
Dhubri violence: આસામના ધુબરીમાં હાલમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. સીએમ હિમંતા બિસ્વા શર્માએ બદમાશોને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે. આ આદેશ રાત્રે પણ લાગુ રહેશે. તેમણે કહ્યું કે એક સાંપ્રદાયિક જૂથ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેને સહન કરી શકાય નહીં. તમને જણાવી દઈએ કે રવિવારે ધુબરીમાં એક મંદિર પાસે માંસના ટુકડા મળી આવ્યા બાદ તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
જિલ્લામાં CRPF તૈનાત કરવામાં આવશે
શુક્રવારે સીએમ શર્માએ ધુબરીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જિલ્લામાં શાંતિ જાળવવા માટે રેપિડ એક્શન ફોર્સ અને સીઆરપીએફના જવાનોને તૈનાત કરવામાં આવશે. સાથે જ હિંસાના તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. આસામના સીએમએ કહ્યું કે બકરી ઈદના બીજા દિવસે 7 જૂને જિલ્લા મુખ્યાલયમાં હનુમાન મંદિરની સામે એક ગાયનું કપાયેલું માથું મળી આવ્યું હતું. આ પછી, હિન્દુ અને મુસ્લિમ જૂથોએ ગામના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
નવીન બાંગ્લાએ પોસ્ટરો લગાવ્યા
મુખ્યમંત્રીએ કહ્યું કે બીજા દિવસે મંદિરની સામે ફરીથી ગાયનું કપાયેલું માથું મૂકવામાં આવ્યું અને રાત્રે પથ્થરો ફેંકવામાં આવ્યા. સરમાએ વધુમાં કહ્યું કે બકરી ઈદના એક દિવસ પહેલા, નવીન બાંગ્લા નામના સંગઠને ધુબરીને બાંગ્લાદેશમાં સમાવવાની માંગ કરતા પોસ્ટરો લગાવ્યા હતા. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે બકરી ઈદ પહેલા પણ કેટલાક લોકો અહીં ગૌમાંસ ખાતા હતા. આ વખતે પશ્ચિમ બંગાળથી હજારો પશુઓ અહીં લાવવામાં આવ્યા હતા અને ધુબરીમાં એક નવો ગૌમાંસ માફિયા ઉભરી આવ્યો છે જેણે તહેવાર પહેલા હજારો પ્રાણીઓ ખરીદ્યા હતા. મેં હાલમાં આની તપાસનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:
Ahmdedabad Plane Crash: 15 સફાઈ કર્મચારીઓ લાપતા, 19 મૃતદેહોની નથી થઈ ઓળખ
Israel Iran War: ઈરાને રાતોરાત ઈઝરાયલમાં મચાવી તબાહી, અનેક શહેરોમાં વિસ્ફોટ, જાણો કેટલું નુકસાન થયું
Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
Sunjay Kapur: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું નિધન, છેલ્લી પોસ્ટ થઈ વાયરલ
Ahmedabad Plane Crash: પ્લેન દુર્ઘટનાના સંભિવત કારણો શું છે?, બ્લેક બોક્સ મળ્યું, જુઓ Video