chhatrapati shivaji: મરાઠા સામ્રાજ્ય કે હિન્દવી સામ્રાજ્ય?

  • India
  • February 22, 2025
  • 0 Comments

અર્કેશ જોશી

chhatrapati shivaji: આજે સવારે એક મિત્રનો ફોન આવ્યો. છત્રપતિ શિવાજી મહારાજ વિશે તેણે ઘણી વાતો કરી.  મોગલોને હરાવીને તેમણે હિન્દવી સ્વરાજની સ્થાપના કરી હતી. હિન્દુ ધર્મને “સ્ટેટ” સાથે અને “સ્વરાજ” સાથે સત્તાવાર રીતે જોડનારા તે સૌપ્રથમ હતા. તે સમયમાં આ ઈનિશ્યેટિવે કેવા મજબુત સંકેતો આપ્યા હશે તે તો તે સમયમાં જીવેલા કોઈ રાજ દરબારીને જ ખબર હશે. સ્વરાજનો એટલો ચૂસ્ત આગ્રહ કે તેમના રાજ્યની વહિવટી ભાષા બદલી. આપણી ભાષાના વહિવટી શબ્દોનો કોષ બનાવડાવ્યો. તેનો ઉપયોગ વહિવટી તંત્રમાં શરૂ કર્યો.

તેમણે બદલાતા સમયને પારખીને યુધ્ધની આખી પેટર્ન બદલી નાંખી. ત્રેતાયુગમાં સમયથી હિન્દુઓના યુધ્ધ માટેના આગવા નિયમો હતા. ગ્રીક પ્રવાસી મેગેસ્થનિસે મોગલ પૂર્વસેવા ભારતનું વર્ણન કરતાં લખ્યું છે કે ભારતમાં બે રાજાના સૈન્ય વચ્ચે યુધ્ધ ચાલતું હોય ત્યારે બાજુમાં ખેતરમાં ખેતી કરતો ખેડૂત કોઈ ભય વિના પોતાનું કામ કરે એ સ્વાભાવિક છે. કોઈ સૈનિક તેના પર હુમલો કરતો નથી.

પરંતુ મોગલો સામે આ નીતિ ચાલે નહીં. શત્રુ તરીકે સામે કોઈ સાચો યોધ્ધો છે કે જંગલી આદમખોર પશુ, એ જોઈને યુધ્ધ કેવી રીતે કરવું એ નિર્ણય કરવો પડે. એ છત્રપતિ શિવાજીએ કર્યું. કૃષ્ણ-નીતિ અપનાવી.

હવે વાત ઈતિહાસકારોની. આપણે હંમેશા એવું ભણતા આવ્યા છીએ કે મરાઠા સામ્રાજ્ય ખુબ ફેલાયેલું હતું. પણ છત્રપતિએ તો મરાઠા સામ્રાજ્ય એવું નામકરણ નોહતું કર્યું! તેમણે તો હિન્દવી સ્વરાજ એવું નામ આપ્યું હતું! મરાઠાઓ તેમાં શાસક હતા. તેમની શૂરવીરતા, દેશભક્તિ અને ધર્મ રક્ષાના મહાન કાર્યોને સમગ્ર દેશ પ્રણામ કરે છે. આ શ્રેષ્ઠ લડાયક જાતિના નામે આપણા સૈન્યમાં એક આખી મરાઠા રેજિમેન્ટ છે. એ જાતિનું ઋણ છે દેશ પર.

પરંતુ ઈતિહાસકારોએ મરાઠા સામ્રાજ્યના સ્થાને હિન્દવી સામ્રાજ્ય શબ્દપ્રયોગ કર્યો હોત તો હિન્દુ માત્રના મનમાં એ ગૌરવ કેવું પ્રચંડ રીતે જાગૃત થયું હોત કે આપણા દેશને તો 1947મા નહીં પણ ૬ઠ્ઠી જૂન, 1676ના દિવસે સ્વતંત્રતા મળી ગઈ હતી. જો આ શબ્દપ્રયોગ થયો હોત તો હિન્દવી સ્વરાજ સ્થાપના દિન કાશ્મીરથી કન્યાકુમારી સુધી આંખો દેશ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવા માટે પ્રેરાઈ શકે એમ હતો.

ઈતિહાસકારો ઈરાદાપૂર્વક ભુલ કરતા હોય છે. તેને ઈરાદાપૂર્વક સુધારી લેવા કોશીશ થવી જોઈએ.

 

આ પણ વાંચોઃ Rajkot: ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત, કેમ જીવન ટૂંકાવ્યું?

આ પણ વાંચોઃ રાજ્યમાં વહીવટી વિભાગે GAS કેડરના 11 અધિકારીઓને આપી બઢતી

આ પણ વાંચોઃ કોંગ્રેસના અત્યાર સુધીના સૌથી ગંભીર આરોપ; ‘પીએમ મોદી આમંત્રણ વગર અમેરિકા ગયા, દેશને અસ્થિર કરીને પાછા આવ્યા’

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ