અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે?

  • અમદાવાદના વટવામાં મુસ્લિમોને કોના ઈશારે હેરાન કરવામાં આવી રહ્યાં છે?

અમદાવાદના વટવા વિસ્તારમાં મુસ્લિમોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદના મુસ્લિમ વિસ્તાર વટવામાં રહેતા મુસ્લિમોને વિવિધ રીતે હેરાન કરીને તેમને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં ઉપર વાયરલ થયેલા એક વીડિયોમાં મહેદી સૈયદ નામનો વ્યક્તિ મીડિયાને જણાવી રહ્યો છે કે, વટવામાં મુસ્લિમો તરાબી (નમાાજ) પઢીને આવનારા લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. તેમના પાસે ચાકુંની અણી ઉપર ખોટી-ખોટી ચીજો બોલાવવામાં આવે છે. ઘરો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે. અમે જ્યારે પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવ્યા તો પોલીસ પણ નામ નોંધવાની જગ્યાએ અજાણ્યા વ્યક્તિઓ લખી રહી છે.

મહેદી સૈયદ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, દેવીપૂજક લોકો માસ્ક પહેરીને ટોપી પહેરીને નિકળતા લોકોને પથ્થર મારી રહ્યા છે અને અમારા ઘરો ઉપર પણ પથ્થર મારી રહ્યા છે. આ બધી હરકતોથી રમજાન મહિનામાં અન્ય મોટી ઘટના ન ઘટે તે માટે વટવામાં એક પોલીસ પોઈન્ટ આપવું જોઈએ, જેથી કરીને તે વિસ્તારનો માહોલ ખરાબ નથાય અને મહિલાઓ અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

પ્રશ્ન તે છે કે, પોલીસ શું કરી રહી છે? અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ ચીજ છે કે નહીં? તેમાંય વટવા પોલીસ કાર્યવાહી કરવાથી કેમ બચી રહી છે? શું વટવા પોલીસ કોઈ મોટી બબાલની રાહ જોઈ રહી છે? કે પછી વટવા પોલીસને ઉપરથી કોઈ ફોન આવેલો છે કે બબાલ થવા દો? શું આ હેરાનગતિ જાણિ-જોઈને કરવામાં આવી રહી છે? શું આ ઉશ્કેરણી રમખાણો કરાવવા માટે કરવામાં આવી રહી છે?

આમ પોલીસની કાર્યવાહી ઉપર અને અદ્રશ્ય શક્તિઓને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. રમજાન મહિનામાં મુસ્લિમોને હેરાન કરવાનો શું અર્થ હોઈ શકે, તેમાંય પોલીસ કેમ નામજોગ એફઆઈઆર ન નોંધીને પોતાની ફરજ નિભાવવામાં આનાકૂની કરી રહી છે.

કોઈ અનિચ્છનિય ઘટના ઘટી તો તેની જવાબદારી વટવા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે લેશે ખરા? તેથી પોલીસે વટવામાં આતંક ઉભો કરનારા તત્વોને જેલના હવાલે કરીને તેમના સામે કડક પગલા ભરવા રહ્યાં. પવિત્ર રમજાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો શાંતિપૂર્વક ઈબાદત કરતાં હોય છે, તેમાંય રોડા નાંખવામાં આવે તો પછી લોકશાહી જેવું કશું રહે જ નહીં.

આ પણ વાંચો- અમેરિકા સરકારમાં પીએમ મોદીના મંત્રી પિયુષ ગોયેલને મળવા કેમ કોઈ તૈયાર નથી?

Related Posts

Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!
  • October 31, 2025

Gold Buying Ban Campaign In Gujarat: સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે આ વધારો એવી સ્થિતિએ પહોંચ્યો છે કે,સામાન્ય માણસ કે મધ્યમવર્ગનાં માણસ માટે સોનું ખરીદવું એક…

Continue reading
Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો
  • October 31, 2025

Junagadh: જૂનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાતી હોય છે. જો કે આ વખતે કમોસમી વરસાદ ભક્તોની આશા પર પાણી ફેરવી શકે છે. કારણ કે ગુજરાતના ખૂણે ખૂણે ભારે વરસાદ ખાભક્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

  • October 31, 2025
  • 4 views
Gold Ban: ઉત્તરાખંડથી ગુજરાત સુધી પ્રસરી ઝુંબેશ, હવે સોનુ ખરીદવાનું બંધ!, જાગૃતિ અભિયાનનો ઠેરઠેર પ્રારંભ!

 Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

  • October 31, 2025
  • 6 views
 Russia- America:રશિયા બાદ હવે,અમેરિકા પરમાણુ પરીક્ષણો કરશે ટ્રમ્પે કહ્યું,”દુનિયામાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો અમારી પાસે છે!”

Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

  • October 31, 2025
  • 5 views
Junagadh: ‘જંગલના રસ્તા પર વાહનો જઈ શકે તેવી સ્થિતિ નથી’, શું ગિરનારની લીલી પરિક્રમા બંધ રહેશે?, જાણો

India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

  • October 31, 2025
  • 9 views
India Women Cricket Semi Final: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો;ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં કર્યો પ્રવેશ,હવે,આફ્રિકા સામે ટકરાશે

PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

  • October 31, 2025
  • 11 views
PM Modi in Gujarat: ગુજરાતમાં PM નરેન્દ્ર મોદીની હાજરી છતાં ભાજપમાં ભંગાણ યથાવત !રાજકોટમાં ભાજપને આ નેતાઓએ કર્યું અલવિદા!

UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન

  • October 30, 2025
  • 11 views
UP News: નામ ‘મમતા’ પણ મમતાનો છાંટોય નહીં! પહેલા લીધી 40 લાખની વીમા પોલીસી, પછી એકના એક પુત્રને પતાવી દેવા બનાવ્યો પ્લાન