
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ GPSCના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ચૈતરે તેમને હટાવવાની માગ કરી છે. આક્ષેપ છે કે ઇન્ટરવ્યૂમાં SC-ST ઉમેદવારોને માત્ર 20થી 35 ગુણ, EWS કેટેગરીના ઉમેદવારોને 70થી 90 ગુણ આપવામાં આવ્યા છે.
GPSCના ચેરમેનો અન્યાય
ચૈતર વસાવાનો આક્ષેપ છે કે છેલ્લાં 10 વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે, એમાં SC-ST અને OBCના ઉમેદવારો સાથે GPSCના ચેરમેનો અન્યાય કરવામાં આવ્યો છે. જેથી હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન થયેલી તમામ ભરતીની તપાસ કરવામાં આવે.
GPSC द्वारा आयोजित मौखिक इंटरव्यू की प्रथा अब जातिवादी प्रथा बन गई है। GPSC बोर्ड के अध्यक्ष हसमुख पटेल स्वयं द्रोणाचार्य प्रथा चला रहे हैं। गुजरात में पिछले दस वर्षों में जितनी भी भर्तियां हुई हैं, उनमें SC, ST और OBC अभ्यर्थियों के साथ घोर अन्याय हुआ है।#GPSC pic.twitter.com/vyzvxd0zyx
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) May 19, 2025
મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જાતિવાદી પ્રથા બની
વધુમાં આક્ષેપ કરતાં ચૈતર વસાવાએ કહ્યું કે GPSC દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જાતિવાદી પ્રથા બની ગઈ છે. GPSC બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પરંપરા ચલાવી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં જેટલી પણ ભરતીઓ થઈ છે તેમાં SC, ST અને OBC ઉમેદવારો સાથે ઘોર અન્યાય થયો છે.
ચૈતર વસાવાએ ક્લાસ 1-2ની તાજેતરની ભરતીનો દાખલો આપી જણાવ્યું કે લેખિત પરીક્ષામાં 412થી 429 ગુણ મેળવનારા SC-ST ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં માત્ર 20થી 35 ગુણ આપી નાપાસ કરાયા. એ જ રીતે, 387થી 412 ગુણ ધરાવતા SC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 24થી 52 ગુણ આપી નાપાસ કરવામાં આવ્યા.
‘ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી’
ધારાસભ્ય ચૈતર વસાવાએ બોલ્યા કે GPSC ભરતીમાં ચોક્કસ જાતિના લોકોને લેવામાં આવે છે. જ્યારે SC, ST અને OBC જેવી જાતિના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી છે. હસમુખ પટેલના કાર્યભાર દરમિયાન જે લોકોની ભરતી થઈ છે તેની સામે તપાસ કરવામાં આવે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે.
આ પણ વાંચોઃ
Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર
Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો
Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?
‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?
Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો
Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી
બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan
કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!