Deesa: અગ્નિકાંડ મામલો: પરિવારની સહમતિ વગર મૃતદેહો વતન મોકલી દેવાયા, માતાની વેદના

Deesa fireworks factory fire: ગઈકાલે(1 એપ્રિલ) બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધી 21 લોકોના મોત થઈ ગયા છે. તમામ મૃતકો મધ્ય પ્રદેશના વતની છે. જ્યારે 10 લોકોની સ્થિતિ ગંભીર છે. તેમના મૃતદેહોને હાલ મધ્ય પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. 21 લોકોના મોતથી પરિવારોમાં ભારે આક્રંદ છે. પરિવારો માંગ કરી રહ્યા છે અમોને સરકાર તરફથી મદદ મળે. હાલ આ ઘટનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે SITની રચના કરી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ચાલતી ગેરકાયદેસર ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 21 મધ્ય પ્રદેશના શ્રમિકોના મોત થઈ ગયા છે. જ્યારે 10 વધુ મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. જેઓ ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારની દયનીય અને કપરી સ્થિતિ થઈ ગઈ છે. કોઈ પરિવારે ભાઈ, પિતા, દિકરી, જમાઈ ગુમાવ્યા છે. આક્ષેપ થઈ રહ્યા છે કે કેટલાંક પરિવારને મૃતદેહ નજીક પણ ફરકવા દીધા નથી. ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી છે.

‘સરકાર ભ્રષ્ટાચાર સંતાડવા માગે છે’

જીગ્નેશ મેવાણી કહ્યું છે કે રાજ્યની સરકાર ભ્રષ્ટાચાર સંતાડવા માગે છે. ડીસાના ગેરકાદેસરમાં ચાલતાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં 20 જેટલાં લોકોના મતો થઈ ગયા છે. નિર્દોષ લોકોના જીવ ગયા છે. તેનાથી લાજવાને બદલે આ નાલાયક સરકાર ભ્રષ્ટ તંત્ર મૃતક દિકરીનું માતાને મોં જોવા દીધુ નથી. મૃતદેહો માતાની પરવાનગી વગર મધ્ય પ્રદેશ લઈ જવા રવાના કરી દીધા. આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે? તેમણે બનાસકાઠા કલેક્ટર પર ગંભીર પ્રકારના આક્ષેપ કર્યા હતા. પરિવારે કહ્યું હતુ કે અમે ઓળખ કરીએ પછી મૃતદેહો મોકલજો તેમ છતાં કલેક્ટરના તંત્ર દ્વારા મૃતદેહો મધ્ય પ્રદેશમાં રવાના કરી દીધાના આક્ષેપ થયા છે. જીગ્નેશ મેવાણીએ સરકારને પણ આડે હાથ લીધી હતી.

રડતાં રડતાં મૃતકોની માતાએ કહ્યું મારી દિકરી, વહુ, જમાઈ પણ મૃતકોમાં સામેલ છે. સરકારે મને શું ન્યાય આપ્યો? હજુ હું જીવું છું, મારી બોડીને પણ સાથે લઈ જવી હતી. મને મારી દિકરીનું મોં પણ જોવા દીધું નથી. ત્યારે શું સરકારને મૃતકોની કિંમત સમજાતી નથી. મૃતકોના પરિવારની વેદના સંભળાતી નથી તેવું લાગી રહ્યું છે.

ફટાકડા વેચાણ નામે ફટાકડા બનાવતા હતા, બેની ધરપકડ

જાણવા વળી રહ્યું છે ફટાકડાની ફેક્ટરીના માલિકે માત્ર ફટાકડા વેચાણની મંજૂરી લીધી હતી. જો કે તેના ઓથા હેઠળ આ ફેક્ટરીના માલિક ફટાકડા બનાવવાનું ચાલુ કરી દીધુ હતુ. જેથી આ દુર્ઘટનામાં જવાબદાર બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ફેકટરી સંચાલક આરોપી પુત્ર દીપક અને પિતા ખૂબચંદ મોહનાની ધરપકડ કરવામાં આવી છે.

કામદારોના મૃતદેહ દૂર દૂર સુધી વિખરાયેલા હતા

પોલીસના જણાવ્યા અનુસાર આ ફેક્ટરી બનાસકાંઠાના ડીસા તાલુકામાં ઢૂવા રોડ પર આવેલી છે. મંગળવારે સવારે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કામદારો અહીં કામ કરી રહ્યા હતા. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ઘણા કામદારોના શરીરના ભાગો દૂર દૂર સુધી વિખેરાઈ ગયા હતા. મૃતકોના મૃતદેહોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી હતી. આ ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફેક્ટરીની પાછળના ખેતરમાં કેટલાક માનવ અંગો પણ મળી આવ્યા હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડ અહીં પહોંચી હતી, જ્યાં આગને કાબુમાં લેવામાં 5 થી 6 કલાક લાગ્યા હતા.

કામદારો બે દિવસ પહેલા જ ગુજરાત આવ્યા હતા

એવું કહેવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશના આ મજૂરો 2 દિવસ પહેલા જ કામ માટે ગુજરાત ગયા હતા. આ બધા મૃતકો અને ઘાયલ કામદારો મધ્યપ્રદેશના હરદા જિલ્લાના હાંડિયા ગામના રહેવાસી છે. આ બધા કામદારો ફટાકડા બનાવવાનું કામ કરી રહ્યા હતા.

તપાસમાં ચોંકાવનારા ખુલાસા

અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના માલિક પાસે ફટાકડા વેચવાનું લાઇસન્સ છે, તેને બનાવવાનું નહીં. આવી સ્થિતિમાં, હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે વહીવટને મૂર્ખ બનાવીને આટલો મોટો ઉદ્યોગ કેવી રીતે ચલાવવામાં આવી રહ્યો હતો. જેથી સવાલ થઈ રહ્યા છે કે આ ફેક્ટરી કોના આશિર્વાદ હેઠળ ચાલી રહી હતી?

આ પણ વાંચોઃ ભારે હોબાળા વચ્ચે વકફ બિલ લોકસભામાં રજૂ, બિલ પર ચર્ચા શરુ | Waqf Amendment Bill

આ પણ વાંચોઃ અમેરિકાનો ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગે રિપોર્ટ, ભારત સરકાર અકળાઈ? | USCIRF| VIDEO|

આ પણ વાંચોઃ Gandhinagar: વ્યાયામ શિક્ષકોનું 16 દિવસથી આંદોલન, સરકારના પેટનું પાણી કેમ હલતું નથી?

આ પણ વાંચોઃ બાંગ્લાદેશે ભારતની ઘેરાબંધી કરવા ચીનને બોલાવ્યું!, પવન ખેડાએ કહ્યું દેશ દયનીય સ્થિતિમાં! | Pawan Kheda

Related Posts

Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading
Gujarat Lost to Illiteracy: અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં ગુજરાતમાં સૌથી વધુ!! ડ્રોપ આઉટમાં 341 ટકાનો વધારો!
  • December 11, 2025

(સંકલન,દિલીપ પટેલ) Gujarat Lost to Illiteracy: સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ