
પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા અમેરલીમાં ઉપવાસ પર બેઠેલાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની તબિયત લથડી છે. ડોક્ટરની ટીમે પરેશ ધાનાણીને સુગર લેવલ 64 પર થતા લિકવિડ પીવા આગ્રહ કર્યો છે. ડોકટરની ટીમે કહ્યું કે જો સુગર લેવલ ઘટશે તો હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડશે.
પરેશ ધાનાણી ગઈકાલ સવારથી જ ઉપવાસ પર ઉતર્યા છે. આજે બીજો દિવસ છે. તેમણે અમરેલીના રાજકમલ ચોક ખાતે રાત ગુજારી હતી. ઠંડી લાગતાં તાપણું કર્યું હતુ. ત્યારે હવે તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડી શકે છે. જેથી કાર્યકરો અને મેડિકલ ટીમના આગ્રહનું માન રાખી તેમણે થોડું પાણી પીધું છે.
પરેશ ધાનાણીએ પાયલ ગોટીને ન્યાય અપાવવાની જીદ સાથે ઉપવાસ પર બેઠાં છે. તેમને માગ છે કે આરોપીઓને ઝડપી પાડવામાં આવે. આરોપી પોલીસકર્મીઓ, નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચોઃ દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી આમને સામને, વિવાદ ફરી ઉગ્ર બન્યો