ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ GPSCના ચેરમેન હસમુખ પટેલ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ચૈતરે તેમને હટાવવાની માગ કરી છે. આક્ષેપ છે કે ઇન્ટરવ્યૂમાં SC-ST ઉમેદવારોને માત્ર 20થી 35 ગુણ, EWS કેટેગરીના ઉમેદવારોને 70થી 90 ગુણ આપવામાં આવ્યા છે.

GPSCના ચેરમેનો અન્યાય

ચૈતર વસાવાનો આક્ષેપ છે કે છેલ્લાં 10 વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે, એમાં SC-ST અને OBCના ઉમેદવારો સાથે GPSCના ચેરમેનો અન્યાય કરવામાં આવ્યો છે. જેથી હસમુખ પટેલના કાર્યકાળ દરમિયાન થયેલી તમામ ભરતીની તપાસ કરવામાં આવે.

મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જાતિવાદી પ્રથા બની

વધુમાં આક્ષેપ કરતાં ચૈતર વસાવાએ કહ્યું  કે GPSC દ્વારા લેવામાં આવતી મૌખિક ઇન્ટરવ્યુની પ્રથા હવે જાતિવાદી પ્રથા બની ગઈ છે. GPSC બોર્ડના ચેરમેન હસમુખ પટેલ પોતે દ્રોણાચાર્ય પરંપરા ચલાવી રહ્યા છે. છેલ્લા દસ વર્ષમાં ગુજરાતમાં જેટલી પણ ભરતીઓ થઈ છે તેમાં SC, ST અને OBC ઉમેદવારો સાથે ઘોર અન્યાય થયો છે.

ચૈતર વસાવાએ ક્લાસ 1-2ની તાજેતરની ભરતીનો દાખલો આપી જણાવ્યું કે લેખિત પરીક્ષામાં 412થી 429 ગુણ મેળવનારા SC-ST ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં માત્ર 20થી 35 ગુણ આપી નાપાસ કરાયા. એ જ રીતે, 387થી 412 ગુણ ધરાવતા SC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 24થી 52 ગુણ આપી નાપાસ કરવામાં આવ્યા.

‘ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી’

ધારાસભ્ય ચૈતર વસાવાએ બોલ્યા કે GPSC ભરતીમાં ચોક્કસ જાતિના લોકોને લેવામાં આવે છે. જ્યારે SC, ST અને OBC જેવી જાતિના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.  ચેરમેન હસમુખ પટેલની માનસિકતા જાતિવાદી છે. હસમુખ પટેલના કાર્યભાર દરમિયાન જે લોકોની ભરતી થઈ છે તેની સામે તપાસ કરવામાં આવે અને તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે.

આ પણ વાંચોઃ

Ahmedabad: ચંડોળામાં ફરી AMCની લાલ આંખ, હજ્જારો ઘરો પાડ્યા, લોકો બેઘર

Ahmedabad: ધંધૂકામાંથી પાણીની બોટલની આડમાં દારુનો વેપલો પોલીસે પકડ્યો

Shilpa Shirodkar: અભિનેત્રી શિલ્પા શિરોડકર કોરોના પોઝિટિવ, આ મોટી ફિલ્મો કર્યું છે કામ?

‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?

Vadodara: 1 કરોડથી વધુની છેતરપીંડી આચરનાર નાઇઝીરીયન મુંબઈથી ઝડપાયો

Vadodara: આશિષ જોશીના પત્નીનું કલેક્ટર સમક્ષ સોગદનામું, સરકારે દ્વેષ ભાવની ખોટી કાર્યવાહી કરી

બલુચિસ્તાનમાં ભયાનક બોમ્બ વિસ્ફોટ, 4 લોકોના મોત, 20 ઘાયલ | Balochistan

Gujarat: વૈજ્ઞાાનિક મધુકાંત પટેલે ‘સ્માર્ટ મધપૂડા’ વિકસાવ્યા, AIનો ઉપયોગ કેવી રીતે થાય? | Bee farming

કર્નલ સોફિયા પર ટિપ્પણી અંગે Vijay Shah ને સુપ્રીમમાંથી ઝટકો, SIT તપાસ કરશે

Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

 

Related Posts

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
  • June 15, 2025

Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

Continue reading

One thought on “ચૈતર વસાવાએ GPSC ના ચેરમેન હસમુખ પટેલને હટાવવાની માગ કેમ કરી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ