીના બાબરા તાલુકામાં બની છે. જ્યાં એક દલિત પર હુલમો કરી હાથ-પગ તોડી નાખવમાં આવ્યા છે. આ ઘટનામાં 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી ગોવાનું પોલીસ જણાવી રહી છે. જો કે હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે, તેમને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 4 દિવસ અગાઉ અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના નીલવડા ગામે એક દલિત યુવાન પર કેટલાંક શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જેમાં વિજય ખીમસુરીયાના નામના યુવકના 2 પગ અને 1 હાથ ભાંગી ગયા છે. હાલ તે સરવાર હેઠળ છે.
ત્યારે દલિત યુવાનના હુમલા પોલીસે ફરિયાદ ન નોંધતાં ભારે વિવાદ સર્જાયો હતો. ભારે વિરોધ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી. અત્યાર સુધી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ પણ આ હુમલા માં સંડોવાયેલા કેટલાંક શખ્સો ફરાર હોવાનું દલિત સમાજના લોકોનું કહેવું છે. ફરાર આરોપીને પણ ઝડપી પાડવામાં આવે તેવી દલિત સમાજની માગ છે. સાથે જ આ રીતે દલિતો પર થતાં હુમલાઓ અટકે તેવી કાર્યવાહી કરવામાં આવી તેવી ઉગ્ર માગ કરવામાં આવી છે.

4 દિવસ વિતવા છતાં અન્ય આરોપીઓ ન ઝડપાતા દલિત સમાજે એક થઈ આ મામલે અમરેલી કલેક્ટર અને અમરેલી એસ.પી.ને આવેદપત્ર આપવમાં આવ્યું છે. જય ભીમના નારા સાથે આવેદન આપ્યા બાદ અમરેલી એસ.પી.સંજય ખરાત દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી છે.