Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

મહેશ ઓડ

Panchmahal, Gamani village no electricity connection: ગુજરાત સરકાર વિકાસના બણગાં ફૂંકી રહી છે પણ વાસ્તવિકતા કંઈ અલગ છે. પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગમાણી ગામે વર્ષોથી 6 પરિવારો વીજ કનેશન વગર દિવસ-રાત કાઢે છે. અહીં રહેતાં લોકોને અજવાળું જોઈએ છે,  લોકો કહે છે કે અમે જીંદગીથી રહીએ છીએ પણ તંત્ર અમારી કોઈ જ રજૂઆત સાંભળતું નથી. વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં વીજ કનેક્શન આપવામાં આવતું નથી. જેથી ગામલોકોને રાત્રે ઝેરી જીવ કરડી જવાનો ડર રહે છે. તેઓ રાત જીવના જોખમે કાઢે છે.

ગમાણી ગામના વાકળિયા ફળિયા રહેતાં છ પરિવારોને ગુજરાત સરકારની વીજ યોજનાઓનો લાભ હજુ સુદી પહોંચ્યો નથી.   સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના, ઉજ્વલા ભારત ઉજ્વલા ગુજરાત યોજનાઓ છે. તો આ ગામના લોકોને લાભ કેમ આપવામાં આવતો નથી?, તેવા સવાલો થઈ રહ્યા છે.

તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે

ગમાણી ગામના ભયલાલભાઈ વેલિયાભાઈ રાઠવાએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે અમારે વર્ષોથી લાઈટ નથી. અમારા કુટુંબના છ ઘરોમાં તંત્ર વીજ કનેક્શન આપતું નથી. અમોએ વારંવાર રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી. અમોને તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે. વીજ કંપની પણ સાંભળતી ન હોવાનું જણાવી રહ્યા છે.

સરકારે કેરોસીન બંધ કરતાં અજવાળું કઈ રીતે કરવું?

ભયલાલભાઈ કહ્યું કે અમારા લોકોને કેરોસીન પણ મળતું નથી. સરકારે કેરોસીન આપવાનું બંધ કરી દીધું છે. જેથી હવે તો ખડિયો(દીવો) પણ સણગાવી શકતા નથી. જેથી અમારા 6 પરિવાર અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. અહીં વાવાઝોડા સમયે પણ ઘણુ નુકસાન થાય છે તેમ છતાં તંત્ર આંખ આાડા કાન કરી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે નુકસાન જોવા સરપંચ પણ આવ્યા નથી કે નુકસાનની ફોટા પણ પાડ્યા નથી. ત્યારે ભયલાલભાઈ રાઠવાની એક જ માગ છે અમનો તંત્ર વીજળી આપે.

સરકારની યોજનાઓને ઘોળી પી જતું સ્થાનિક તંત્ર

ગમાણી ગામના છ પરિવારોને વીજ કનેક્શન ન મળવું એ ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનું છેવાડાના વિસ્તારમાં ધ્યાન ન આપવાનું પરિણામ છે. સાથે સાથે સ્થાનિક વહીવટી ખામી અને સ્થાનિક સ્તરે અમલીકરણની નિષ્ફળતા દર્શાવે જ છે. તેમણે તાત્કાલિક તપાસ કરીને કનેક્શન આપવું જોઈએ. સરકારનો દાવો છે કે તમામ ઘરોમાં વીજળી પહોંચી છે, પરંતુ આવા કિસ્સાઓ યોજનાઓના અમલમાં ખામીઓ દર્શાવે છે. જેથી સ્થાનિક તંત્રએ આ 6 પરિવારને તાત્કાલિક કનેક્શન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ

રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

Related Posts

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય
  • June 17, 2026

Gujarat Farmers Protest: ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ૨૦૦૩-૨૦૦૪નો ગાળો એક એવા વળાંક તરીકે નોંધાયેલો છે, જેણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી એક અત્યંત જીદ્દી અને સત્તાધીશ રાજનેતા તરીકે સ્થાપિત કરી હતી.…

Continue reading
Gujarat Farmers Protest History: ૨૫ વર્ષથી ખેડૂતો પર અત્યાચાર, મોદી રાજમાં અનેક આંદોલનો
  • June 16, 2026

Gujarat Farmers Protest History: છેલ્લા ૩૦ વર્ષોથી ગુજરાત ખેડૂતોના વિરોધના સૂત્રો અને ટ્રેક્ટર રેલીઓના ઘોંઘાટથી ગુંજી રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરમાં જે રીતે ખેડૂતોએ ટ્રેક્ટર સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

  • June 17, 2026
  • 5 views
Gujarat Farmers Protest: ૨૦૦૩નું ખેડૂત આંદોલન, મોદીની લાઠી છતાં વિજય

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

  • June 16, 2026
  • 5 views
Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ

Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

  • June 16, 2026
  • 5 views
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત

Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

  • June 16, 2026
  • 10 views
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’

NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

  • June 16, 2026
  • 14 views
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ

Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!

  • June 16, 2026
  • 12 views
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!