
Bihar: ભારતમાં લોકશાહી છે અને અહીં કેટલીક બાબતો એવી છે કે આજના યુવાનો સતત સવાલો કરી રહયા છે કે રાજકારણમાં ઉંમર જોવામાં આવતી નથી તેનો ગુનાહિત રેકોર્ડ જોવામાં આવતો નથી અને તે કેટલું ભણેલા છે તે પણ જોવામાં આવતું નથી અને આવા લોકો ચૂંટાઈ આવે તો તે દેશ ચલાવવા સક્ષમ બની જાય છે અને તગડો પગાર તેમજ સુખ-સુવિધાઓ ભોગવે છે જ્યારે ભણેલા-ગણેલા કડકડાટ અંગ્રેજી બોલતા યુવાનો બેકાર રખડે છે આ મોટો સવાલ આજની જનરેશનમાં મુખ્ય મુદ્દો બન્યો છે કે શા માટે કાયદામાં સુધારા થતા નથી કે5 નિયમો બદલાતા નથી?વાત ચૂંટણીની જ નીકળી છે ત્યારે તાજા સમાચારમાં બિહારમાં ચૂંટણી લડી રહેલા ઉમેદવાર પૈકી 354 ઉમેદવાર ગંભીર ગૂનાના આરોપી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાના ઉમેદવારો પર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉર્મ્સ (ADR) અને બિહાર ચૂંટણી વૉચે પોતાનો રિપોર્ટ જાહેર કર્યો છે.આ રિપોર્ટમાં ઉમેદવારોના એફિડેવિટનું જ્યારે વિશ્લેષણ કરાયું તો અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે.
આ રિપોર્ટમાં 1314માંથી 1303 ઉમેદવારોના એફિડેવિટનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેમાંથી 423 એટલે કે, કુલ 32 ટકા ઉમેદવારો ઉપર ગુનાહિત કેસો થયેલા છે જ્યારે 354 ઉમેદવારો એટલે કે, 27% પર ગંભીર ગુનાહિત કેસ થયેલા છે. ગંભીર કેસોમાં 33 ઉમેદવારો હત્યા સાથે જોડાયેલા, 86 હત્યાના પ્રયાસ અને 42 મહિલા ઉત્પીડનના કેસ સાથે જોડાયેલા છે. જોકે, 2 ઉમેદવાર સામે દુષ્કર્મ સહિતના કેસ થયેલા છે. આ રિપોર્ટ પરથી સાબિત થાય છે કે, ગુનાખોરી અને રાજકારણનો સંબંધ હજુ પણ ગાઢ રહ્યો છે.
જન સુરાજ પાર્ટીના 114માંથી 50 (44 ટકા) ઉમેદવારો પર ગુનાહીત કેસો છે.BSPના 89માંથી 18 (20 ટકા), RJDના 70માંથી 53 (76 ટકા), જેડીયુના 57માંથી 22 (39 ટકા), ભાજપના 48માંથી 31 (65 ટકા), આપના 44માંથી 12 (27 ટકા) અને કોંગ્રેસના 23માંથી 15 (65 ટકા) ઉમેદવાર સામે ગુનાહિત કેસો થયેલા છે. વામપંથી પાર્ટીઓની સ્થિતિ તો આનાથી પણ ખરાબ છે. સીપીઆઈ (એમએલ)ના 13માંથી 13 (93 ટકા), સીપીઆઈ અને સીપીઆઈ (એમ)ના તમામ ઉમેદવારો (100 ટકા) સામે ગુનાહિત કેસો દાખલ છે.
રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 1303 ઉમેદવારોમાંથી 519 ઉમેદવારો, એટલે કે 40%, કરોડપતિ છે.તેમની સરેરાશ સંપત્તિ 3.26 કરોડ રૂપિયા છે. 519 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાત 5 થી 12 ધોરણની વચ્ચે હોવાનું જાહેર કર્યું છે, જ્યારે 651 ઉમેદવારો, એટલે કે 50% એ ગ્રેજ્યુએટ કે તેથી વધુ હોવાનો દાવો કર્યો છે.
રિપોર્ટમાં બિહારના રાજકારણમાં ગુના, પૈસા અને શિક્ષણનો વિચિત્ર આંતરસંબંધ જોવા મળ્યો છે. જ્યારે કરોડપતિ ઉમેદવારો સામે ગંભીર ગુનાઓનો આરોપ છે.
આ રિપોર્ટ ચૂંટણીમાં નૈતિકતા અને લોકશાહીના આદર્શો પર સવાલો ઊભા કરે છે ત્યારે આઝાદીના આટલા વર્ષો બાદ પણ શામાટે નિયમો બદલવામાં આવતા નથી તે અંગે હવે મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે.
આ પણ વાંચો:
Gujarat: વરસાદી માહોલ વચ્ચે ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા ફરી ભારે વરસાદની આગાહી
Gujarat: 60 ગામડાઓ શહેરમાં ભળી ગયા, સવલતો મળતી નથી
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!






