
Dharmasthala Secret Burials: ધર્મસ્થલામાં નેત્રાવતી નદીના કિનારે આવેલા સ્થળને સ્નાનઘાટ કહેવામાં આવે છે. છેલ્લા 19 વર્ષ દરમિયાન ધર્મસ્થળમાં પોતાના હાથે સેંકડો લાશોને દફનાવી દેવાનો દાવો કરનાર સફાઈ કર્મચારી સામે આવ્યો છે. એ સોમવારે કેસની તપાસ કરી રહેલી SIT સમક્ષ 15 સ્થળોની ઓળખ કરી હતી. મંગળવારે પ્રથમ સ્થાને ખોદકામ શરૂ થયું. 15માંથી આઠ સ્થળો નેત્રાવતી નદીના કિનારે છે.
ધર્મસ્થલાના મૃતદેહોનું રાજ
મંગળવારે બપોરે બરાબર 12 વાગ્યે, SIT અધિકારીઓ, ફોરેન્સિક ટીમ, સીન ઓફ ક્રાઈમ ઓફિસર્સ (SOCO) અને મજૂરો સાથે મળીને આ પ્રથમ સ્થળે ખોદકામ આ બે કલાક દરમિયાન, ત્રણ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો. જેમ જેમ ખાડો ઊંડો થતો ગયો તેમ તેમ સ્થળ પર હાજર દરેકના હૃદયના ધબકારા વધતા ગયા.પરંતુ બે કલાક ખોદકામ કર્યા પછી, કામદારોને અચાનક કામ બંધ કરવું પડ્યું. કારણ એ હતું કે ખાડો માત્ર ત્રણ ફૂટ ઊંડો ખોદતાંની સાથે જ જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું એટલે કામ અટકાવવામાં આવ્યું.સફાઈ કામદાર દ્વારા દર્શાવેલ પ્રથમ જગ્યાએ, લગભગ 15 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ અત્યાર સુધી કંઈ મળ્યું નથી.
માસ્કવાળા માણસે કેમ આપી ખોપરી ?
જ્યારે આ માસ્ક પહેરેલો સફાઈ કર્મચારી ફરિયાદ પત્ર લઈને પોલીસ પાસે ગયો ત્યારે તેના હાથમાં એક કોથળો હતો. તે કોથળામાં એક માનવ ખોપરી હતી. સફાઈ કર્મચારીનો દાવો છે કે આ તેણે દફનાવેલા સેંકડો મૃતદેહોમાંથી એક હતો. તે પોલીસને ખાતરી કરાવવા માટે જ આ પુરાવા પોતાની સાથે લાવ્યો હતો.
ઓળખાયેલા સ્થળોએ પોલીસ ફોર્સને તૈનાત
હાલમાં, સાક્ષી દ્વારા ઓળખાયેલા બાકીના 14 સ્થળોએ એન્ટી નક્સલ ફોર્સ, ગરુડ ફોર્સ, સ્પેશિયલ એક્શન ફોર્સ અને કર્ણાટક સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સને તૈનાત કરવામાં આવ્યા છે. ખોદકામનું યોગ્ય રીતે વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે
એક માસ્ક મેને કર્યો સેંકડો મૃતદેહો દફનાવવાનો દાવો
સફાઈ કર્મચારીએ જણાવ્યું છે કે તેણે તે સ્થળોએ કેટલા મૃતદેહો દફનાવ્યા હતા. નિવેદન અનુસાર, સ્થળ નંબર એક પર કુલ બે મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા. સ્થળ નંબર બે પર બે મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા. સ્થળ નંબર છ, સાત અને આઠ પર આઠ મૃતદેહો. સ્થળ નંબર નવ પર છ થી સાત મૃતદેહો. સ્થળ નંબર10 પર ત્રણ મૃતદેહો. સ્થળ નંબર 11 પર નવ મૃતદેહો. સ્થળ નંબર12પર ચાર થી પાંચ મૃતદેહો. જ્યારે સ્થળ નંબર 13 પર મહત્તમ મૃતદેહો દફનાવવામાં આવ્યા હતા.
શું છે માસ્કવાળા માણસની હકીકત ?
તેના દાવા મુજબ, તેણે કર્ણાટક, દેશ અને દુનિયાના પ્રખ્યાત ધર્મસ્થળ મંદિરમાં 19 વર્ષ સુધી સફાઈ કામદાર તરીકે કામ કર્યું.અને આ 19 વર્ષોમાં, તેણે ત્યાં કેટલીક એવી વસ્તુઓ જોઈ કે સત્ય બહાર આવે તે પહેલાં જ, આખા કર્ણાટકમાં હોબાળો મચી ગયો છે.આ માસ્ક પહેરેલા ફરિયાદી કે સાક્ષીના મતે, 19 વર્ષની સેવા પછી, જ્યારે તેના પરિવારની એક છોકરી સાથે પણ આવું જ બન્યું, ત્યારે 2014 માં એક રાત્રે ડરના કારણે તે તેના આખા પરિવાર સાથે ધર્મસ્થળથી ભાગી ગયો. તેને ખબર હતી કે તે લોકો ગમે ત્યારે તેને શોધીને મારી નાખશે.
આ પછી, તેણે દક્ષિણ કન્નડ જિલ્લાના એસપીને એક પત્ર લખ્યો અને પછી પોતાની મરજીથી, તે 11 જુલાઈના રોજ કોર્ટમાં ગયો અને મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું. એટલું જ નહીં, તેણે પોતાની ફરિયાદના અંતે એ પણ લખ્યું છે કે તે પુરાવા સાથે આ સામૂહિક હત્યામાં સામેલ તમામ લોકોના નામ આપી શકે છે. સેંકડો બળાત્કાર, હત્યા અને ગુમ થયેલા વ્યક્તિઓના કેસોમાંનો એક છે જેનું સત્ય આજ સુધી બહાર આવ્યું નથી.તો શું હવે આ એક સાક્ષીના આગળ આવવાથી બધા દફનાવવામાં આવેલા રહસ્યો બહાર આવશે?
આ પણ વાંચો:
Kheda: દારુ કેસમાંથી બચાવવા ખેડા LCBનો પોલીસકર્મી 25 હજારની લાંચ લેતાં ઝડપાયો, જુઓ પછી શું થયા હાલ?
Lumpy virus in Gujarat: ગુજરાતના પશુપાલકો માટે માઠાં સમાચાર, ફરી આવ્યો આ ખતરનાક વાયરસ









