
સોમવારે બીજેપી નેતા રમેશ બિધુરીના નિવેદનનો જવાબ આપતા દિલ્હીના મુખ્યમંત્રી આતિશી રડી પડ્યા હતા. આતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રમેશ બિધુરી મારા 80 વર્ષના પિતાને ગાળો આપી રહ્યો છે. ચૂંટણી માટે આવી ગંદી રાજનીતિ કરશો? મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ દેશની રાજનીતિ આટલી નીચે જઈ શકે છે.
આતિશીએ કહ્યું- હું રમેશ બિધુરીને કહેવા માંગુ છું, મારા પિતા આખી જિંદગી શિક્ષક રહ્યા છે. તેમણે હજારો ગરીબ બાળકોને ભણાવ્યા છે. હવે તે 80 વર્ષના છે અને એટલી ગંભીર હાલતમાં છે કે તે આધાર વિના ચાલી પણ શકતા નથી. રમેશ બિધુરી હવે એવા સ્ટેજ પર પહોંચી ગયા છે કે તેઓ એક વૃદ્ધ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરીને વોટ માંગી રહ્યા છે.
અસલમાં દિલ્હીથી ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશીને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આતિશીએ પોતાનો બાપ બદલી નાંખ્યો છે. તે માર્લેનાથી હવે સિંહ બની ગઈ છે. ભાજપે કાલકાજીમાંથી આતિશી સામે બિધુરીને ટિકિટ આપી છે.
બિધુરીના નિવેદન પર કેજરીવાલે કહ્યું- બીજેપી નેતાઓએ બેશરમીની હદ વટાવી દીધી છે.
બિધુરીના નિવેદન પર AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે X પર કહ્યું કે ભાજપના નેતાઓએ બેશરમીની તમામ હદો પાર કરી દીધી છે. બીજેપી નેતાઓ દિલ્હીના મુખ્યમંત્રી આતિષીને અપશબ્દો બોલી રહ્યા છે. દિલ્હીની જનતા મહિલા મુખ્યમંત્રીનું અપમાન સહન નહીં કરે.
આ પણ વાંચો-છત્તીસગઢના બીજાપુરમાં જવાનોની ગાડી ઉપર નક્સલી હુમલો; 8 જવાન શહીદ
બિધુરીએ પ્રિયંકા પર વિવાદાસ્પદ નિવેદન પણ આપ્યું હતું.
#WATCH | Delhi CM Atishi breaks down while speaking about BJP leader Ramesh Bidhuri’s reported objectionable statement regarding her. pic.twitter.com/CkKRbGMyaL
— ANI (@ANI) January 6, 2025
આ પહેલા રવિવારે સવારે બિધુરીએ પ્રિયંકા ગાંધી પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે લાલુએ બિહારના રસ્તાઓને હેમા માલિનીના ગાલ જેવા બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ તેમ કરી શક્યા નહીં. હું તમને ખાતરી આપું છું કે, હું કાલકાજીના તમામ રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવીશ.
પવન ખેરાએ પ્રિયંકા ગાંધી પર બિધુરીના નિવેદન પર વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘આ દુર્વ્યવહાર માત્ર આ ખરાબ માણસની માનસિકતા જ નથી દર્શાવતું, તે તેના માલિકોની વાસ્તવિકતા છે. ભાજપના આ નીચ નેતાઓમાં તમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મૂલ્યો જોવા મળશે.
કોંગ્રેસના વિરોધ પર રમેશ બિધુરીએ કહ્યું, ‘મેં કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. જો કોંગ્રેસને નિવેદન સામે કોઈ વાંધો હોય તો પહેલા લાલુ યાદવને હેમા માલિનીની માફી માંગવા કહે, કારણ કે તેમણે પણ આવું નિવેદન આપ્યું હતું.
જો કે, જ્યારે વિવાદ વધી ગયો તો બિધુરીએ સ્પષ્ટતા કરતા કહ્યું- મેં આ વાત લાલુ યાદવે જે કહ્યું તેના સંદર્ભમાં કહી છે. લાલુ યાદવ તેમની સરકારમાં મંત્રી હતા ત્યારે પણ કોંગ્રેસ ચૂપ રહી હતી. જો મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું.
ભાજપે શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. યાદીમાં 29 નામ છે. જેમાંથી 7 નેતાઓ તાજેતરમાં AAP અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે.
પ્રવેશ વર્મા નવી દિલ્હીથી અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. કાલકાજીથી સીએમ આતિશી સામે રમેશ બિધુરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસે આ સીટ પર અલકા લાંબાને ટિકિટ આપી છે.
પાર્ટીએ પ્રથમ યાદીમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ મેળવનાર મોટાભાગના ઉમેદવારોને ફરીથી ટિકિટ આપી છે. 29 ઉમેદવારોની યાદીમાં 13 ઉમેદવારોને રિપીટ કરાયા છે, જ્યારે 16ની ટિકિટ બદલાઈ છે.
આ પણ વાંચો-BREAKING: ગોપાલ ઈટાલિયાએ પટ્ટો કાઢી પોતાને જ ફટકાર્યો, જુવો આવું કેમ કર્યું?