
Bharuch Politics: ચૂંટણી આવતાં પહેલા ભરુચ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલાના પુત્ર ફૈસલ પટેલે કોંગ્રેસ છોડી દીધી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કરી આ માહિતી આપી છે.
છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નાખુશ હોવાનું કારણ સામે આવ્યું છે. ફૈઝલ પટેલએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી છે. તેમણે મદદ કરનારાઓનો આભાર માન્યો છે. પીડા અને વેદનાથી કોંગ્રેસ છોડ્યાની વાત કરી છે. જોકે હવે ફૈઝલે પક્ષ છોડતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. શું તે ભાજપમાં જોડાશે? કે પછી કંઈ અલગ કરશે?
કોંગ્રેસમાં શું મુશ્કેલી હતી?
ફૈઝલ પટેલએ લખ્યું છે કે, “ખૂબ જ પીડા અને વેદના સાથે, મેં @INCIndia માટે કામ કરવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઘણા વર્ષોથી આ એક મુશ્કેલ સફર રહી છે. મારા સ્વર્ગસ્થ પિતાએ પોતાનું આખું જીવન દેશ, પક્ષ અને ગાંધી પરિવાર માટે કામ કરવામાં સમર્પિત કરી દીધું. મેં તેમના પગલે ચાલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક પગલે મને ના પાડી દેવામાં આવી. હું શક્ય તેટલા બધા રીતે માનવજાત માટે કામ કરવાનું ચાલુ રાખીશ. કોંગ્રેસ પાર્ટી હંમેશાની જેમ મારો પરિવાર રહેશે. મને ટેકો આપનારા તમામ નેતાઓનો હું આભાર માનું છું.”
આ પણ વાંચોઃ Trump-Modi Meeting: તેલ-ગેસ, ‘TRUST’ અને AI… શું છે સોદો, જાણો મોદીએ ટ્રમ્પને શું કહ્યું?
આ પણ વાંચોઃ મણિપુરમાં એક CRPF જવાને પોતાના જ કેમ્પ પર કર્યો ગોળીબાર; 2 જવાનના મોત 8 ઘાયલ