
Bihar Election 2025: બિહારમાં મતદાર યાદી ચકાસણીનો મુદ્દો સંપૂર્ણપણે રાજકીય વળાંક લઈ રહ્યો છે. રાજ્યના વિપક્ષી પક્ષો ચૂંટણી પહેલા મતદાર યાદી ચકાસણીને ખોટી ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે મતદાર યાદી ચકાસણી માટે જે પ્રકારના દસ્તાવેજોની માંગ કરવામાં આવી રહી છે તે મુજબ હજારો લોકો મતદાનથી વંચિત રહી શકે છે. હવે આ મુદ્દાને લઈને આરજેડી નેતા અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે બિહાર ચૂંટણી પંચને મળ્યા છે.
ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા
બિહારમાં વિપક્ષી નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ ચૂંટણી પંચને મળ્યા અને બિહાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ વોટર રિવિઝન પ્રોગ્રામ 2025 સંબંધિત અનેક ગંભીર આશંકા અને વાંધાઓ ઉઠાવ્યા હતા.આ બેઠક દરમિયાન, ગઠબંધનના નેતાઓએ ચૂંટણી પંચને સ્પષ્ટતા કરવાની માંગ કરી કે શું તે ફક્ત 11 દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં નામ ઉમેરવા અથવા ચકાસવાની પ્રક્રિયા હાથ ધરી શકે છે?
તેજસ્વી યાદવે ચૂંટણીપંચ સામે ઉઠાવ્યા સવાલ
તેજસ્વી યાદવે કમિશનને પૂછ્યું કે જો બંધારણ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં કોઈ સ્પષ્ટ સૂચના નથી, તો પછી 11 દસ્તાવેજોની આ યાદી કઈ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવી હતી અને શું તે વાજબી છે? તેમણે કહ્યું કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ જેવા અન્ય સરકારી દસ્તાવેજોને અમાન્ય જાહેર કરવા એ ગરીબો, કામદારો અને સ્થળાંતરિત નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કલમ 326 ફક્ત ઉંમર અને નાગરિકતાના આધારે પુખ્ત મતાધિકાર વિશે વાત કરે છે, પરંતુ દસ્તાવેજો અંગે કોઈ મર્યાદિત સૂચિ આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, કમિશન કયા બંધારણીય અથવા કાનૂની ધોરણે ફક્ત 11 દસ્તાવેજોને માન્ય માને છે?
आज इंडिया गठबंधन के सभी दलों ने बिहार के चुनाव आयुक्त से मुलाकात की। इसमें हमने चुनाव आयोग से पूछा कि “क्या बिहार विशेष गहन मतदाता पुनरीक्षण कार्यक्रम 2025 के तहत मतदाता सूची में नाम जोड़वाने के लिए भारतीय निर्वाचन आयोग को केवल 11 दस्तावेज मांगने का ही अधिकार है? इसका संवैधानिक…
— Tejashwi Yadav (@yadavtejashwi) July 4, 2025
તેજસ્વી યાદવે ઉઠાવેલા મુખ્ય પ્રશ્નો
1. શું ભારતના ચૂંટણી પંચને ફક્ત તે 11 દસ્તાવેજો સ્વીકારવાનો વિશેષાધિકાર છે?
2. સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, વગેરે મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં શા માટે અસ્વીકાર્ય છે, ભલે તેઓ ઓળખ અથવા રહેઠાણ સાબિત કરતા હોય?
3. આધાર કાર્ડ આપતી વખતે, સરકાર તમારી આંખની કીકી, ફિંગરપ્રિન્ટ્સ સહિત ઓળખ અને રહેઠાણના ઘણા દસ્તાવેજો માંગે છે, પછી જ આધાર કાર્ડ બનાવવામાં આવે છે. તો પછી સરકાર પોતે બનાવેલા આધાર કાર્ડને શા માટે છટણી કરી રહી છે?
4. જો લોકપ્રતિનિધિત્વ અધિનિયમ કે બંધારણમાં આવી કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી, તો પછી 11 દસ્તાવેજોની આ યાદી કઈ પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવી? શું તે વાજબી છે?
5. બિહારના 4 કરોડથી વધુ રહેવાસીઓ અન્ય રાજ્યોમાં કાયમી અને અસ્થાયી નોકરીઓ કરે છે. શું તેઓ 18 દિવસમાં પોતાની ચકાસણી કરી શકશે? શું તેમને બિહાર લાવવાની સરકારી સ્તરે કોઈ યોજના છે કે શું તેમના મત કાપવાનો હેતુ છે?
6. ચકાસણી પ્રક્રિયામાં, મતદારે સફેદ પૃષ્ઠભૂમિ સાથે પોતાનો રંગીન ફોટો જોડવાનો રહેશે. શું બધા ઘરો/પરિવારોમાં ફોટા ઉપલબ્ધ છે? શું અન્ય દસ્તાવેજોની ફોટોકોપી ઉપલબ્ધ છે? ચૂંટણી પંચને આ બધું પ્રદાન કરવા માટે તેમણે ફોટો સ્ટુડિયોમાં જઈને પોતાનો ફોટો ક્લિક કરાવવો પડશે. આ પ્રક્રિયા ગરીબ મતદારોને હેરાન કરવા જેવી નથી પણ આર્થિક બોજ પણ છે.
7. ચૂંટણી પંચે ડેશબોર્ડ દ્વારા દરેકને જણાવવું જોઈએ કે અત્યાર સુધીમાં દરરોજ કેટલા મતદારોની ચકાસણી કરવામાં આવી છે? કેટલા મતદારોના મત રદ કરવામાં આવ્યા છે? જો તેમનો હેતુ સાચો હોય તો ચૂંટણી પંચે ડેશબોર્ડ દ્વારા આ અંગે લાઈવ રીઅલટાઇમ અપડેટ્સ આપવા જોઈએ.
8. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે દરેક BLO સાથે 4 સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવી છે. અમે પૂછ્યું કે આ સ્વયંસેવકો કોણ છે અને તેમની પસંદગી માટે શું માપદંડ છે? શું તેઓ સરકારી કર્મચારીઓ છે કે અન્ય લોકો?? અમે માંગ કરી હતી કે ચૂંટણી પંચ આ સ્વયંસેવકોની યાદી BLO જેવી પ્રકાશિત કરે જેથી દરેક વ્યક્તિ તેમની ચકાસણી કરી શકે.
મહાગઠબંધનના નેતાઓ સાથે રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ પોતાનો વાંધો નોંધાવ્યા બાદ તેજસ્વીએ કહ્યું કે તેઓ પંચને મળ્યા છે અને માંગ કરી છે કે આધાર કાર્ડ અને મનરેગા જોબ કાર્ડને માન્ય દસ્તાવેજો ગણવામાં આવે.
ચૂંટણી પંચ પર ભાજપ ના ઈશારે કામ કરવાનો આરોપ
તેજસ્વી યાદવે, રાષ્ટ્રીય જનતા દળના નેતા અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ચૂંટણી પંચ પર ભાજપ ના ઈશારે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ખાસ કરીને બિહારમાં મતદાર યાદીના પુનરાવર્તન અંગે શંકા વ્યક્ત કરી છે. તેમનો દાવો છે કે ચૂંટણી પંચ ભાજપ અને નીતીશ કુમારની જનતા દળ યુનાઈટેડ ને ફાયદો પહોંચાડવા માટે મતદાર યાદીમાં ફેરફાર કરી રહ્યું છે, કારણ કે આ બંને પક્ષો બિહારની ચૂંટણીઓમાં હારનો સામનો કરી રહ્યા છે.
તેજસ્વી યાદવના મુખ્ય આરોપો
1. ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ
તેજસ્વી યાદવે કહ્યું કે ચૂંટણી પંચ “ભાજપનું આયોગ” બની ગયું છે અને તે સત્તાધારી પક્ષના ઈશારે કામ કરી રહ્યું છે.
2. મતદાર યાદીમાં ગડબડી
તેમનો આરોપ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચ બિહારની મતદાર યાદી રદ કરીને નવી યાદી બનાવી રહ્યું છે, જેનાથી મતદારોના અધિકારો છીનવાઈ રહ્યા છે.
ભાજપ અને JDU પર આક્ષેપ
તેજસ્વીનું કહેવું છે કે ભાજપ અને JDU ચૂંટણીમાં હારના ડરથી આવા પગલાં લઈ રહ્યા છે, અને ચૂંટણી પંચ તેમની મદદ કરી રહ્યું છે.
આંદોલનની ચીમકી
તેજસ્વી યાદવે ચૂંટણી પંચની આ કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરવા આંદોલનની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું કે જો આ પ્રક્રિયા ચાલુ રહી, તો RJD અને ઈન્ડિયા ગઠબંધન રસ્તા પર ઉતરીને આ મુદ્દે લડાઈ લડશે. આ ચીમકી બિહારના રાજકીશોર સિંહ નામના એક વ્યક્તિના કેસને લઈને પણ આવી છે, જેમનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જેને તેજસ્વીએ લોકશાહી વિરુદ્ધનું કાવતરું ગણાવ્યું.
बिहार के लगभग 4 करोड़ लोग बाहर हैं। तो सवाल ये उठता है कि:
– इलेक्शन कमीशन ने रेलवे से बात की है ?
– उनके लाने का क्या प्रबंध किया गया है ?
– उनके टिकट का भाड़ा कौन देगा ?
– अगर वो ख़ुद भी टिकट करें, तो टिकट कन्फर्म हो जाएगा ? pic.twitter.com/ekOTZcqOaL
— Pratik Patel (@PratikVoiceObc) July 4, 2025
તેજસ્વી યાદવે બિહારની બહાર રહેતા લોકોના વિશે શું કહ્યું ?
ત્યારે તેજસ્વી યાદવે સવાલ કર્યો છે કે, શું ચૂંટણી પંચે રેલ્વે સાથે વાત કરી છે? તેમને લાવવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? તેમની ટિકિટનો ખર્ચ કોણ ચૂકવશે? જો તેઓ પોતે ટિકિટ બુક કરાવે તો પણ શું તેમની ટિકિટ કન્ફર્મ થશે? તેઓ એકવાર તેમના દસ્તાવેજો બનાવવા આવશે અને પછી મતદાન કરવા આવશે, તે પણ ફક્ત 1 મહિનામાં. કયો દસ્તાવેજ એક મહિનામાં બને છે? જો સરકારો રેલીઓ પર લાખો ખર્ચ કરી શકે છે, તો પછી મતદારો માટે ટિકિટની વ્યવસ્થા કેમ નહીં કરે?










