
Dwarka Demolition Site: સરકાર દ્વારા બેટ દ્વારકામાં મોટા પાયે ઘણા સમયથી ડિમોલેશન(Demolition) હાથ ધરાયું છે. કેટલાંય લોકો ઘરવિહોણા બન્યા છે. લોકોની રોજગારી છીનવાઈ છે. ત્યારે આ પંથકની કોંગ્રેસ નેતાઓએ મુલાકાત લીધી છે. કોંગ્રેસે લોકોની સ્થિતિ જોઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડા, લાલજી દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ બેટ દ્વારકાની મુલાકાતે છે. અહીં ડિમોલેશનનો ભોગ બનેલા લોકોને મળી તેમની વેદના જાણી છે. અમિત ચાવડાએ કહ્યું અમીરોની સરકારે ગરીબોના ઝુંપડાં પાડી ઘરવિહોણા કર્યા છે.
અહીં 400થી વધુ ઘરો તોડી પાડવામાં આવ્યા છે. મજૂર પરિવારો ઘરવિહોણા થયા છે. આ લોકો અહી વર્ષોથી રહેતાં હતા. ત્યારે આવસ યોજનાઓના બણગાં ફૂકતી સરકારે લોકોના માથેથી છત છીનવી લીધી છે.
આ પણ વાંચોઃ