
Chhattisgarh Naxalism: છત્તીસગઢમાં નક્સવાદીઓએ ભાજપ સરકારની ઊંઘ હરામ કરી છે. જેથી ભાજપ સરકાર બરાબર ભીંસમાં આવી છે. ત્યારે આજે ગૃહમંત્રી અમિત શાહ આજે બસ્તરની મુલાકાતે છે. તેમણે જગદલપુરમાં બસ્તર દશેરાના મુખ્ય ધાર્મિક વિધિ મુરિયા દરબારમાં હાજરી આપી હતી. તેમણે ફરીથી નક્સલવાદ પર કડક વલણ અપનાવ્યું અને એક મોટું નિવેદન આપ્યું. સભાને સંબોધતા તેમણે કહ્યું કે 26 માર્ચ પહેલા બસ્તર નક્સલ મુક્ત થઈ જશે. 31 માર્ચ, 2026 પછી, નક્સલવાદીઓ બસ્તરના વિકાસને રોકી શકશે નહીં. જો કે શાહના આ નિવેદન કેટલું ટકશે તે કહેવું મુશ્કેલ છે કારણ કે ભાજપ સરકાર ઠાલા વચનો અને જુમલાઓ આપી ફરી જવામાં માહેર છે.
Home Minister Amit Shah in Bastar, “On behalf of PM Modi, I want to assure you that after March 31, 2026, these Naxalites will not be able to stop your development or your rights. Much work has been done, and much work remains, but I have full confidence that before March 2026,… pic.twitter.com/QNPj3GD8Sx
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 4, 2025
આપણે નક્સલવાદને નાબૂદ કરીશું: શાહ
શાહે આ દેશમાંથી નક્સલવાદને નાબૂત કરવાની તારીખ 31 માર્ચ, 2026 આપી છે. કેટલાક લોકો વાટાઘાટોની વાત કરે છે. હું ફરી એકવાર સ્પષ્ટ કરવા માંગુ છું. આપણી બંને સરકારો, છત્તીસગઢ સરકાર અને કેન્દ્ર સરકાર, બસ્તર અને સમગ્ર નક્સલવાદી પ્રદેશના વિકાસ માટે સમર્પિત છે. ચર્ચા કરવા જેવું શું છે? અમે ખૂબ જ આકર્ષક શરણાગતિ નીતિ વિકસાવી છે. આવો, તમારા શસ્ત્રો મૂકો.
તેમણે કહ્યું કે દિલ્હીના લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને નક્સલવાદે બસ્તરને વિકાસથી દૂર કરી દીધું છે. જોકે, ભાજપના શાસનમાં મફત આરોગ્ય વીમો, 3,100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ડાંગરની ખરીદી અને એક મહિનામાં 500 થી વધુ નક્સલીઓના આત્મસમર્પણ સહિત નક્કર પગલાં લેવામાં આવ્યા છે. બસ્તર હવે ઓલિમ્પિક હબ બની રહ્યું છે. દેશભરના આદિવાસીઓ અહીં રમશે. આ પ્રદેશ હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર છે. હું દિલ્હી જઈશ અને બધાને આ વિશે જણાવીશ અને તેમને મુરિયા દરબારની મુલાકાત લેવાની અપીલ કરીશ.
નક્સલવાદ શું છે?
નક્સલવાદ (Naxalism) એ ભારતમાં એક વામનીષ્ઠ (માઓવાદી) વિદ્રોહી આંદોલન છે, જે મુખ્યત્વે ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં ચાલે છે. તેની શરૂઆત 1967માં પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામમાં થઈ હતી, જ્યાં કિસાનોએ જમીનદારો વિરુદ્ધ બળપ્રયોગ કર્યો હતો. આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ ભારતીય રાજ્યવ્યવસ્થાને ઉથલપાથલ કરીને ગરીબો અને વંચિત વર્ગો (ખાસ કરીને આદિવાસીઓ) માટે જમીન અને સંસાધનોનું વિતરણ કરવાનો છે. છત્તીસગઢ ભારતમાં નક્સલવાદનું મુખ્ય કેન્દ્ર છે, ખાસ કરીને બસ્તર અને દક્ષિણ બસ્તરના જંગલી વિસ્તારોમાં, જ્યાં આદિવાસીઓની વસ્તી વધુ છે અને જમીન-ખનીજ સંસાધનો પર વિવાદ છે. છત્તીસગઢમાં નક્સલવાદ 1980ના દાયકામાં મજબૂત થયું, જ્યાં માઓવાદીઓએ ગરીબી, શોષણ અને વિસ્થાપન વિરુદ્ધ સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો.
આ પણ વાંચો:
Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર
Chhattisgarh માં સુરક્ષા દળોને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં 26 થી વધુ નક્સલીઓ ઠાર










