Bihar: બિહારમાં મર્ડર-બળાત્કાર સહિતના ગંભીર ગૂનામાં સામેલ 354 આરોપી ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ!!”મેરા ભારત મહાન!”

  • India
  • November 1, 2025
  • 0 Comments

Bihar: ભારતમાં લોકશાહી છે અને અહીં કેટલીક બાબતો એવી છે કે આજના યુવાનો સતત સવાલો કરી રહયા છે કે રાજકારણમાં ઉંમર જોવામાં આવતી નથી તેનો ગુનાહિત રેકોર્ડ જોવામાં આવતો નથી અને તે કેટલું ભણેલા છે તે પણ જોવામાં આવતું નથી અને આવા લોકો ચૂંટાઈ આવે તો તે દેશ ચલાવવા સક્ષમ બની જાય છે અને તગડો પગાર તેમજ સુખ-સુવિધાઓ ભોગવે છે જ્યારે ભણેલા-ગણેલા કડકડાટ અંગ્રેજી બોલતા યુવાનો બેકાર રખડે છે આ મોટો સવાલ આજની જનરેશનમાં મુખ્ય મુદ્દો બન્યો છે કે શા માટે કાયદામાં સુધારા થતા નથી કે5 નિયમો બદલાતા નથી?વાત ચૂંટણીની જ નીકળી છે ત્યારે તાજા સમાચારમાં બિહારમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવાર પૈકી 354 ઉમેદવાર ગંભીર ગૂનાના આરોપી છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના ઉમેદવારો પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને બિહાર ચૂંટણી વૉચે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે.આ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું જ્યારે વિશ્લેષણ કરાયું તો અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે.

આ રિપોર્ટમાં 1314માંથી 1303 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 423 એટલે કે, કુલ 32 ટકા ઉમેદવારો ઉપર ગુનાહિત કેસો થયેલા છે જ્યારે 354 ઉમેદવારો એટલે કે, 27% પર ગંભીર ગુનાહિત કેસ થયેલા છે. ગંભીર કેસોમાં 33 ઉમેદવારો હત્યા સાથે જોડાયેલા, 86 હત્યાના પ્રયાસ અને 42 મહિલા ઉત્પીડનના કેસ સાથે જોડાયેલા છે. જોકે, 2 ઉમેદવાર સામે દુષ્કર્મ સહિતના કેસ થયેલા છે. આ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે, ગુનાખોરી અને રાજકારણનો સંબંધ હજુ પણ ગાઢ રહ્યો છે.

જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) ઉમેદવારો પર ગુનાહીત કેસો છે.BSPના 89માંથી 18 (20 ટકા), RJDના 70માંથી 53 (76 ટકા), જેડીયુના 57માંથી 22 (39 ટકા), ભાજપના 48માંથી 31 (65 ટકા), આપના 44માંથી 12 (27 ટકા) અને કોંગ્રેસના 23માંથી 15 (65 ટકા) ઉમેદવાર સામે ગુનાહિત કેસો થયેલા છે. વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઈ (એમએલ)ના 13માંથી 13 (93 ટકા), સીપીઆઈ અને સીપીઆઈ (એમ)ના તમામ ઉમેદવારો (100 ટકા) સામે ગુનાહિત કેસો દાખલ છે.

રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 1303 ઉમેદવારોમાંથી 519 ઉમેદવારો, એટલે કે 40%, કરોડપતિ છે.તેમની સરેરાશ સંપત્તિ 3.26 કરોડ રૂપિયા છે. 519 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે, જ્યારે 651 ઉમેદવારો, એટલે કે 50% એ ગ્રેજ્યુએટ કે તેથી વધુ હોવાનો દાવો કર્યો છે.

રિપોર્ટમાં બિહારના રાજકારણમાં ગુના, પૈસા અને શિક્ષણનો વિચિત્ર આંતરસંબંધ જોવા મળ્યો છે. જ્યારે કરોડપતિ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓનો આરોપ છે.
આ રિપોર્ટ ચૂંટણીમાં નૈતિકતા અને લોકશાહીના આદર્શો પર સવાલો ઊભા કરે છે ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ શામાટે નિયમો બદલવામાં આવતા નથી તે અંગે હવે મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે.

આ પણ વાંચો:

 Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી

Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

Related Posts

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”
  • May 5, 2026

Asaduddin Owaisi Election Reaction: પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ દેશનું રાજકારણ ગરમાયું છે. આ પરિણામોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા દિગ્ગજ…

Continue reading
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”
  • May 5, 2026

Gaurav Gogoi Congress: અસમ વિધાનસભા ચૂંટણી 2026ના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. અસમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈએ ચૂંટણીમાં પાર્ટીની કારમી હારની સંપૂર્ણ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

  • May 5, 2026
  • 4 views
Asaduddin Owaisi Election Reaction: મમતા અને સ્ટાલિનની હાર પર ઓવૈસીના ગંભીર સવાલ, કહ્યું- “જે બેઠકોમાં SIR થયું ત્યાં મુખ્યમંત્રીઓ જ હારી ગયા”

Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

  • May 5, 2026
  • 7 views
Gaurav Gogoi Congress: અસમ ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ગૌરવ ગોગોઈએ સ્વીકારી જવાબદારી, કહ્યું- “પરિણામોની નૈતિક જવાબદારી મારી”

Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

  • May 5, 2026
  • 9 views
Mamata Banerjee Press Conference: બંગાળ હાર બાદ મમતાનો મોટો હુમલો: “ચૂંટણી પંચ આ ચૂંટણીનો ખલનાયક”, ભાજપ પર ગુંડાગીરી અને દમનના આરોપ

Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

  • May 5, 2026
  • 11 views
Rahul Gandhi on Bengal Election: પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર રાહુલ ગાંધીનો મોટો હુમલો, ‘જનાદેશની ચોરીથી લોકશાહી ખતરમાં’

PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

  • May 5, 2026
  • 13 views
PGVCL GM RTGS Fraud: PGVCLના GM સાથે ₹45 લાખની ડિજિટલ લૂંટ: “હું મીટિંગમાં છું” કહી સાયબર ઠગોએ ખેલ્યો મોટો ખેલ

Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત

  • May 5, 2026
  • 11 views
Mahisagar River Drowning Incident: ઉનાળાની મજા બની સજા, મહીસાગર નદી અને માછણ ડેમમાં ડૂબવાથી ત્રણ યુવકોના કરુણ મોત