
Bhavnagar Murder Case: એક બાજુ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ત્યારે બીજી બાજુ ગુજરાતમાં અપરાધિક ઘટનાઓ વધી રહી છે. ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જમીન વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. મજૂરી કામ કરતા વિશાલ વાજા નામના યુવકને કેટલાક શખ્સોએ જાહેરમાં છરી વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી.
છરી જેવા તીક્ષ્ણ હથિયારો વડે આડેધડ હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં વિશાલને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકની બહેને જણાવ્યા પ્રમાણે જમીન વિવાદને કારણે આ હત્યા કરવામાં આવી છે.
પોલીસ શું કહ્યું?
ઘોઘા રોડ પોલીસે કહ્યું હતુ કે બુદ્ધ દેવ સર્કલ પાસે વિશાલ અને રવિ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં રવિએ વિશાલ વાજા પર છરી વડે હુમલો કર્યો હતો. વિશાલને હોસ્પિટલમાં ખસેડતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. આ ઘટનાની જાણ થતાં પોલીસે આરોપી રવિની ધરપકડ કરી તેની સાથે સંડોવાયેલા અન્ય શખ્સોની પણ તપાસ હાથ ધરી છે. ઘટના બાદ પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો.
અહીં ગુજરાતની એક કહેવત લાગુ પડે છે કે’ જર, જમીન અને જોરુ કજિયાના છોરુ’. માટા ભાગે અપરાધિક ઘટનાઓમાં આ ત્રણ વસ્તુઓ વધુ જવાબદાર હોય છે. કોઈને કોઈ બનાવ આ ત્રણ પાસાઓ સાથે જોડાયેલા હોય છે. ત્યારે ભાવનગરમાં પણ આ કહેવત લાગુ પડી છે. અહીં જમીન-મિલકત માટે યુવકની હત્યા કરી હોવાનું મૃતકની બહેને આપક્ષેપ કર્યા છે.
આ પણ વાંચોઃ
પાકિસ્તાનમાં આતંકીઓની લાશોને રાષ્ટ્રધ્વજમાં લપેટી અંતિમસંસ્કાર, મિશ્રીએ શું કહ્યું? | india
Nadiad માં મહિલાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી છેડતી કરનાર માથાભારે શખ્સ ઝડપાયો
Operation Sindoor: દેશભક્તિનો રંગ, બિહારમાં જન્મ્યા 12 સિંદૂર અને સિંદૂરી
Operation Sindoor: પંજાબના ગુરદાસપુરમાં રોજ 8 કલાક અંધકાર છવાશે, જાણો સૌથી મોટું કારણ?
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor
