સીરિયામાં ખુની ખેલ: બે દિવસમાં 1000 લોકોના મોત; 450 લોકોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ

  • World
  • March 9, 2025
  • 0 Comments
  • સીરિયામાં ખુની ખેલ: બે દિવસમાં 1000 લોકોના મોત; 450 લોકોને ગોળી મારીને ઉતાર્યા મોતને ઘાટ

સીરિયામાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે. સુરક્ષા દળો અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસથી ચાલી રહેલી લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આને સીરિયામાં છેલ્લા 14 વર્ષમાં સૌથી મોટી હિંસા ગણાવવામાં આવી રહી છે. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ અનુસાર, મૃતકોમાં 745 નાગરિકોનો સમાવેશ થાય છે જેમને નજીકથી ગોળી વાગી હતી. આ ઉપરાંત સરકારી સુરક્ષા દળોના 125 સભ્યો અને અસદ સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથોના 148 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, લતાકિયા શહેરની આસપાસના મોટા વિસ્તારોમાં વીજળી અને પીવાનું પાણી બંધ થઈ ગયું છે.

સીરિયાની નવી સરકાર શું કહે છે?

સરકારે કહ્યું કે તેઓ અસદના સમર્થકો દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે અલગ-અલગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને મોટા પાયે હિંસાને જવાબદાર ગણાવી હતી. સીરિયામાં તાજેતરની અથડામણો ત્યારે શરૂ થઈ જ્યારે સુરક્ષા દળોએ ગુરુવારે દરિયાકાંઠાના શહેર જબલેહ નજીક એક વોન્ટેડ વ્યક્તિની અટકાયત કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અસદના વફાદારોએ તેમના પર હુમલો કર્યો.

સીરિયાની નવી સરકારને વફાદાર સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ શુક્રવારે અસદના લઘુમતી અલવી સમુદાયના લોકોની હત્યા કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ બંને વચ્ચે અથડામણ ચાલુ થઈ હતી. પરંતુ હયાત તહરિર અલ-શામ માટે આ એક મોટો ફટકો છે, કારણ કે આ જૂથના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદના શાસનને ઉથલાવી દીધું હતું.

તાજેતરમાં સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે વર્ષ 2021 માટેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે સીરિયામાં બશર અલ-અસદના શાસન દરમિયાન જેલોમાં 1 લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. જેમાંથી એકલા સૈદનાયા જેલમાં 30 હજારથી વધુ લોકોના મોત થયા હતા. આ જેલ ત્રાસ, હત્યા અને ગુમ થવા માટે કુખ્યાત રહી છે. 2011 થી સૈદનાયા જેલનો ઉપયોગ અસદના ક્રૂર શાસનની નીતિઓને આગળ વધારવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- IIFA 2025: જયપુરમાં શાહિદ-કરીના એક સાથે જોવા મળ્યા, ગળે લાગ્યા, છેલ્લે ‘જબ વી મેટ’માં સાથે દેખાયા હતા

Related Posts

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ
  • April 29, 2025

Power outage: યુરોપના ઘણા દેશોમાં વીજળી ગુલ થઈ ગઈ છે. જેમાં મુખ્યત્વે ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલ જેવા દેશોનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, સ્પેન અને પોર્ટુગલમાં સોમવારે મોટા પાયે વીજળી…

Continue reading
પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ હોસ્પિટલમાં દાખલ, ગૃપ્ત લેટરમાં શું થયો ખુલાસો? | Shahbaz Sharif
  • April 29, 2025

Pakistan PM Shahbaz Sharif hospital admitted: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડી દેવા કહ્યું છે. આ દરમિયાન  સમાચાર આવી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

  • April 29, 2025
  • 5 views
China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

  • April 29, 2025
  • 14 views
Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

  • April 29, 2025
  • 19 views
Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

  • April 29, 2025
  • 21 views
MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

  • April 29, 2025
  • 29 views
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

  • April 29, 2025
  • 33 views
Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના