Narendramodi: અમેરિકા-ઈરાન યુદ્ધમાં મધ્યસ્થી બનવું એ શુ પાકિસ્તાનની જીત છે ? ભારતનું સ્થાન ક્યાં? જાણો, વિશ્લેષકોનું શુ માનવુ છે!

  • India
  • March 24, 2026
  • 0 Comments

Narendramodi: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને રોકવા માટે પાકિસ્તાન મધ્યસ્થી તરીકે ઉભરી આવ્યું છે. અહેવાલો સૂચવે છે કે આ અઠવાડિયાના અંતમાં ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સામ-સામે મુલાકાત થઈ શકે છે. એક્સિઓસના રિપોર્ટર બરાક રવિદે X પરની એક પોસ્ટમાં એક ઇઝરાયલી અધિકારીને ટાંકીને કહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ઈસ્લામાબાદમાં યોજાનારી બેઠકમાં યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી શકે છે. જ્યારે પહેલાથી જ એવું અનુમાન કરવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાન મધ્યસ્થીમાં સામેલ થઈ શકે છે પરંતુ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે ભારત પર તેની શુ અસર પડી શકે છે? જાણો.

પાકિસ્તાનનો મધ્યસ્થી તરીકે ઉભરી આવવુ એ ભારત માટે ચિંતાનો વિષય છે,કારણ કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન પર હુમલા પહેલા ઇઝરાયલની મુલાકાત લીધી હતી. બની શકે છે કે ભારતે એક પક્ષ(ઈઝરાયેલ-અમેરિકા) પસંદ કર્યો હશે પરંતુ તે પક્ષે ભારતને પસંદ કર્યું નથી તે હકીકત છે.

■પાકિસ્તાનની મધ્યસ્થી પર નિષ્ણાતોનું શુ કહેવું છે?

દક્ષિણ એશિયાઈ બાબતોના અમેરિકન નિષ્ણાત માઈકલ કુગેલમેને જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકા આશ્ચર્યજનક નથી. છેલ્લા એક વર્ષમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ઘણી ઉચ્ચ-સ્તરીય બેઠકો થઈ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર પાકિસ્તાનને પ્રેમ કરે છે. ટ્રમ્પે કહ્યું છે કે મુનીર ઈરાનને મોટાભાગના લોકો કરતાં વધુ સારી રીતે જાણે છે. કુગેલમેને વધુમાં નોંધ્યું હતું કે પાકિસ્તાન અમેરિકામાં ઈરાનના રાજદ્વારી હિતોનું પ્રતિનિધિત્વ કરે છે.

■ પાકિસ્તાનને મધ્યસ્થીથી ફાયદો થશે.

લંડન યુનિવર્સિટીના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય અભ્યાસ વિભાગના પ્રોફેસર અવિનાશ પાલીવાલ કહે છે કે પાકિસ્તાન આ પરિસ્થિતિનો કેટલો સમય લાભ ઉઠાવી શકશે તેની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ હાલ પૂરતું, તેણે પોતાની પહોંચ વધારી છે. તેમણે X પર લખ્યું હતું કે પાકિસ્તાને નજીકના ભવિષ્ય માટે ઈરાનમાં તેના હિતોને સુરક્ષિત કર્યા છે.
જો કે, આનાથી પાકિસ્તાન માટે અજીબ સ્થિતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિ ઈઝરાયલ છે, જે ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં મુખ્ય ખેલાડી છે અને તેના સમર્થન વિના કોઈ કરાર શક્ય નથી. અત્યાર સુધી, બંને પક્ષો વચ્ચે કોઈ ઔપચારિક સંપર્ક નહોતો, પરંતુ હવે તેલ અવીવ પાસે ઈસ્લામાબાદ સાથે જોડાવાનું કારણ બની શકે છે.

■ભારતને શુ અસર થશે?

હવે ભારતે ઈરાન સાથેના તેના સંબંધોને કેવી રીતે વ્યાખ્યાયિત કરે છે તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે. આનું કારણ એ છે કે ઈરાન હજુ સુધી તૂટયુ નથી અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનનો હાથ ઉપર રહ્યો છે પરિણામે હવે ભારતના હિતોનું રક્ષણ કરવા માટે તેહરાન સાથે જોડાણ જરૂરી છે. ભારતે ફરી એકવાર ઈરાન સાથેના સંબંધોને મજબૂત બનાવવા પર કામ કરવાનું શરૂ કરવું પડશે.
આમ,ભારતે ટ્રમ્પ અને ઈઝરાયેલ સાથે બેસી જઈ તેઓને સમર્થન આપ્યાનું ચિત્ર ઉપસ્યું છે અને ટ્રમ્પ-ઈઝરાયેલ હવે ઈરાન સાથે સમાધાન કરવા પાકિસ્તાનને મધ્યસ્થી બનાવી રહયા છે તેવે સમયે ભારતની સ્થિતિ વિચિત્ર બની ગઈ છે,હવે એકડે એકથી ઈરાન સાથે સબંધ સારા કરવા માટે પ્રયાસો કરવા પડશે

દરમિયાન, પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ મુજબ, પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી.બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સોમવારે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજેશકિયાન સાથે ચર્ચા કરી. આ વાટાઘાટોને પ્રદેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

Related Posts

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના
  • May 8, 2026

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો બાદ જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, તે ખરેખર વિચારતા કરી મૂકે તેવા છે. અચાનક એવું લાગે છે કે ત્યાંના સનાતની અને…

Continue reading
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી
  • May 8, 2026

Owaisi on Vande Mataram: દેશના રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતો પ્રત્યેના સન્માનને લઈને ફરી એકવાર રાજકીય જંગ જામ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન વૈધાનિક…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

  • May 8, 2026
  • 5 views
West Bengal Election Violence: પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સનાતની વીરોનું શૌર્ય અને ટાઈમ મશીનની કલ્પના

Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

  • May 8, 2026
  • 6 views
Gir Forest Land Allocation Controversy: ગીર જમીન વિવાદમાં ફરી ઉઠ્યા સવાલો, આનંદીબેન પટેલ અને અનાર પટેલને લઈને જૂના આરોપોની ચર્ચા તેજ

Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

  • May 8, 2026
  • 8 views
Gift City Data Center Fraud : ગુજરાતમાં વધતા નટવરલાલો! ડેટા સેન્ટર રોકાણના બહાને 32 હજાર લોકો સાથે ઠગાઈ? ઉત્પલ પટેલ કેસે મચાવ્યો ખળભળાટ

Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

  • May 8, 2026
  • 9 views
Mundra fishermen Adani protest: અત્યાચારનું બીજુ નામ અદાણી: મુંદરામાં 4 વખત માછીમારોને સ્થળાંતર

Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

  • May 8, 2026
  • 10 views
Bhavnagar SBI Loan Scam: ભાવનગર SBI લોન કૌભાંડમાં મોટો ખુલાસો, નિલમબાગ બ્રાન્ચના ચીફ મેનેજરની ધરપકડથી બેંકિંગ ક્ષેત્રમાં ખળભળાટ

S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે

  • May 8, 2026
  • 6 views
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે