
અર્કેશ જોશી
chhatrapati shivaji: આજે સવારે એક મિત્રનો ફોન આવ્યો. છત્રપતિ શિવાજી મહારાજ વિશે તેણે ઘણી વાતો કરી. મોગલોને હરાવીને તેમણે હિન્દવી સ્વરાજની સ્થાપના કરી હતી. હિન્દુ ધર્મને “સ્ટેટ” સાથે અને “સ્વરાજ” સાથે સત્તાવાર રીતે જોડનારા તે સૌપ્રથમ હતા. તે સમયમાં આ ઈનિશ્યેટિવે કેવા મજબુત સંકેતો આપ્યા હશે તે તો તે સમયમાં જીવેલા કોઈ રાજ દરબારીને જ ખબર હશે. સ્વરાજનો એટલો ચૂસ્ત આગ્રહ કે તેમના રાજ્યની વહિવટી ભાષા બદલી. આપણી ભાષાના વહિવટી શબ્દોનો કોષ બનાવડાવ્યો. તેનો ઉપયોગ વહિવટી તંત્રમાં શરૂ કર્યો.
તેમણે બદલાતા સમયને પારખીને યુધ્ધની આખી પેટર્ન બદલી નાંખી. ત્રેતાયુગમાં સમયથી હિન્દુઓના યુધ્ધ માટેના આગવા નિયમો હતા. ગ્રીક પ્રવાસી મેગેસ્થનિસે મોગલ પૂર્વસેવા ભારતનું વર્ણન કરતાં લખ્યું છે કે ભારતમાં બે રાજાના સૈન્ય વચ્ચે યુધ્ધ ચાલતું હોય ત્યારે બાજુમાં ખેતરમાં ખેતી કરતો ખેડૂત કોઈ ભય વિના પોતાનું કામ કરે એ સ્વાભાવિક છે. કોઈ સૈનિક તેના પર હુમલો કરતો નથી.
પરંતુ મોગલો સામે આ નીતિ ચાલે નહીં. શત્રુ તરીકે સામે કોઈ સાચો યોધ્ધો છે કે જંગલી આદમખોર પશુ, એ જોઈને યુધ્ધ કેવી રીતે કરવું એ નિર્ણય કરવો પડે. એ છત્રપતિ શિવાજીએ કર્યું. કૃષ્ણ-નીતિ અપનાવી.
હવે વાત ઈતિહાસકારોની. આપણે હંમેશા એવું ભણતા આવ્યા છીએ કે મરાઠા સામ્રાજ્ય ખુબ ફેલાયેલું હતું. પણ છત્રપતિએ તો મરાઠા સામ્રાજ્ય એવું નામકરણ નોહતું કર્યું! તેમણે તો હિન્દવી સ્વરાજ એવું નામ આપ્યું હતું! મરાઠાઓ તેમાં શાસક હતા. તેમની શૂરવીરતા, દેશભક્તિ અને ધર્મ રક્ષાના મહાન કાર્યોને સમગ્ર દેશ પ્રણામ કરે છે. આ શ્રેષ્ઠ લડાયક જાતિના નામે આપણા સૈન્યમાં એક આખી મરાઠા રેજિમેન્ટ છે. એ જાતિનું ઋણ છે દેશ પર.
પરંતુ ઈતિહાસકારોએ મરાઠા સામ્રાજ્યના સ્થાને હિન્દવી સામ્રાજ્ય શબ્દપ્રયોગ કર્યો હોત તો હિન્દુ માત્રના મનમાં એ ગૌરવ કેવું પ્રચંડ રીતે જાગૃત થયું હોત કે આપણા દેશને તો 1947મા નહીં પણ ૬ઠ્ઠી જૂન, 1676ના દિવસે સ્વતંત્રતા મળી ગઈ હતી. જો આ શબ્દપ્રયોગ થયો હોત તો હિન્દવી સ્વરાજ સ્થાપના દિન કાશ્મીરથી કન્યાકુમારી સુધી આંખો દેશ સ્વાતંત્ર્ય દિન તરીકે ઉજવવા માટે પ્રેરાઈ શકે એમ હતો.
ઈતિહાસકારો ઈરાદાપૂર્વક ભુલ કરતા હોય છે. તેને ઈરાદાપૂર્વક સુધારી લેવા કોશીશ થવી જોઈએ.
આ પણ વાંચોઃ Rajkot: ઇન્સ્ટાગ્રામ સ્ટાર ‘તોફાની રાધા’એ કર્યો આપઘાત, કેમ જીવન ટૂંકાવ્યું?
આ પણ વાંચોઃ રાજ્યમાં વહીવટી વિભાગે GAS કેડરના 11 અધિકારીઓને આપી બઢતી
આ પણ વાંચોઃ કોંગ્રેસના અત્યાર સુધીના સૌથી ગંભીર આરોપ; ‘પીએમ મોદી આમંત્રણ વગર અમેરિકા ગયા, દેશને અસ્થિર કરીને પાછા આવ્યા’