Chhattisgarh: અમિત શાહે આપ્યો લોકોને ભરોસો, કહ્યું નક્સવાદીઓ વિકાસને નહીં રોકી શકે, નક્સવાદને ખતમ કરવાની આપી દીધી તારીખ!

  • India
  • October 5, 2025
  • 0 Comments

Chhattisgarh Naxalism: છત્તીસગઢમાં નક્સવાદીઓએ ભાજપ સરકારની ઊંઘ હરામ કરી છે. જેથી ભાજપ સરકાર બરાબર ભીંસમાં આવી છે. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહ આજે બસ્તરની મુલાકાતે છે. તેમણે જગદલપુરમાં બસ્તર દશેરાના મુખ્ય ધાર્મિક વિધિ મુરિયા દરબારમાં હાજરી આપી હતી. તેમણે ફરીથી નક્સલવાદ પર કડક વલણ અપનાવ્યું અને એક મોટું નિવેદન આપ્યું. સભાને સંબોધતા તેમણે કહ્યું કે 26 માર્ચ પહેલા બસ્તર નક્સલ મુક્ત થઈ જશે. 31 માર્ચ, 2026 પછી, નક્સલવાદીઓ બસ્તરના વિકાસને રોકી શકશે નહીં. જો કે શાહના આ નિવેદન કેટલું ટકશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે ભાજપ સરકાર ઠાલા વચનો અને જુમલાઓ આપી ફરી જવામાં માહેર છે.

આપણે નક્સલવાદને નાબૂદ કરીશું: શાહ

શાહે આ દેશમાંથી નક્સલવાદને નાબૂત કરવાની તારીખ 31 માર્ચ, 2026 આપી છે. કેટલાક લોકો વાટાઘાટોની વાત કરે છે. હું ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગુ છું. આપણી બંને સરકારો, છત્તીસગઢ સરકાર અને કેન્દ્ર સરકાર, બસ્તર અને સમગ્ર નક્સલવાદી પ્રદેશના વિકાસ માટે સમર્પિત છે. ચર્ચા કરવા જેવું શું છે? અમે ખૂબ જ આકર્ષક શરણાગતિ નીતિ વિકસાવી છે. આવો, તમારા શસ્ત્રો મૂકો.

તેમણે કહ્યું કે દિલ્હીના લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને નક્સલવાદે બસ્તરને વિકાસથી દૂર કરી દીધું છે. જોકે, ભાજપના શાસનમાં મફત આરોગ્ય વીમો, 3,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી અને એક મહિનામાં 500 થી વધુ નક્સલીઓના આત્મસમર્પણ સહિત નક્કર પગલાં લેવામાં આવ્યા છે. બસ્તર હવે ઓલિમ્પિક હબ બની રહ્યું છે. દેશભરના આદિવાસીઓ અહીં રમશે. આ પ્રદેશ હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર છે. હું દિલ્હી જઈશ અને બધાને આ વિશે જણાવીશ અને તેમને મુરિયા દરબારની મુલાકાત લેવાની અપીલ કરીશ.

નક્સલવાદ શું છે?

નક્સલવાદ (Naxalism) એ ભારતમાં એક વામનીષ્ઠ (માઓવાદી) વિદ્રોહી આંદોલન છે, જે મુખ્યત્વે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ચાલે છે. તેની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં થઈ હતી, જ્યાં કિસાનોએ જમીનદારો વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હતો. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય રાજ્યવ્યવસ્થાને ઉથલપાથલ કરીને ગરીબો અને વંચિત વર્ગો (ખાસ કરીને આદિવાસીઓ) માટે જમીન અને સંસાધનોનું વિતરણ કરવાનો છે. છત્તીસગઢ ભારતમાં નક્સલવાદનું મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બસ્તર અને દક્ષિણ બસ્તરના જંગલી વિસ્તારોમાં, જ્યાં આદિવાસીઓની વસ્તી વધુ છે અને જમીન-ખનીજ સંસાધનો પર વિવાદ છે. છત્તીસગઢમાં નક્સલવાદ 1980ના દાયકામાં મજબૂત થયું, જ્યાં માઓવાદીઓએ ગરીબી, શોષણ અને વિસ્થાપન વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો.

આ પણ વાંચો:

Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર

Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર

સૌથી વધુ દગો કોંગ્રેસે કર્યો, હોલસેલ MLAની સપ્લાઈ BJPને, કોઈપણ સંજોગમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં: Arvind Kejriwal

Bihar: વાહ શું વાત છે? સમ્રાટ ચૌધરીએ ફ્રી વીજળીનો AI મેસેજ રેકોર્ડ કર્યો!, ચૂંટણી પહેલા જ કરોડોનો ધૂમાડો કરી નાખ્યો?

Vadodara: વકીલે ઓફિસમાં જ કામ કરતી યુવતી પર વારંવાર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું, કેવી રીતે ફૂટ્યો ભાંડો?

Uttarakhand: ‘આ બધુ તમારા ઘરમાં કરો’, ‘તમે અમને કહેવાવાળા કોણ?’, હિંદુ સંગઠને વેસ્ટર્ન કપડાંનો વિરોધ કરતાં છોકરીઓએ આપ્યા…

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 3 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 7 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 13 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 4 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 12 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!

  • March 19, 2026
  • 10 views
Iran War Updates: ઈઝરાયેલે ઈરાનના ઊર્જા ક્ષેત્ર પર હુમલો કર્યા બાદ ઈરાને  કતારના ગેસ હબ પર કર્યો વળતો પ્રહાર! ઈરાનની ધમકી હવે દુશ્મનોના ઉર્જા ક્ષેત્રો રાખમાં ફેરવી નાખીશું! ભારતનું અર્થતંત્ર ખોરવાશે!