IND vs ENG: વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડમાં રચ્યો ઇતિહાસ , આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો

  • Sports
  • July 3, 2025
  • 0 Comments

IND vs ENG: ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી ટેસ્ટ મેચ એજબેસ્ટન ખાતે રમાઈ રહી છે. બીજી તરફ, ભારતની અંડર-19 ટીમ પણ ઇંગ્લેન્ડમાં રમી રહી છે. ભારત અંડર-19 અને ઇંગ્લેન્ડ અંડર-19 વચ્ચે એક ODI શ્રેણી રમાઈ રહી છે, જેમાં 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. શ્રેણીની ત્રીજી ODI મેચમાં, વૈભવે ઇંગ્લેન્ડના બોલરોને હરાવીને ઇતિહાસ રચ્યો. ત્યારબાદ વૈભવ અંડર-19 માં મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

શુભમન ગિલે ઇનિંગ્સમાં 9 છગ્ગા ફટકાર્યા

શ્રેણીની ત્રીજી ODI મેચમાં, વૈભવ સૂર્યવંશીએ માત્ર 31 બોલમાં 86 રનની તોફાની ઇનિંગ રમી. તેની ઇનિંગ દરમિયાન, વૈભવે 9 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. આ દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ 277 હતો. આ સાથે, વૈભવ હવે અંડર-19 ODI માં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.

એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ આ ખેલાડીના નામે હતો

આ ઉપરાંત, વૈભવ અંડર-19 વનડેમાં સૌથી ઝડપી અડધી સદીફટકારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ મેચમાં તેણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વૈભવ સૂર્યવંશી પહેલા એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ રાજા બાવાના નામે હતો. જેમણે વર્ષ 2022માં યુગાન્ડા સામે એક ઇનિંગમાં 8 છગ્ગા ફટકાર્યા હતા.

ઇંગ્લેન્ડ પ્રવાસમાં વૈભવનું પ્રદર્શન આવું રહ્યું છે

14 વર્ષના વૈભવ માટે અત્યાર સુધીનો ઈંગ્લેન્ડ પ્રવાસ અદ્ભુત રહ્યો છે. શ્રેણીની પહેલી ODI મેચમાં આ ખેલાડીએ 19 બોલમાં 48 રન બનાવ્યા હતા. જેના કારણે ટીમ ઈન્ડિયા પહેલી મેચ જીતી ગઈ હતી. ત્યારબાદ બીજી મેચમાં વૈભવે45 રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી મેચમાં ફરી એકવાર વૈભવે શાનદાર બેટિંગ કરી અને 86 રનની ઝડપી ઇનિંગ રમીને ટીમને જીત અપાવી. હવે ભારતે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે.

આ પણ વાંચો:
 
 
 
 
 
 
 

  • Related Posts

    IND vs NZ : T20 વર્લ્ડ કપમાં ભારતે ત્રીજી વખત વિશ્વ વિજેતાનો ખિતાબ હાંસલ કરી ઇતિહાસ સર્જ્યો !
    • March 9, 2026

    IND vs NZ: અમદાવાદમાં ઘર આંગણે રમાયેલ ICC T20 વર્લ્ડ કપ 2026 ફાઈનલમાં ભારતે વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે. ભારતે રવિવારે (8 માર્ચ) ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો…

    Continue reading
    India vs New Zealand Final: આજે અમદાવાદમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ જંગ! કોણ બનશે ચેમ્પિયન? જાણો
    • March 8, 2026

    India vs New Zealand Final: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 2026 T20 વર્લ્ડ કપ ક્રિકેટનો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મુકાબલો થવા જઈ રહ્યો છે,ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

    • August 15, 2026
    • 3 views
    Hisar Farmer Protest: સ્વાતંત્ર્ય દિવસે ખેડૂતો પર લાઠીઓ કેમ? હિસારમાં CM સૈનીના કાર્યક્રમ પહેલાં પોલીસ-ખેડૂત અથડામણ

    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

    • August 15, 2026
    • 4 views
    CAG રિપોર્ટનો મોટો ખુલાસો, Green India Mission પોતાના લક્ષ્યથી 97.57% પાછળ

    UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

    • August 15, 2026
    • 7 views
    UP Election 2027: UP માં મહિલા મતદારો માટે મોટો દાવ! ₹50,000ની કેશ સહાય યોજના પર વિચારણા, અખિલેશ યાદવનો મોટો આરોપ

    Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

    • August 15, 2026
    • 9 views
    Nagaland Vande Mataram controversy: નાગાલેન્ડમાં ‘વંદે માતરમ્’ના ફરજિયાત ગાયન સામે વિરોધ, ચર્ચ બાદ વિદ્યાર્થી સંગઠનો પણ મેદાનમાં

    Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    • August 15, 2026
    • 8 views
    Narendra Modi Speech: 75 મિનિટના ભાષણમાં મોદીનો ‘દિમાગી નક્સલ’થી રિફોર્મ એક્સપ્રેસ સુધીનો સંદેશ, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ

    • August 15, 2026
    • 10 views
    Assam flood causes: અસમના વિનાશક પૂર પાછળ આબોહવા પરિવર્તન નહીં, માનવસર્જિત કારણો જવાબદાર – WWA રિપોર્ટ