અદાણી-અંબાણીને મોટો આંચકો, સંપત્તિમાં થઈ ગયો એકાએક મસમોટો ઘટાડો!!!

  • India
  • December 16, 2024
  • 0 Comments

એલિટ સેંટી બિલિયનેર્સ ક્લબ: ભારતના સૌથી અમીર અરબપતિ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ને મોટો ઝાટકો લાગ્યો છે. અંબાણી ઉપરાંત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani) માટે પણ તેમની સંપત્તિ ઘટવાના સમાચાર છે. અંબાણી-અદાણી બંને હવે દુનિયાના સૌથી અમીર લોકોના બલૂમ્બર્ગના 100 અબજ ડોલર ક્લબમાંથી બાહર કરી થઈ ગયા છે.

જોકે, ઓવરઓલ જોવામાં આવે તો ભારતના સૌથી અમીર લોકોની સંપત્તિમાં વધારો થયો છે. ભારતના 20 સૌથી અમીર લોકોની સંપત્તિમાં જાન્યુઆરી 2024 થી અત્યાર સુધીમાં 67.3 અબજ ડોલરનો વધારો થયો છે. જે લોકોની સંપત્તિ સૌથી વધારે વધી છે તેમાં ટેક મુગલ શિવ નાદર (10.8 અબજ ડોલર) અને JSW ગ્રુપની સાવિત્રી જિંદલ (10.1 અબજ ડોલર) સામેલ છે. બલૂમ્બર્ગના અનુસાર, હવે અદાણી અને અંબાણી બંને એલિટ સેંટી બિલિયનેર્સ ક્લબ (Elite Centi Billionaires)માંથી બહાર થયા છે. જણાવી દઈએ કે આ ક્લબમાં તે લોકો સામેલ હોય છે જેમની નેટવર્થ 100 અબજ ડોલરથી વધુ હોય છે.

અંબાણીની સંપત્તિમાં થયેલા ઘટાડાના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિ ઘટી છે અને એવું રિલાયન્સ એનર્જી અને રિટેલ બિઝનેસના ખરાબ પ્રદર્શનના કારણે થયું છે. બલૂમ્બર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ (BBI)ના અનુસાર, વધી રહેલું દેવું અને તેમની ઘટતી સંપત્તિને લઈને રોકાણકાર ચિંતિત છે. જણાવી દઈએ કે જુલાઈમાં પુત્ર અનંતની લગ્ન સમયે મુકેશ અંબાણીની નેટવર્થ 120.8 અબજ ડોલર હતી અને હવે તે ઘટીને 96.7 અબજ ડોલર રહી ગઈ છે.

ગૌતમ અદાણીની વાત કરવામાં આવે તો તેમના માટે વર્ષ 2024 ખૂબ વિવાદોથી ભરેલું રહ્યું છે. તાજેતરમાં અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટની તપાસ અને આરોપો પછી અદાણી ગ્રુપના શેરોમાં મોટો ઘટાડો આવ્યો છે. તે પહેલા શોર્ટ સેલિંગ ફર્મ હિન્ડનબર્ગ રિસર્ચના આરોપો પણ લાગ્યા હતા. બલૂમ્બર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના અનુસાર, જૂન 2024માં અદાણીની કુલ સંપત્તિ 122.3 અબજ ડોલર હતી જે અમેરિકામાં કથિત કૌભાંડના આરોપોની ખબર પછી નવેમ્બરમાં તેમની નેટવર્થ 82.1 અબજ ડોલર રહી ગઈ છે.

દુનિયાનો સૌથી અમીર પરિવાર કોણ? બલૂમ્બર્ગના સૌથી અમીર પરિવારોની વાત કરવામાં આવે તો 2024 ની સૂચીમાં વોલમાર્ટ વાલ્ટન 432.4 અબજ ડોલરની સંપત્તિ સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. આ પરિવારની કુલ દોલત, દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની વ્યક્તિગત નેટવર્થ અને મિડલ ઈસ્ટના શાહી પરિવારો કરતાં પણ વધુ છે.

ભારતની વાત કરવામાં આવે તો અંબાણી પરિવાર સૌથી અમીર પરિવારોની યાદીમાં 8માં નંબરે છે. જ્યારે શાપૂરજી પાલોનજી 23માં નંબરે છે.

Related Posts

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!
  • June 21, 2026

Bharat Tiwari Encounter: બિહારના ભરત ભૂષણ તિવારીનું એન્કાઉન્ટર માત્ર એક વ્યક્તિનું મોત નથી, પરંતુ ભારતમાં ફેલાયેલી ‘એન્કાઉન્ટર રાજનીતિ’નો વધુ એક કાળો અધ્યાય છે. આ ઘટનામાં ભરત ગુનેગાર હતો કે નહીં…

Continue reading
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય
  • June 20, 2026

Miyazaki Mango India: જાપાનની સૌથી મોંઘી અને પ્રખ્યાત મનાતી ‘મિયાઝાકી’ કેરી આજે ભારતીય બજારોમાં એક નવો સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. જબલપુરથી લઈને અયોધ્યા સુધી આ કેરીની ચર્ચા એક એવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

  • June 21, 2026
  • 3 views
Bharat Tiwari Encounter: જે નીતિની તાળી વગાડતા હતા, તે જ નીતિએ ભરત તિવારીનો જીવ લીધો!

Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

  • June 21, 2026
  • 5 views
Narendra Modi: અલંગમાં સ્વાગત ન કર્યું તો મોદીનો ઘમંડ દેખાયો

Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

  • June 20, 2026
  • 6 views
Miyazaki Mango India: જાપાનની મિયાઝાકી કેરીનો ભારતમાં ક્રેઝ, લાખોના ભાવનું સત્ય

Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

  • June 20, 2026
  • 7 views
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો

Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

  • June 20, 2026
  • 8 views
Socialism in India: ભારતની ઉન્નતિમાં અવરોધ કે આશાનું કિરણ? સમાજવાદી નીતિઓની કડવી વાસ્તવિકતા!

Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?

  • June 20, 2026
  • 16 views
Political Defection and Stability: ભાજપા, સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષો કેમ અખંડ રહ્યા જ્યારે અન્ય પક્ષો સત્તા જતા જ તૂટી પડ્યા?