
Dahod married girl suicide: ગુજરાતમાં દિવસે દિવસે હત્યા સહિત અન્ય અપરાધિક ઘટનાઓનું સતત પ્રમાણ વધી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે.
ત્યારે દાહોદમાં એક ચકચાર મચાવી નાખતી મોતની ઘટના ઘટી છે. ફતેપુરા તાલુકાના રૂપાખેડા ગામમાં 22 વર્ષીય નવ પરિણીતા પૂજાબેનનું શંકાસ્પદ મોત થયું છે. પૂજાબેનના લગ્ન 28/4/ 2025 ના રોજ ઝાલોદ તાલુકાના ગામડી ગામથી રૂપાખેડાના અક્ષય સુરેશભાઈ વાદી સાથે થયા હતા.
લગ્ન બાદ પતિ-પત્ની મજૂરી માટે બહારગામ ગયું હતું. ત્યાં પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી પૂજાનો પતિ તેને પિયરમાં મૂકી આવ્યો હતો.
ત્યારબાદ પાંચેક દિવસ જતા રૂપાખેડાથી અક્ષય પંચો લઈને તેની સાસરીમાં ગયો હતો. જ્યાં રૂપાખેડા તથા ગામડીની પંચોએ મળી સમજાવી પૂજાને તારીખ 28/5/2025ના રોજ તેની સાસરી રૂપાખેડા લાવવામાં આવી હતી.
ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો
31 મેની રાત્રે લગભગ 1 વાગ્યે અક્ષયના કાકા અમરસિંગભાઈએ પૂજાબેનના પિતાને ફોન કર્યો. તેમણે જણાવ્યું કે પૂજાબેને ગળે ફાંસો ખાધો છે. તેને સંતરામપુર દવાખાને લઈ જઈએ છીએ. પિયર પક્ષના લોકો સંતરામપુર પહોંચ્યા ત્યારે સાસરીયાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
સુખસર પોલીસે કાર્યવાહી ચાલુ કરી સંતરામપુર સરકારી દવાખાનામાંથી લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં મોકલી હતી. મૃતક પૂજાબેનની લાશના પી.એમ બાદ લાશનો કબજો પિયરિયાઓએ લીધો હતો.
મૃતક પૂજાએ આપઘાત કર્યો છે પછી હત્યા થઈ છે તે દિશમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન Sheikh Hasina ની મુશ્કેલી વધી, ધરપકડ વોરંટ ઈશ્યૂ
બીજા પક્ષના નેતા પણ કહી ગયા કે તમારામાં ફૂટેલી કારતૂસો: Jignesh Mevani
રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો, 40 રશિયન વિમાનોને તોડી પાડ્યા! | Russia-Ukraine War
પેરિસમાં PSG ની ચેમ્પિયન્સ લીગ જીત બાદ ભારે હિંસા, 81 લોકોની ધરપકડ
Gujarat Politics: હાર્દિક, અલ્પેશ બાદ હવે જિજ્ઞેશ ભાજપને મદદ કરવાના માર્ગે!
ભારતીય જેટને નુકસાન થયું, CDS અનિલ ચૌહાણનો પહેલીવાર સ્વીકાર
Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો
Amreli માં પોલીસ અને ભાજપા નેતાઓ આમને સામને આવી ગયા!
પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદનો કહેર, અત્યાર સુધીમાં 30 લોકોના મોત | Flood