
- ભાજપ નેતાનો દાવો- આમ આદમી પાર્ટીના બધા મંત્રીઓ જેલમાં જશે
ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય રવિન્દર સિંહ નેગીએ આમ આદમી પાર્ટી પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે બધા જેલમાં જશે.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા તેમણે કહ્યું, “કેબિનેટની નિમણૂક થયા પછી જ્યારે અમારી પહેલી બેઠક યોજાશે અને CAG રિપોર્ટ આવશે, ત્યારે કૌભાંડ આચરનારા તમામ મંત્રીઓ જેલમાં જશે.”
આ પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સહિત ઘણા ટોચના નેતાઓ જેલમાં જઈ ચૂક્યા છે.
દિલ્હીની પટપડગંજ બેઠક પરથી ભાજપના રવિન્દર સિંહ નેગીએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અવધ ઓઝાને લગભગ 28 હજાર મતોથી હરાવ્યા હતા.
27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી છે અને દિલ્હીમાં સત્તા કબજે કરી છે.