Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

Bhavnagar: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળી ગઈ છે ગુનેગારો જાહેરમાં હત્યા જેવી ઘટનાઓને અંજામ આપતા પણ ખચકાતા નથી. ત્યારે આજે રાજ્યમાંથી વધુ એક હત્યાની ઘટના સામે આવી છે આ હત્યા કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પરંતુ મહિલા પોલીસકર્મીના પુત્રની થઈ છે. જેના કારણે સવાલો થઈ રહ્યા છે કે, જો પોલીસ કર્મીઓ અને તેમનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસનું શું ?

મહિલા પોલીસકર્મીના પુત્રની સરાજાહેર હત્યા

મળતી માહિતી મુજબ ભાવનગરમાં ધોળાદિવસે મહિલા પોલીસકર્મીના પુત્રની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પંચવટી ચોકથી ઘોઘા જકાત તરફના રસ્તા પર બે અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પોલીસપુત્રની કરપીણ હત્યા કરી નાખી હતી જે બાદ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.

માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન 

જાણકારી મુજબ શહેરના ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા રેખાબેન આહીરનો પુત્ર કેવલ દિલીપભાઈ આહીરની હત્યા કરી દેવામાં આવી છે. કેવલ તેના મિત્ર સાથે પંચવટી ચોકથી ઘોઘા જકાત જવાના રસ્તા પર સર્વિસમાં મુકેલી કાર લેવા ગયો હતો. આ દરમિયાન બે શખસોએ કેવલને છરીથી રહેંશી નાખ્યો હતો. આ ઘટનાને અંજામ આપી તે શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ પુત્રની હત્યાના સમાચાર મળતા જ એએસઆઈ રેખાબેન આહીર પણ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને માતાના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

જૂની અદાવતને કારણે હત્યા કરાઈ

આ મામલે પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે. આ રૂટ પરના તમામ સીસીટીવી કેમેરાની તપાસ કરવામા આવી રહી છે. ત્યારે પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અદાવત કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.

જો પોલીસકર્મીનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું ?

આ ઘટના સામે આવતા સવાલ તે થઈ રહ્યો છે કે, જો પોલીસકર્મીનો પરિવાર જ સુરક્ષિત નથી તો સામાન્ય જનતાનું શું ?  કેમ કોઈને કાયદાનો ડર નથી રહયો ?  સરાજાહેરમાં પોલીસકર્મીના પુત્રને રહેંશી નાખવામા આવે છે આ ગુંડાતત્વોની હિંમત કેમ આટલી વધી ગઈ ?

આ પણ વાંચો:

Bhavnagar: અકસ્માતમાં ભાજપ નેતાનું મૃત્યું, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો

Gujarat Rain Forecast: ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી, આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા ?

રાજસ્થાનમાં યલો એલર્ટ, હજુ 5 જિલ્લામાં આંધી સાથે વરસાદ પડશે | Rajasthan | Weather

Patan: ‘દ્રશ્યમ’ ફિલ્મ જોઈ ભાગી જવા હત્યાનો પ્લાન બનાવ્યો, પ્રેમીઓની ચાલાકી પોલીસે ઉંધી પાડી

Operation Sindoor: શું હવે ભારતની મહિલાઓ મોદીએ મોકલેલું સિંદૂર લગાવશે?

Dahod Mgnrega Scam: મંત્રી બચુ ખાબડ બંન્ને પુત્રોના જામીન મંજૂર, 71 કરોડના કૌભાંડમાં થઈ હતી ધરપકડ

Mock drill: આવતીકાલે ગુજરાતમાં ફરી મોકડ્રીલ, હવે મોદી શું મોટું કરવાની તૈયારીમાં?

Ahmedabad: આજે ફરી ચંડોળામાં ધાર્મિક સ્થળો પર બુલડોઝર કાર્યવાહી, મંદિરો-મસ્જિદો ધ્વસ્ત

પાટણના Satalpur માં દલિત આધેડનું રહસ્યમય મોત, સળગેલી હાલતમાં મળ્યો મૃતહેદ

Related Posts

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
  • June 16, 2025

Gujarat Rain Update: રાજ્યમાં બે દિવસની વરસાદી માહોલ જામ્યો છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબટાડી બોલાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં…

Continue reading
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

  • June 16, 2025
  • 2 views
Gujarat Rain Update: આજે ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

  • June 16, 2025
  • 3 views
Ayodhya News: બહરાઈચ, બારાબંકી બાદ અયોધ્યામાં પણ દાદા મિયાં ઉર્સ પર પ્રતિબંધ

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 5 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 6 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 22 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 21 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?