
Cricketer Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. જોકે આ વખતે તે ક્રિકેટને કારણે નહીં પરંતુ બીજા કારણસર સમાચારમાં છે. સૂર્યકુમારની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં, 34 વર્ષીય ક્રિકેટર હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે.
તેમને સૂર્યા હોસ્પિટલમાં કેમ દાખલ કરવામાં આવ્યા?
સૂર્યકુમાર યાદવના એક ફોટાએ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટામાં સૂર્યકુમાર હોસ્પિટલના પલંગ પર દાખલ છે. જોકે, તેમાં કંઈ ગંભીર કે ચિંતાજનક નથી. વાસ્તવમાં તેમને પેટના નીચેના જમણા ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી કરાવી છે. સૂર્યકુમારની સર્જરી જર્મનીના મ્યુનિકની એક હોસ્પિટલમાં કરવામાં આવી હતી. તેણે આ માહિતી ઇન્સ્ટાગ્રામ દ્વારા તેના ચાહકો સાથે શેર કરી.
ઇન્સ્ટાગ્રામ પર ફોટો વાઈરલ
ભારતીય ક્રિકેટર સૂર્યકુમાર યાદવે ગઈકાલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી. જેમાં તે હોસ્પિટલના પલંગ પર સૂતો છે. સૂર્યકુમાર પોતાના ડાબા હાથથી ‘થમ્બ્સ અપ’ પોઝ આપતી વખતે હસતો છે. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું, “જીવન અપડેટ: જમણા પેટના નીચેના ભાગમાં સ્પોર્ટ્સ હર્નિયા માટે સર્જરી થઈ. મને એ જણાવતા આનંદ થાય છે કે સર્જરી પછી હું સ્વસ્થ થવાના માર્ગ પર છું. “
આ શ્રેણીમાં પુનરાગમન કરી શકે છે
ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 શ્રેણીથી વ્યાવસાયિક ક્રિકેટમાં પાછા ફરી શકે છે. આ શ્રેણી ઓગસ્ટમાં આયોજિત કરવામાં આવશે. આ માટે ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશનો પ્રવાસ કરશે. T20 શ્રેણી 26 ઓગસ્ટથી શરૂ થશે. આ પહેલા સૂર્યા છેલ્લે મુંબઈ T20 લીગમાં રમતા જોવા મળ્યો હતો.
જ્યાં જમણા હાથના બેટ્સમેને કેટલીક આકર્ષક ઇનિંગ્સ રમી. ચાહકોમાં મિસ્ટર 360 તરીકે પ્રખ્યાત આ ખેલાડી માટે IPL 2025 ખૂબ જ અદ્ભુત રહ્યું. જ્યાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતી વખતે, તેણે 16 મેચની એટલી જ ઇનિંગ્સમાં 717 રન બનાવ્યા. તે ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે રહ્યો.
View this post on Instagram